________________
૫૪
ગીદરડું ખભે નાખીને પસાર થઈ જતા બુદ્ધને મેં જોયા છે.’
હિંસા અને દ્વેષ નહીં પણ મિત્રતા અને કરુણાનું ગાન અહીં સંભળાય છે. કવિ શું ઇચ્છે છે ?
.સફાળો બેઠો થઈ બોધિગયાના વૃક્ષની ઘેરઘટા લઈ લક્ષ લક્ષ યોજન લાગી
ફાટફાટ વિસ્તરી જઈશ ત્યારે ?...’
ગૌતમ બુદ્ધે જગતમાં માનવપ્રેમની શીતળ સરવાણીને વહેતી કરીને વેર અને ઈર્ષ્યાના અગ્નિને શાંત કરવા મૈત્રીભાવનું જે માહાત્મ્ય દર્શાવ્યું છે તે અહીં ઉલ્લેખનીય છે. બુદ્ધે મૈત્રીભાવનાનું મહત્ત્વ દર્શાવતા કહ્યું હતું કે ‘સંસારના સમસ્ત પ્રાણીઓ ઉત્પન્ન કે ઉત્પન્ન થનાર સુખપૂર્વક વિહાર કરે. કોઈ પણ કોઈની વંચના અથવા અપમાન ન કરે. વૈમનસ્ય અથવા વિરોધને કારણે એકબીજાને માટે દુઃખની ઇચ્છા ન કરે. જેવી રીતે માતા પોતાના જીવનની થોડી પણ ચિંતા કર્યા વગર એકના એક પ્રિય પુત્રની રક્ષા કરે છે, તેવી રીતે મનુષ્યો સર્વ પ્રાણીઓ પ્રત્યે અસીમ પ્રેમની-મૈત્રીની ભાવના રાખે.’
વિવિધા
‘યથા‘પિ પઠવી નામ નિખિતં અસુર્ચિ સુર્ચિ ઉપેકતિ ઊભોપેતે કોપાનુનય વિજ્જતા, તથેવ ત્વમ્પિ સુખદુખે તુલાભૂતા સદા ભવ ઉપેક્ષા પારિમાં ગત્ત્વા સંબોધિં પાપુણિસ્સસી.’
બોધિપ્રાપ્તિ માટે અવૈર અને પ્રેમની ભાવનાની કેળવણી સાથે સુખદુ:ખમાં સમાનદર્શી રહીને ઉપેક્ષાભાવ કેળવવાનો બોધ પણ તેમણે આપ્યો છે. ખૂબ સુંદર દૃષ્ટાંત દ્વારા તે આ ઉપેક્ષાભાવનું મહત્ત્વ સમજાવે છે.
-
‘જેવી રીતે પૃથ્વી પોતાની ઉપર ફેંકવામાં આવેલી પવિત્ર કે અપવિત્ર વસ્તુઓ પ્રત્યે પ્રસન્નતા કે ક્રોધરહિત ઉપેક્ષાભાવ રાખે છે તેવી રીતે તમે પણ સુખદુ:ખ પ્રત્યે સમાનદર્શી બનીને ઉપેક્ષાની પરાકાષ્ઠા પ્રાપ્ત કરીને બુદ્ધપદ પ્રાપ્ત કરશો.'
Jain Education International 2010_03
આ ઉપેક્ષાભાવનું નિરૂપણ આપણે યશવંત ત્રિવેદીનાં કાવ્યોમાં જોયું. રાષ્ટ્રવ્યાપી અહિંસક સ્વાતંત્ર્યલડતે અનેક ગુજરાતી સાહિત્યકારોને નવેસરથી સત્ય અને અહિંસાનું મૂલ્ય સમજાવ્યું છે. શ્રી રમણલાલ વ. દેસાઈ અને ‘દર્શક’ મનુભાઈ પંચોળીની નવલકથામાં, આ વાણીનો પ્રતિધ્વનિ વારંવાર સાંભળવા મળે છે. તેમણે આત્મસાત કરેલા સત્ય, અહિંસા અને પ્રેમના સંદેશનું નિરૂપણ તેમની કૃતિઓમાં થયેલું જોવા મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org