SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ વિવિધા આ ઉપરાંત દેવજી મોઢાનું, પોતાની મર્યાદાની સીમા ઉલ્લંઘીને ગહન અંધારામાં દીવડા પેટાવીને લળી લળીને સ્તૂપની આરતી ઉતારતી “બુદ્ધ દાસી'નું કાવ્ય નોંધપાત્ર છે. આજે ચારેબાજુએ ફેલાઈ રહેલા યુદ્ધના આતંકથી ત્રસ્ત માનવસમાજને શાતા મળી રહે તે માટે ઉમાશંકર જોશી ગાંધીજીની અહિંસાનું સ્મરણ કરીને પુનઃ એક વાર “બારણે બારણે બુદ્ધ નાં દર્શન કરવા ઉત્સુક બને છે. જે ઉપેક્ષાનો ભાવ કેળવીને ભિક્ષુ પ્રજ્ઞા પ્રાપ્તિનો અધિકારી બને છે, તે ઉપેક્ષાનું સહજભાવે થયેલું નિરૂપણ યશવંત ત્રિવેદીની આ પંક્તિઓમાં જોવા મળે છે. નિજ પુદ્ગલ પ્રત્યેનો વિરલ ઉપેક્ષાભાવ અહીં પ્રગટ થયો છે : ગંગાઘાટે હું જ તે મારા અસ્થિનો લઈ કુંભ ઊભો છું, ઓ ગંગા લહર લહર થઈ આવો ! મારા જન્મ જન્મની રાખ તણી ભૂક્ષ્મ લઈ વહી જાઓ ! મારા હિમાલયો નીચે પીગળતા સૂરજનાં સોનેરી ઝરણાં વહી જાઓ !' અહીં મૃત્યુનો વિષાદ નખી, સ્વસ્થભાવે તેનો સ્વીકાર છે. કવિ તેને આવકારે છે. સૂર્યકિરણના સોનેરી રંગમાં પરિવર્તન પામતાં જીવનનું આ દર્શન કવિચેતનાની ઊર્ધ્વ પરિપાટીની ઝાંખી કરાવે છે. અર્વાચીન ગુજરાતી કવિ મૃત્યુ વિશે ચિંતન કરે છે. મૃત્યુથી ઉદ્ભવતું દુઃખ અને વેદનાને વળોટીને તેનું ચિર રહસ્ય પામવા મથે છે, પરંતુ જીવન-મૃત્યુ પ્રત્યેનો આવો ઉપેક્ષાભાવ બૌદ્ધદર્શનની યાદ અપાવે છે જે “ઝેર તો પીધાં છે જાણી જાણી' માં સત્યકામના પાત્રમાં દેખાય છે. પારમિતા અર્થાતુ પરાકાષ્ઠાએ પહોંચવું- પાર ચાલ્યા જવું તે. બૌદ્ધમત અનુસાર પારમિતા આત્મશક્તિની પરમ ચેતના છે. યશવંત ત્રિવેદીનું કંઈક અસંગતિનો આભાસ ઊભો કરતું, પુરાકલ્પનો, કલ્પનો અને પ્રતીકોની સંકુલતા રચતું; છતાં પરમ અર્થને પામવા મથતા કવિના ભીતરને રજૂ કરતું કાવ્ય પારમિતા' બૌદ્ધદર્શનનું સ્મરણ કરાવે છે. તેમનું “મીતા' કરુણામૂલક શાશ્વતી વેદનાનું તો “પારમિતા' વેદનામુક્તિ માટેની ચેતનાનું સ્વરૂપ છે. બોધિવૃક્ષની ભીતર પોઢેલા બુદ્ધના તત્ત્વજ્ઞાનમાંનો શૂન્યવાદ અને ક્ષણિકવાદનો અને તેના સંદર્ભમાં જન્મોજન્મના વાસ્તવનો મર્મ તો “ચીની રેશમી પાણીના કોશેટામાંથી નીકળી'- અર્થાત્ સાંપ્રદાયિકતામાંથી મુક્ત થઈ જવાય તો જ સમજાય. સ્થળ અને સમયની પરિસસીમાઓને પાર કરી શાશ્વતીની ખોજ કરતા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy