________________
FO
વિવિધા
‘ભન્ત ! મારે મગધનરેશ કે વૈશાલિક લિચ્છિવીઓ કે અન્ય કોઈ રાજાઓ સાથે દુશ્મનાવટ ઊભી થઈ નથી. મારા રાજ્યમાં અંગુલિમાલ નામનો ભયંકર ડાકુ રહે છે, તેનો નાશ કરવા હું જઈ રહ્યો છું.”
- “હે મહારાજ, જો તું અંગુલિમાલને દાઢી-મૂંછનું મુંડન કરાવેલો, કાષાય વસ્ત્રો ધારણ કરેલો, ગૃહત્યાગ કરીને પ્રવજિત થયેલો, પ્રાણ-હિંસા-વિરત, અદત્તાદાનવિરત, મૃષાવાદવિરત, એકાહારી, બ્રહ્મચારી, શીલવાન અને ધર્માત્માના રૂપમાં જુએ તો તારો પ્રત્યાઘાત કેવો હોય ?'
હે ભત્તે, અમે તો તેનો આદર સત્કાર કરીએ. તેને આસન, ચીવર, પિંડપાત, શયનાસન, ગ્લાન-પ્રત્યય, ભેષજય, ઔષધિય સાધનો માટે નિમંત્રણ આપીશું. એના ધર્મકાર્યની રક્ષા કરીશું પરંતુ હે ભત્તે ! એવો અતિ દુશ્ચરિત્ર, પાપી એવો અંગુલિમાલ આવો શીલવાન અને સંયમી કેવી રીતે બનશે ?'
તે સમયે આયુષ્યમાન અંગુલિમાલ ભગવાનની નજીક જ બેઠો હતો. ભગવાને તેનો જમણો હાથ પકડીને કહ્યું : “હે રાજા, આ જ છે અંગુલિમાલ !'
આ સાંભળીને રાજા પ્રસેનજિત ભયભીત બની ગયો. સ્તબ્ધ થયો અને તેનાં સંવાડાં ઊભાં થઈ ગયાં, ત્યારે ભગવાને રાજાને કહ્યું : “હે મહારાજ ! ભયભીત ન થાવ ! ડરો નહિ, હવે એનાથી ભય રાખવાનું કોઈ કારણ નથી.'
તે સાંભળીને રાજા પ્રસેનજિત કોશલનો. ભય દૂર થઈ ગયો. તે આયુષ્યમાન અંગુલિમાલ પાસે ગયો અને પૂછ્યું : “તું આર્ય અંગુલિમાલ છે ?”
હા, મહારાજ !' ‘તારા પિતા કયા ગોત્રના હતા ? અને માતા કયા ગોત્રની હતી ? મહારાજ ! પિતાનું માગ્યું અને માતાનું ગોત્ર મૈત્રાયણી હતું.'
આર્ય ગાગૃ-મૈત્રાયણી પુત્ર અભિરમણ કરે ! હું આર્ય ગાગ્ય-મૈત્રાયણી પુત્રની ચીવર, પિંડપાત, શયાનાસન, ગ્લાન-પ્રત્યય-ભેષજય વગેરથી સેવા કરીશ.”
તે સમયે આયુષ્યમાન અંગુલિમાલ આરણ્યક, પિંડપાતિક, પાંસ-કૂલિક, ત્રિચીરિક હતા. તેમણે રાજાને કહ્યું :
મહારાજ, મારી પાસે ત્રણે ચીવર છે.”
ત્યારે રાજા પ્રસેનજિત કોસલ જયાં ભગવાન હતા, ત્યાં ગયા. ત્યાં જઈને ભગવાનને અભિવાદન કરીને એક બાજુએ બેઠા અને ભગવાનને કહ્યું :
- “આશ્ચર્ય ભત્તે ! અદ્ભુત ભજો ! હે ભત્તે ! કેવી રીતે ભગવાન અદાંતનું દમન કરે છે, અશાંતને શાંત બનાવે છે, જે પરિનિવૃત્ત નથી તેને પરિનિર્વાણને માર્ગે લઈ જાય છે ? ભગવાન ! જેને અમે દંડથી કે શસ્ત્રથી પણ વશ કરી શક્યા નહિ, તેને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org