________________
ગુજરાતી સાહિત્યમાં બૌદ્ધદર્શનનો પ્રભાવ
ગુજરાતી સાહિત્યમાં બૌદ્ધદર્શનનો પ્રભાવ
ભૂમિકા
અસ્તિત્વવાદ, એબ્સર્ડવાદ, અતિ યથાર્થવાદ, આદિની તત્ત્વવિચારણામાં અને યંત્ર સંસ્કૃતિની યંત્રણામાં દૌર્મનસ્યનો અનુભવ કરતા અર્વાચીન કવિ પરમાત્મશ્રદ્ધા અને ક્યારેક આત્મશ્રદ્ધા પણ ગુમાવી દે છે. તેની સર્જક ચેતના સ્વની અભિજ્ઞા સમજવા-પામવાના સફળ-નિષ્ફળ પ્રયાસો કરતા કાવ્યકેડીએ પગલાં માંડે છે, ત્યારે ક્યારેક પાછળ ફરીને સદીઓ પહેલાંની પૃષ્ઠભૂમિ પર નજર માંડે છે. એ સમયના વાતાવરણમાં ગુંજતા આત્માને પ્રજ્વલિત કરતા મંત્રગાનના સ્વરોને સાંભળવા કાન માંડે છે. જીવનની વિસંવાદિતામાંથી મુક્તિ મેળવવા તે ગાંધીજીની સાથે બુદ્ધ અને ઇસુની તરફ પણ દૃષ્ટિ માંડે છે.
બુદ્ધથી પ્રભાવિત કવિઓ
ભગવાન બુદ્ધની કરુણા અહિંસા, જગતનાં દુઃખોના શમન માટેની તેમની મહાન તપસાધનાએ અર્વાચીન કવિઓને પ્રભાવિત કર્યા છે. બુદ્ધના જીવનના વિવિધ પ્રસંગો અને તેમના ઉપદેશોનું સારભૂત તત્ત્વ અનેક કવિઓએ કાવ્યમાં નિરૂપ્યું છે. નરસિંહરાવ દિવેટિયાએ ‘બુદ્ધચરિત’નો સળંગ કાવ્યગ્રંથ આપ્યો છે. સુંદરમના બુદ્ધવિષયક કાવ્યો ભાવ અને કાવ્યતત્ત્વની દૃષ્ટિએ સફળ અને નોંધપાત્ર બન્યાં છે. ‘બુદ્ધનાં ચક્ષુ'માં બુદ્ધનું પ્રેમાળ, કારુણ્યસભર વ્યક્તિત્ત્વ તાદ્દશ રીતે આલેખાયું છે. કાવ્યનો આરંભ અત્યંત પ્રભાવક છે :
‘ભલે ઊગ્યાં વિષે નયન નમણાં એ પ્રભુ તણાં, ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી, પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદ તણી, હસી સૃષ્ટિ હાસે દલ કમલનાં ફુલ્લ બનિયાં'
૪૯
ત્યાર પછી કવિએ સંક્ષેપમાં અન્ય અવતારોનું નિદર્શન કરાવીને બુદ્ધના અવતારનું રહસ્ય પ્રગટ કર્યું છે.
‘પ્રભો ! જન્મે જન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઊતર્યા, નખાત્રે, દંતાગ્રે દમન કરિયું શબ્દ છળથી, સજ્યું કે કોદંડ ગ્રહી પરશુ, ચક્રે ચિત્ત ધર્યું, તમે આ જન્મે તો નયનરસ લઈ અવતર્યા.’
અંતમાં કવિ તેમને ભવ્ય અંજલિ આપતાં કહે છે :
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org