________________
ગુજરાતી સાહિત્યમાં બૌદ્ધદર્શનનો પ્રભાવ
યુદ્ધોએ જગતનું કશું જ ભલું કર્યુ નથી, એમ પ્રત્યેક યુદ્ધે સાબિત કર્યું હોવા છતાં યુદ્ધની પરંપરા ચાલુ રાખતા શાસકો અને સત્તાના સંદર્ભમાં શ્રી. ૨.વ.દેસાઈએ ‘પ્રલય’ નવલકથામાં એક નવી જ વિચારસરણી રજૂ કરી છે. યુદ્ધની ભયંકર વિનાશકતાનો તાદ્દશ અનુભવ કરાવતાં વર્ણનો અને યુદ્ધવિરામની અનિવાર્યતા સમજાવતી આ નવલકથામાં તેના નાયકે નવીન સમાજરચના માટે તૈયાર કરેલા દસ્તાવેજમાં જે કલમો લખી છે તે મનનીય છે : ‘...વિજ્ઞાન અને રાજવહીવટે યુદ્ધનો, યુદ્ધનાં સાધનોનો-શસ્રો, સૈનિકો તથા કારખાનાંઓનો સર્વાંગી બહિષ્કાર કરવો. રાષ્ટ્રસંકલન માત્ર વ્યવસ્થા મટી યુદ્ધપ્રેરક બને તો રાષ્ટ્રવાદ પણ જવો જોઈએ...' ‘માનવીને યુદ્ધ ન શોભે... ...' ની પ્રબળ અનુભૂતિ કરાવતી નવલકથા ‘પ્રલય’ એ નવા સમાજમાં ‘માનવી માનવતાને જ વફાદાર, રાજ્યઅંકુશ સમગ્ર માનવતાનો, દેશ, રાષ્ટ્ર કે વિશિષ્ટ પ્રજાનો નહીં..' એમ સ્પષ્ટ સમજાવે છે.
‘જગતમાંથી વેર, ઝેર, ક્રોધ કે ખૂન અદશ્ય થવાં જોઈએ.' સર્જનમાં સંહાર ન હોય' તથા ‘આખું જગત મિત્ર બને'ની ભાવનાને નિરૂપતી નવલકથા ‘ક્ષિતિજ’માં લેખકે ‘આખું જગત બૌદ્ધધર્મ સ્વીકારે' એવું સ્પષ્ટ સૂચન મૂક્યું છે. એ બૌદ્ધધર્મનો માર્ગ એટલે ‘...એક જ અહિંસામય ધર્મ, એટલે પરમ શાંતિ, નિર્વાણના માર્ગે સરળતાભર્યું
પ્રયાણ...’
૫૫
બૌદ્ધધર્મની આ મંગલમયતાનું દર્શન કરાવવાની સાથે નવલકથાકારે મહા સમર્થ બૌદ્ધ તાન્ત્રિક પરિચય દ્વારા તે ધર્મની થયેલી અવનતિ તરફ પણ અંગુલિનિર્દેશ કર્યો છે. શક્તિ-ઉપાસનાની ગૂઢ, ભયાનક અન બીભત્સ ક્રિયાઓ દ્વારા આસપાસના વાતાવરણને ભયજનક બનાવનાર સિદ્ધની શક્તિ અને સિદ્ધિઓ બૌદ્ધધર્મના તાન્ત્રિક સ્વરૂપને રજૂ કરે છે.
‘ગ્રામલક્ષ્મી'માં મહેરુ જેવા બહારવટિયાને અશ્વિન પ્રેમ અને વિશ્વાસથી જીતી લે છે, ત્યાં પ્રેમ જ સર્વવિજયી હોવાની પ્રતીતિ થાય છે અને ગૌતમ બુદ્ધે અંગુલિમાલ જેવા ભયાનક ક્રૂર વ્યક્તિનું જે માનસપરિવર્તન કર્યું હતું તેનું સ્મરણ કરાવે છે. આ સમગ્ર નવલકથામાં ત્યાગ, બંધુત્વ, માનવતા અને પ્રાણીમાત્ર પ્રત્યે સમાન દૃષ્ટિ રાખનાર પ્રેમભાવનું જ સફળ રીતે આલેખન થયું છે.
તો ‘ભારેલો અગ્નિ' નવલકથાના કથાનાયક રુદ્રદત્તની એક જ મહાત્વાકાંક્ષા છે, ‘દુનિયાને શસ્ત્રરહિત કરવી, અગર દુનિયામાંથી ચાલ્યા જવું'. ભગવાન બુદ્ધ પ્રાણીઓના નિસાસા પણ સહન કરી શકતા ન હતા. તેમની ગુફાઓમાં જ અસંખ્ય માનવીઓનો સંહાર કરી શકાય એટલાં શસ્ત્ર-અસ્ત્રો અને દારૂગોળો સંતાડનાર રુદ્રદત્ત સ્વાનુભવે જ યુદ્ધની વિભિષિકાને સમજ્યા હતા અને અહિંસાને જીવનમંત્ર બનાવ્યો હતો.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org