________________
૬૨
વિવિધા
અહંતોમાંના એક બન્યા.
આયુષ્યમાન અંગુલિમાલ પૂર્વાહ્ન સમયે પાત્ર-ચીવર લઈને શ્રાવસ્તીમાં ભિક્ષા માટે પ્રવેશ્યા ત્યારે કોઈ બીજાએ ફેંકેલો ઢેખાળો તેમના શરીર પર વાગ્યો. કોઈએ મારેલી લાકડી તેમને વાગી કે શરીર પર કાંકરાના ઘા થવા લાગ્યા. ત્યારે જેના શરીરમાંથી રક્ત વહી રહ્યું છે, મસ્તકમાં ઘા વાગ્યો છે, જેનું પાત્ર તૂટી ગયું છે, સંઘાટી ફાટી ગઈ છે, તેવા આયુષ્યમાન અંગુલિમાલ ભગવાન પાસે આવ્યા. ભગવાને દૂરથી જ તેમને આવતા જોયા અને કહ્યું :
બ્રાહ્મણ ! તે આ માર, આઘાતો સહન કરી લીધા ! બ્રાહ્મણ તે આ આઘાતો સહન કરી લીધા. જે કર્મફળને માટે અનેકાનેક હજારો વર્ષ નર્કની યાતના ભોગવવી પડે તે કર્મવિપાક તું આ જન્મમાં જ ભોગવી રહ્યો છું.”
ત્યારે આયુષ્યમાન અંગુલિમાલે એકાંતમાં ધ્યાનાવસ્થિત થઈને વિમુક્તિસુખનો અનુભવ કરતાં કરતાં તે જ સમયે આ સુ-વચનો કહ્યાં :
જે પહેલાં અર્જિત કરે છે, પછી તેનું માર્જન કરે છે તે મેઘથી મુક્ત ચંદ્રમાની જેમ આ જગતને પ્રકાશિત કરે છે. જેનાં પાપકર્મો પુણ્યકાર્યથી નાશ પામે છે, તે મેઘથી મુક્ત ચંદ્રમાની જેમ આ જગતને પ્રકાશિત કરે છે. સંસારમાં જે તરુણ ભિક્ષુ બુદ્ધ શાસનમાં જોડાય છે. તે મેઘથી મુક્ત ચંદ્રમાની જેમ આ જગતને પ્રકાશિત કરે છે. દિશાઓ મારી ધર્મકથાને સ્વીકારે, જે સંત પુરુષો ધર્મનો જ પ્રચાર કરે છે તેનું દિશાઓ સેવન કરે. દિશાઓ મારા શાંતિવાદીઓ, મૈત્રી-પ્રશંસકોના ધર્મને સમય સમય પર સાંભળે અને તે અનુસાર વ્યવહાર કરે. તે મને અથવા બીજા કોઈને પણ હણશે નહિ, તે પરમ શાંતિને પામીને સ્થાવર-જંગમની રક્ષા કરશે. જેવી રીતે મશકવાળા પાણી લઈ જાય છે, બાણ બનાવનાર બાણને સીધું કરે છે, સુથાર લાકડાને છોલીને ઉપયોગને યોગ્ય બનાવે છે, " તેવી રીતે પંડિતો પોતાનું દમન કરે છે. કોઈ દંડથી દમન કરે, કોઈ શસ્ત્ર કે ચાબુકથી ! તથાગત દ્વારા હું દંડ કે શસ્ત્ર કે ચાબુક વગર જ દમિત (વશમાં) કરાયો છું. પહેલા હું “હિંસક' નામે ઓળખાતો હતો. આજે હું અહિંસક છું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org