________________
૪૮
| વિવિધા
અને પાંચ માનુષી (મનુષ્યરૂપ અવતરેલા) બુદ્ધ માન્યા છે. “અમિતાભ' અથવા અમિતાબ અમાપ આયુષ્યવાળા બુદ્ધ ભગવાન) એ ચોથા ધ્યાની બુદ્ધ છે. એમના બોધિસત્વ તે અવલોકિતેશ્વર અને તેમનું મનુષ્ય રૂપ તે ગૌતમબુદ્ધ. આ સર્વ બુદ્ધોની પાર સર્વનું આદિકારણ-એ આદિબુદ્ધ કહેવાય છે આચાર્ય શ્રી ધ્રુવ લખે છે કે એકલા સંયમનો અને નીતિનો ધર્મ લુખો પડે છે અને મનુષ્યના મનનું ઈશ્વર માનવા તરફ સ્વાભાવિક વલણ છે. તેથી બોદ્ધધર્મમાં બુદ્ધદેવનાં આ વિવિધરૂપો ઈશ્વરને સ્થાને કલ્પાય અને પૂજાય એમાં કોઈ નવાઈ નથી.
વળી, ધર્મનું અથવા ધર્મરૂપી મહા શરીર તે “ધર્મકાર્ય કહેવાય છે. આ જગતનું આધારભૂત તત્ત્વ તે “ધર્મકાય' કહેવાય છે. ઉપનિષદમાં જેને “બ્રહ્મ પરમાત્મા કહે છે. તેની મળતી બોદ્ધધર્મના આ “ધર્મકાયની માન્યતા છે. આ ધર્મકાય મૈત્રી અને કરૂણાથી ભરપુર છે. મૈત્રી (સર્વ પ્રાણી પ્રત્યે પ્રેમ) અને કરુણા આ ધર્મનાં મુખ્ય તત્ત્વો છે, અને જેમ બીજા સેશ્વરવાદી ધર્મોમાં એ ગુણો ઈશ્વરના મનાય છે, તેમ બૌદ્ધ ધર્મમાં એ ગુણો ધર્મકાર્યમાં મનાય છે. આ ધર્મકાય પ્રાણીના કલ્યાણ અર્થે શરીર ગ્રહણ કરે છે, ત્યારે “નિર્માણકાય' કહેવાય છે. આ “નિર્માણકાય તે હિન્દુ ભાગવત ધર્મમાં જેને “અવતાર' કહે છે તે. ત્રીજી “સંભોગકાય છે. બુદ્ધ ભગવાનનું આનંદમય સ્વરૂપ તે “સંભોગકાય'.
હિન્દુ ભાગવત ધર્મની માફક મહાયાનમાં યાત્રા, વ્રત અને એવા બીજા વિધિ
પણ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org