________________
૫૦
વિવિધા
હવે ના મીંચાશો નયન કદીયે જે ઊઘડિયાં', દયાની ગંગા આ પરમ તપ અંતે ઊતરી તે અખંડા વહેતી રહો, કઠણ તપના સિંચન થકી,
વહો ખંડ ખંડે પ્રતિ ઉર વહો તપ્ત જગને” ‘ત્રિમૂર્તિ કાવ્યમાં બુદ્ધને અનુલક્ષીને લખાયેલા કાવ્યખંડમાં બુદ્ધનું જીવનદર્શન અને લોકસંગ્રહાર્થે તેમના સમર્પિત જીવનનું અહોભાવભર્યું નિરૂપણ છે.
ધરી આ જન્મથી પ્રણયરસદીક્ષા, તડફતું હતું જે સંતાપે જગત દુખિયું, કિલશ રડતું લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફ મહીં તે વિદ્યા “શાંતિ” વ્હાલાં, રુદન નહિ, બુટ્ટી દુઃખ તણી.
પ્રબોઘા પૈર્ય તે વિરલ સુખમત્રો, જગતને નિવાર્યું હિંસાથી, કુટિલ વ્યવહારે સરળતા પ્રસારી.... પ્રભો, તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે,
અહિંસા કેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે.'
શ્રી સુંદરજી બેટાઈએ ‘સિદ્ધાર્થનું સ્વપ્ન”, “શસ્ત્રસન્યાસ' વગેરે ભગવાન બુદ્ધના જીવનપ્રસંગો પર આધારિત કાવ્યો આપ્યાં છે. “તુલસીદલ'માં તેમણે “ધમ્મપદ'નું ભાષાંતર આપ્યું છે. ગુજરાતી ભાષામાં કવિ કાન્ત, ધૂમકેતુ વગેરેએ પણ પાલિભાષાના બૌદ્ધધર્મના સીમાચિહ્નરૂપ આ ગ્રંથ “ધમ્મપદ’નું ગુજરાતી ભાષાંતર કર્યું છે.
હરિશ્ચંદ્ર ભટ્ટના કાવ્ય “બુદ્ધનું ચિત્ર દોરતો અજન્તાનો કલાકાર' બુદ્ધની પ્રણયરસ ભીની કરુણાથી સભર આંખોને રેખાઓમાં ઉતારવા ભગવાન બુદ્ધની જ આશિષ માગે છે :
મને યે તું આજે તુજ નયનના એ પ્રણયથી,
દયામૂર્તિ ! જે અભય તુજ મુદ્રા કર તણી.' સિદ્ધાર્થમાંથી ભગવાન બુદ્ધ બનનાર અને શાક્યસિંહમાંથી નરસિંહરૂપે જગકલ્યાણાર્થે સતત કાર્યપરાયણ રહેનાર ભગવાન બુદ્ધના પ્રેમ અને અહિંસાના સિદ્ધાંતને જશુભાઈ પટેલે ભગવાન બુદ્ધને' કાવ્યમાં બિરદાવ્યા છે. આજે જયારે ફરી હિંસાનાં દળ વાદળો ઘેરાયાં છે ત્યારે પુનર્જન્મ લઈ “ન વેરથી વેર શમે' મંત્રનું પુનઃ પ્રબોધન કરવા કવિ પ્રાર્થે છે. યુદ્ધથી ત્રસ્ત અંતરની આ વાણી અંજલિરૂપે અર્પાય છેઃ
‘રહો સદા શાન્તિ, ન કો દી યુદ્ધ, સિદ્ધાર્થ છે, હે ભગવાન બુદ્ધ !
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org