SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યમાં બૌદ્ધદર્શનનો પ્રભાવ ૫૭ નવલકથાનાં મુખ્ય પાત્રો ગોપાળબાપા, રોહિણી અને સત્યકામમાં તો આ ભાવનાઓનો સ્પષ્ટ વિકાસ જોઈ શકાય છે. હેમંતને સર્પ દંશ દે છે, ત્યારે તેનું ઝેર ચૂસી લેતી રોહિણીમાં આ મૈત્રી અને કરુણાની ભાવનાનો સૌ પ્રથમ પરિચય મળે છે. તેના આ ગુણનો વિકાસ થવાનો છે એમ લેખક આરંભથી જ સૂચવે છે. વાડીનાં પશુપંખી પણ તેની સાથે તદાકારતા અનુભવે છે. બેરિસ્ટર, રેખા, અશ્રુત બધાંની સાથે તે મૈત્રી અને કરુણાના સ્તર પર જ વિહરે છે. મુદિતા અને ઉપેક્ષાની ભાવનાનો વિકાસ તેનામાં થયો નથી. સત્યકામ જતાં તેનો આનંદ લોપ પામે છે, કર્તવ્યના ભાનથી તે સર્વ કાર્યો કરે છે, પરંતુ તેનામાં મુદિતા નથી. હેમંત સાથેના લગ્નમાં પણ કરુણાનો ભાવ છે. આ અનાસક્તિ અને ઉપેક્ષાનો ભાવ ગોપાળબાપા પછી સત્યકામમાં વિકસેલો જોઈ શકાય છે. ગંગાનદીના અફાટ જળરાશિમાં નીચે ને નીચે ઊતરતો જતો સત્યકામ પોતાનો અનુભવ વર્ણવતા કહે છે : “મોતની નજીક તો હું અવારનવાર ગયો છું, પણ તે દિવસે જે “નિર્ભયતા હતી, તે જાણે વિરલ હતી. હું જાણે કોઈ બીજાને ડૂબતો જોઈ રહ્યો હતો. તેમાં જાણે જોવાનો આનંદ આવતો હતો.' આ ઉપેક્ષાવૃત્તિનું સ્પષ્ટ દૃષ્ટાંત છે. હેમંતની પ્રકૃતિ પણ અતિ સાત્વિક છે. ઈસુના જીવનસંદેશે જીવતી ક્રિશ્ચાઈનમાં મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષાએ દરેક ધર્મ મૂર્ત થયો છે. તેનું આખું જીવન સમર્પિત છે. ભગવાન બુદ્ધની પ્રશસ્તિ અને તેમણે દર્શાવેલા મધ્યમ માર્ગ વિશેના વૉલ્ટર રેથન્યુના આ શબ્દો નોંધપાત્ર છે. : “બુદ્ધ ! અહોહો ! શું મહાપ્રજ્ઞ પુરુષ ! વિસ્તીર્ણ મહાવૃક્ષ ! એમની વિરલતા એ છે કે તેઓ જગતનો સ્વીકાર પણ કરે છે. હું ધારું છું કે બુદ્ધ એ પહેલા મહાપુરુષ છે કે જેમણે દુનિયાનાં સુખોનો સમૂળગો નકાર કર્યો નથી. છતાં દુન્યવી સુખોની પાછળ પડીને તેને દુઃખમાં પલટી નાખવા સામે પણ તેમણે ચેતવણી આપી છે. મધ્યમ માર્ગની વાત સાચી છે. પરંતુ લોકોને સંપૂર્ણ વિરોધ પણ સમજાય છે અને સંપૂર્ણ શરણાગતિ પણ સ્વીકાર્ય છે પણ આંશિક સ્વીકાર અને આંશિક અસ્વીકાર તેમને સમજાતાં નથી.” માનવતાના વહેતા ઝરણા સમી ‘દર્શક’ની આ નવલકથામાં સ્થવિર શાંતિમતિએ સત્યકામના હૃદયમાં પ્રગટાવેલી બૌદ્ધધર્મની જ્યોતિનો પ્રકાશ યુદ્ધગ્રસ્ત વિશ્વને પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે. ગુજરાતી નિબંધ, નાટક અને અન્ય સાહિત્યમાં પણ બૌદ્ધધર્મનો પ્રભાવ જોઈ શકાય છે. તેમાં મુખ્યત્વે ભગવાન બુદ્ધનાં જીવનચરિત્રો, બૌદ્ધદર્શન વિશેનાં પુસ્તકો અને “ધર્મોપદ' વગેરે કેટલાંક ગ્રંથોના અનુવાદો નોંધપાત્ર છે. ગૌતમ બુદ્ધ ઉદબોધેલી અહિંસા અને વિશાળ માનવપ્રેમ વિશેની ભાવના તો અનેક સાહિત્યિક કૃતિઓમાં પ્રતિબિંબિત થયેલી છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy