SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ અંગુલિમાલ સૂત્ર (અનુવાદ) મેં આ પ્રમાણે સાંભળ્યું : એક સમયે ભગવાન શ્રાવસ્તીમાં અનાથ-પિંડિકના આરામ જેતવનમાં વિહાર કરી રહ્યા હતા. તે સમયે રાજા પ્રસેનજિતના રાજ્યમાં, એક ભયંકર, રક્તથી રંગાયેલા હાથવાળો, હત્યા કરવામાં સંલગ્ન અને મનુષ્યો તથા પ્રાણીઓ પ્રત્યે અતિ નિર્દય વ્યવહાર કરનાર અંગુલિમાલ નામનો લૂંટારો અનેક પ્રકારના અત્યાચાર કરતો હતો. તેણે ગામ, પ્રદેશો અને જનપદોને ઉજ્જડ કરી નાખ્યાં હતાં. તે સમયે ભગવાન મધ્યાહ્ન વેળાએ વસ્ત્ર ધારણ કરીને પાત્ર-ચીવર લઈને શ્રાવસ્તીમાં ભિક્ષા માટે પ્રવેશ્યા. શ્રાવસ્તીમાં ભિક્ષા ગ્રહણ કરીને, ભોજનવિધિ પતાવીને શયનાસન લઈને, જ્યાં ડાકુ અંગુલિમાલ રહેતો હતો તે માર્ગ પર આગળ વધ્યા. ગોવાળો, પશુપાલકો, કૃષકો અને પથિકોએ ભગવાનને અંગુલિમાલના નિવાસ તરફના માર્ગે જતા જોયા. તે જ જોઈને તેમણે કહ્યું : વિવિધા ‘હે શ્રમણ, આ માર્ગે ન જાઓ ! આ માર્ગમાં અંગુલિમાલ નામનો ડાકુ રહે છે. તેણે ગામ પ્રદેશો અને જનપદોને ઉજ્જડ કરી નાખ્યાં છે. તે મનુષ્યોને મારીને તેમની આંગળીઓની માળા બનાવીને પહેરે છે. હે શ્રમણ, આ માર્ગ ઉપર વીસ વીસ, ચાળીસ કે પચાસ પુરુષો ભેગા મળીને પણ આગળ જઈ શકતા નથી. જાય તો અંગુલિમાલના અત્યાચારનો ભોગ બની જાય છે.' આ સાંભળીને પણ ભગવાન મૌન ધારણ કરીને આગળ વધતા રહ્યા. ગોવાળો, ખેડૂતો, રાહગીરો વગેરેએ બીજીવાર અને ત્રીજીવાર કહેવા છતાં ભગવાન આગળ વધ્યા. ડાકુ અંગિલમાલે દૂરથી જ ભગવાનને આવતા જોયા. જોઈને તેણે વિચાર્યું કે અહો ! અદ્ભુત, આ રસ્તા ઉપર દસ, વીસ કે પચાસ પુરુષો પણ સાથે મળીને આવવાની હિંમત કરતા નથી અને આવે છે તો મારા હાથમાં સપડાઈ.જાય છે અને આ શ્રમણ એકલો, કોઈને પણ સાથે રાખ્યા વગર, મારી અવગણના કરીને સામે ચાલ્યો આવે છે. આ શ્રમણને હું શા માટે જાનથી ન મારી નાખું ? અંગુલિમાલ આમ વિચારીને ઢાલ-તલવાર લઈને, ધનષ્ય ૫૨ તીર ચઢાવીને ભગવાનની પાછળ પાછળ ચાલવા લાગ્યો. ત્યારે ભગવાને પોતાનું યોગબળ પ્રગટ કર્યું. ડાકુ અંગુલિમાલ વેગથી દોડવા છતાં સામાન્ય ગતિથી ચાલતા ભગવાનને પકડી શકતો ન હતો. તેથી અંગુલિમાલે આશ્ચર્ય અનુભવ્યું. આશ્ચર્ય અદ્ભુત ! પહેલાં તો તું દોડતા હાથીને, ઘોડાને, મૃગને પણ પકડી પાડતો હતો અને આજે વેગથી દોડવા છતાં આ સામાન્ય ગતિથી ચાલતા શ્રમણ સુધી હું પહોંચી શકતો નથી.’ તે ઊભો રહી ગયો અને ભગવાનને સંબોધીને બોલ્યો : Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy