SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અંગુલિમાલ સૂત્ર પ૯ હે, શ્રમણ ઊભો રહે !' “હે અંગુલિમાલ, હું તો સ્થિર ઊભેલો જ છું પણ તું સ્થિરતારહિત છું.” ત્યારે અંગુલિમાલે વિચાર્યું કે બહુધા આ શાક્યપુત્રીય શ્રમણો સત્યવાદી, સત્ય પ્રતિજ્ઞાવાળા હોય છે પરંતુ આ શ્રમણ ચાલે છે છતાં કહે છે કે “હું ઊભેલો છું !” તો હું એ શ્રમણને જ શા માટે ન પૂછું ? ત્યારે અંગુલિમાલે ગાથાઓમાં ભગવાનને કહ્યું : “શ્રમણ ! ગતિમાન હોવા છતાં “સ્થિત છું' એમ કહે છે. હું જે સ્થિર ઊભો છું તેને “અસ્થિત’ કહે છે, શ્રમણ તને આ વાત પૂછું છું, તું કેવી રીતે સ્થિત અને હું કેવી રીતે અસ્થિત છું ?' અંગુલિમાલ, સર્વ પ્રાણીઓ પ્રત્યેના દ્વેષનો ત્યાગ કરવાથી હું ‘સ્થિત' છું. અને પ્રાણીઓ પ્રત્યેનું તારું વર્તન અસંયમી હોવાથી તું “અ-સ્થિત છું.” આ સાંભળીને અંગુલિમાલ સ્તબ્ધ બની ગયો ! “મને મહર્ષિનું પૂજન કરતા વિલંબ થયો. આ શ્રમણ મહાવનમાં મળી ગયો. તેથી હુ આ ધર્મયુક્ત ગાથા સાંભળીને દીર્ઘકાળનાં પાપકર્મોનો ત્યાગ કરું છું.” આ પ્રમાણે કહીને ડાકુએ તલવાર અને હથિયાર છોડીને પ્રવાહમાં અને નાળામાં ફેંકી દીધાં. ડાકુએ સુગતની ચરણવંદના કરી અને ત્યાં જ તેમની પાસે પ્રવજયા માગી. બુદ્ધ જે કરુણામય મહર્ષિ અને દેવ-મનુષ્યોના શાસ્તા છે, તેઓ બોલ્યા, “આવ, ભિક્ષુ છે અને ત્યાં તે સંન્યાસી બન્યો. ત્યારબાદ અંગુલિમાલને અનુગામી શ્રમણ તરીકે રાખીને ભગવાન શ્રાવસ્તીમાં ચારિકા માટે પ્રવેશ્યા. શ્રાવસ્તીમાં ભગવાન અનાથપિડિકના આરામ જેતવનમાં વિહાર કરતા હતા. તે સમયે રાજા પ્રસેનજિતના મહેલના દ્વાર પાસે ઘણા લોકો એકત્રિત થયા હતા. ત્યાં ઘણો કોલાહલ થયો હતો- “હે રાજા, તારા રાજમાં ભયંકર, રક્તથી રંગેલા હાથવાળો, પ્રાણીઓ અને મનુષ્યો ની હત્યા કરનાર, દૂર એવો ડાકુ અંગુલિમાલ રહે છે. એણે અનેક ગ્રામો, નગરો અને જનપદોને ઉજ્જડ કરી નાખ્યાં છે. તે મનુષ્યોને મારી નાખીને આંગળીઓની માળા પહેરે છે. હે રાજા ! તમે એને રોકો !' ત્યારે રાજા પ્રસેનજિત કોસલ પાંચસો ઘોડેસ્વારો સાથે મધ્યાહ્લે શ્રાવસ્તીમાંથી નીકળીને જેતવન આરામમાં ગયા. જ્યાં સુધી રથ જઈ શકતો હતો ત્યાં સુધી રથમાં જઈને પછી રથમાંથી ઊતરીને ચાલીને ભગવાનની સમીપે ગયા. ભગવાનને અભિવાદન કરીને એક બાજુએ બેઠા. રાજા પ્રસેનજિતને ભગવાને કહ્યું : “હે મહારાજ, તારે રાજા માગધ શ્રેણિક બિંબિસાર સાથે દુશ્મનાવટ ઊભી થઈ કે વૈશાલિક લિચ્છિવીઓ સાથે ? કે પછી બીજા કોઈ રાજા સાથે ?' Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy