________________
અંગુલિમાલ સૂત્ર
તમે શસ્ત્ર વગર પરાજિત કરી શક્યા. ભલે ભત્તે ! હવે હું જઈશ. હજુ ઘણાં કર્તવ્યો કરવાના બાકી છે.”
“મહારાજ ! તને જેમ યોગ્ય લાગે તેમ કર !'
ત્યારે રાજા પ્રસેનજિત આસનેથી ઊઠીને, ભગવાનને અભિવાદન કરીને પ્રદક્ષિણા કરીને ત્યાંથી ચાલ્યા ગયા.
ત્યારે આયુષ્યમાન અંગુલિમાલે પૂર્વાહ્ન સમયે પાત્ર-ચીતર લઈને શ્રાવસ્તીમાં ભિક્ષા લેવા માટે પ્રવેશ કર્યો. શ્રાવસ્તીમાં કોઈ એક સ્થળે વધુ સમય રોકાયા સિવાય ભિક્ષા લેતાં લેતાં આયુષ્યમાન અંગુલિમાલે એક મૃત ગર્ભને ધારણ કરેલી સ્ત્રીને જોઈ. તેને જોઈને અંગુલિમાલે વિચાર્યું : “અરે, પ્રાણીઓ દુ:ખ ભોગવી રહ્યાં છે ! અરે, પ્રાણીઓ દુ:ખ ભોગવી રહ્યાં છે !” અંગુલિમાલ ભિક્ષાટન કરીને ભોજનવિધિ પતાવીને જયાં ભગવાન હતા ત્યાં ગયો. તેમને અભિવાદન કરીને એક બાજુએ બેસીને કહ્યું :
ભગવાન, હું પૂર્વાહ્ન સમયે શ્રાવસ્તીમાં ભિક્ષા માટે પ્રવેશ્યો ત્યારે મૃત ગર્ભને ધારણ કરેલી એક સ્ત્રીને જોઈ. તેને જોવાથી મને વિચાર આવ્યો કે “અરે, પ્રાણીઓ દુ:ખ ભોગવી રહ્યાં છે ! અરે, પ્રાણીઓ દુ:ખ ભોગવી રહ્યાં છે !'
તો અંગુલિમાલ, જયાં તે સ્ત્રી છે ત્યાં જા ! ત્યાં જઈને એ સ્ત્રીને કહે, “હે ભગિની ! જો મેં જન્મથી જ પ્રાણીવધ કરવાનું ન જાણ્યું હોય તો તે સત્યથી તારું મંગળ થાવ, ગર્ભનું મંગળ થાવ.”
ભત્તે ! હું આ પ્રમાણે કર્યું તો તો હું જાણીને જ જૂઠું બોલ્યો છું એમ ગણાશે. ભજો, મેં જાણીને જ ઘણાં પ્રાણીઓનો વધ ક્યો છે.”
“અંગુલિમાલ, તું જયાં એ સ્ત્રી છે, ત્યાં જા. જઈને કહે, “હે ભગિની, જો મેં આર્ય જન્મ ધારણ કરીને, જાણી-સમજીને મેં પ્રાણીવધ ન કર્યો હોય તો આ સત્યને કારણે તારું મંગળ થાવ ! ગર્ભનું મંગળ થાવ ! “સારું ભત્તે !” કહીને આયુષ્યમાન અંગુલિમાલ તે સ્ત્રી પાસે ગયો અને ઉપરોક્ત વચનો કહ્યાં, તેથી સ્ત્રી અને ગર્ભની સુરક્ષા થઈ.
આયુષ્યમાન અંગુલિમાલે એકાકી, અપ્રમત અને સંયમપૂર્વક વિહાર કરતાં કરતાં થોડા જ સમયમાં, જેને માટે કુલપુત્રો ગૃહત્યાગ કરીને પ્રવજયા ધારણ કરે છે, તે સર્વોત્તમ બ્રહ્મચર્ય-ફળને પ્રાપ્ત કરીને, આ જન્મમાં સ્વયં જાણીને, સાક્ષાત્કાર કરીને વિહરવા લાગ્યા. “જન્મનો ક્ષય થયો, બ્રહ્મચર્યપાલન કરી લીધું, જે કરવાનું હતું તે કરી લીધું, હવે અહીં કશું કર્તવ્ય રહ્યું નથી– એમ જાણી લીધું. આયુષ્યમાન અંગુલિમાલ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org