________________
અંગુલિમાલ સૂત્ર
આજે મારું નામ યથાર્થ છે, હું કોઈની પણ હિંસા કરતો નથી. પહેલાં હું અંગુલિમાલ નામનો પ્રસિદ્ધ ચોર હતો. ધસમસતા પૂરમાં ડૂબી જતો હું બુદ્ધના શરણમાં આવ્યો છું. પહેલાં હું અંગુલિમાલ નામથી પ્રસિદ્ધ, રક્તથી રંગાયેલા હાથવાળો હતો. પણ હવે શરણાગતિનું ફળ જુઓ ! ભવ-જાળ સંકેલાઈ ગઈ છે. દુર્ગતિ કરાવનારાં અનેક પાપકર્મોના ફળથી લિપ્ત એવો હું, આજે કર્મવિપાકથી મુક્ત બનીને ભોજન કરું છું. મૂર્ખ મનુષ્યો પ્રમાદી બની જાય છે, મેધાવી પુરુષો ઉદ્યોગીપણાની, ઉત્તમ ધનની જેમ રક્ષા કરે છે. પ્રમાદી ન બનો. કામ અને તૃષ્ણાનો સંગ ન કરો. સતત ઉદ્યોગનિરત રહીને ધ્યાન કરનાર પુરુષ વિપુલ સુખ પ્રાપ્ત કરે છે. અહીં મારું આગમન કલ્યાણકારી છે, અકલ્યાણકારી નથી, આ મારી મંત્રણા દુર્ભત્રણા નથી. જ્ઞાનપ્રાપ્તિ કરાવનાર ધર્મમાં જે શ્રેષ્ઠ છે તે નિર્વાણ મેં મેળવી લીધું છે. મારું અહીં આગમન કલ્યાણકારી છે, અકલ્યાણકારી નથી, આ મારી દુર્મત્રણા નથી, મેં ત્રણ વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી છે, બુદ્ધના શાસનનું પાલન કરી લીધું છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org