SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યમાં બૌદ્ધદર્શનનો પ્રભાવ આ જ કવિના ‘ખેડૂત' કાવ્યમાં ભગવાન બુદ્ધની ઉપદેશકથાઓમાંની એક જેમાં તેઓ પોતાને ખેડૂત તરીકે ઓળખાવે છે અને પોતે કેવા પ્રકારની ખેતી કરતા હતા તથા તેમનું લક્ષ્ય શું હતું તે સમજાવે છે - એ કથા રજૂ કરવામાં આવી છે. ભગવાન બુદ્ધ આ રીતે પોતાના કાર્યને સમજાવે છે : ‘શ્રદ્ધા તણાં બી, વરસાદ એના પરે સદાચાર તણો થતાં તો પ્રજ્ઞાફળો માનસક્ષેત્રે ફૂટે ! કુકર્મલા હળદંડ મારો, જે બાંધિયો છે મનદોરથી મેં.'.... સ્મૃતિ ચાબૂક મારો, ને સ્મૃતિ એ હળનું ફળ, વિશ્રાન્તિ શાન્તિ છે મારી, સત્ય એ મુજ નીંદણા ઉત્સાહરૂપી બળદો વડે હું, મારું ચલાવું હળ નિત્ય પ્રીતે, નિર્વાણ કેરી દિશા ખેડતો હું, ખેડૂત હું, ખેડૂત સર્વ રીતે !' ‘બોધિસત્વ સુમેધ’ વિશે પણ કવિએ એક કાવ્ય રચ્યું છે. નાથાલાલ દવેનું ‘યશોધરા’ કાવ્ય મહાભિનિષ્ક્રમણના પ્રસંગને નિરૂપે છે. સિદ્ધાર્થનો પરમ અંતરસ્નેહ પામીને જેનું સૌભાગ્ય સાર્થક થયું છે એવી યશોધરા નિદ્રામાંથી જાગૃત થતાં પતિની ખાલી શય્યા જોતાં સ્તબ્ધ બને છે. ‘સહીશ ક્યમ વહાલી વિરહને ?' એમ પૂછતા પતિનું મુખ તેની દૃષ્ટિ સમક્ષ આવે છે. વાતાયને જઈને એ ઊભી રહે છે પણ ક્યાંયથી એ પરિચિત પદધ્વનિ સંભળાતો નથી, સભળાય છે કેવળ વિશ્વની અશ્રુધારે ભીંજાયેલી પતિની આ વાણીના પડઘાઃ ‘ભીંજ્યું મારું હૃદયતલ આ વિશ્વની અશ્રુધારે, પેટાવું હું જીવનદીપ આ સૃષ્ટિના અંધકારે.' છે. પિતા-માતા, પત્ની-પુત્ર અને રાજ્યની સર્વ સમૃદ્ધિ ત્યજીને અખિલ વિશ્વના કલ્યાણ અર્થે ચાલી નીકળેલા ભગવાન બુદ્ધના હૃદયતલમાં વહેતી માનવપ્રેમની સરવાણીનું ચિત્ર કવિ આગળુ આપે છે : ‘રોકે એને ક્યમ પરિજનો ? માતનાં અશ્રુબિંદુ ? હૈયે જેને જગતભરની વેદનાનો હુતાશ, ૫૧ બાંધે એને ક્યમ તનય કે પત્નીનો સ્નેહપાશ ? રત્ને રાજ્યે વિભવ મહીં શેં એનું રોકાય ધ્યાન ? વ્હાલું જેને જનહૃદયના રાજવી કેરું સ્થાન ? હૈયે જેને પુનિત પ્રગટ્યું વિશ્વકારુણ્ય ગાન ?’ કાવ્ય યશોધરા વિશેનું છે, પણ એમાં ગૌતમ બુદ્ધના મનોગતનું ચિત્ર આલેખાયું Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy