SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ વિવિધા ચોપાસ સળગી ઊઠેલા યુદ્ધના વાતાવરણમાં પણ પોતાના સશક્ત યુવાન અને અનેક શસ્ત્ર-અસ્ત્રો વાપરી શકનાર માનસપુત્ર જેવા શિષ્યને એ કહે છે : “દીકરા, પણ લે કે કોઈ દિવસ હથિયાર ન ઝાલવું'. વેર-ઝેર, શસ્ત્ર, હિંસા અને શત્રુભાવને એ સર્વથા ત્યાજ્યા ગણતા. મૃત્યુને મુખ સામે નિહાળે છે તે સમયનો તેમના શિષ્ય સાથેનો આ સંવાદ નોંધપાત્ર છે. રુદ્રદત્તનો શિષ્ય યંબક તેમને કહે છે : “મારા ગુરુ ઉપર હાથ ઉપાડનારનો સંહાર કરીને હું શસ્ત્ર વેગળું મૂકી દઈશ.” તરત રુદ્રદત્ત કહે છે : જા ઘેલા, રુદ્રદત્તનું તર્પણ વેર લઈને થાય?” ત્યારે શી રીતે થાય ?' હાથમાંથી શસ્ત્ર ત્યજીને અને મનમાંથી ઝેર ત્યજીને, એ પણ જે લે તે મારા દેહને અગ્નિદાહ કરે; એ પણ લેનાર કોઈ ન મળે તો મારા દેહને એમનો એમ છોડી દેજો...” રુદ્રદત્તના આ શબ્દો બૌદ્ધદર્શનના સંદર્ભે પણ મનનીય છે. યુદ્ધની ભયંકરતા સમજાવતા આ નવલકથામાં શ્રી ર.વ.દેસાઈએ એક મૂળભૂત વિચાર રજૂ કર્યો છે : માનવી પશુ ન બને તો તને શસ્ત્રની જરૂર શી છે ?' માનવીએ પશુ ન બનવું અર્થાત્ તામસિક વૃત્તિઓ ઉપર, સર્વ પ્રકારની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો. સર્વ પ્રકારનાં સુખદુ:ખથી પર બનીને પરમ પ્રજ્ઞાને પ્રાપ્ત કરીને વિહરવું એ જ એકમાત્ર માર્ગ છે - માનવજાતના વિજયનો-જે ભગવાન બુદ્ધ વારંવાર ઉપદેશ્યો છે. - શ્રી રમણલાલ દેસાઈની નવલકથાઓ પ્રેમ, અહિંસા, સત્યનો સંદેશ આપવાની સાથે યુદ્ધની પ્રવૃત્તિ અટકાવી દેવાની સતત હિમાયત કરે છે. તેવી જ રીતે શ્રી મનુભાઈ પંચોળી- દર્શકે – “દીપનિર્વાણ” અને “ઝેર તો પીધાં છે જાણી જાણી'માં વિશ્વવ્યાપી માનવપ્રેમનું નિરૂપણ બૌદ્ધધર્મના સંદર્ભમાં જ કરેલું જોવા મળે છે. દીપનિર્વાણ' માં બૌદ્ધકાલીન ગણરાજ્યોનાં વર્ણન સાથે માનવમનની વૃત્તિઓનું પરિમાર્જન થતાં અનુભવાતી શાંત પ્રસન્નતાનું મનનીય આલેખન છે. ઝેર તો પીધાં છે જાણી જાણી' તો પ્રસિદ્ધ વિવેચક શ્રી ડોલરરાય માંકડ તેની પ્રસ્તાવનામાં જણાવે છે તે પ્રમાણે ‘બૌદ્ધધર્મના મહાયાન પંથમાં જે બતાવેલી ચાર બ્રહ્મવિહારો મૈત્રી, કરુણા મુદિતા અને ઉપેક્ષાની ભાવના ઉપર જ. “...ઝેર તો પીધાં છે જાણી જાણી'ની નવલકથા ગૂંથી છે. માનવવિકાસનાં વ્યક્તિ તેમ જ સમષ્ટિનાં આ ચાર પગથિયાં છે. માનવજીવનમાં આવો વિકાસ શક્ય છે તે બતાવવાને મનુભાઈએ આ નવલકથા લખી છે; હું તો આને આ દૃષ્ટિએ જોઉં છું.” Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy