SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના અને ભક્તિ તત્ત્વ જેમ ભાગવત ધર્મમાં પ્રધાન સ્થાને છે, અને ભગવાન વાસુદેવ કૃષ્ણ જે એક ઐતિહાસિક મહાન ધર્મ ઉપદેશક વ્યક્તિ હતા તેમને જેમ પરમેશ્વર માની તેમની પૂજાનો પ્રચાર તેમના પછીના સમયમાં થયો તેવી જ રીતે તથાગણ ગૌતમ બુદ્ધને તેમના નિર્વાણ પછી મહાયાનના તેમના અનુયાયીઓએ તેમને ઈશ્વરના અવતાર તરીકે સ્વીકારી તેમની ઉપાસના ભક્તિ વિવિધ પ્રકારની પૂજા વગેરે ભાગવત ધર્મને મળતાં સેશ્વરવાદી તત્ત્વો દાખલ કર્યા. આ બધામાં ભગવાન બુદ્ધ પ્રત્યેની તેમની નિષ્ઠા ખાસ ધ્યાન ખેંચે છે. વળી બીજું પણ એક મહત્ત્વનું સેશ્વરવાદી તત્ત્વ મહાયાનમાં ખાસ નોંધવા જેવું છે તે એ છે કે સંપ્રદાય ખાલી ભારતમાં જ મર્યાદિત ન રહેતાં ભારતના સીમાડા ઓળંગી સમગ્ર એશિયામાં વ્યાપક બન્યો અને ધીમે ધીમે આજે તો તેણે વિશ્વધર્મનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેમાં બોધિસત્વનું આદર્શ સેવાની અને લોકકલ્યાણની ભાવનાથી સ્વીકાર્યો છે. નિર્વાણનો જે આદર્શ બન્ને પંથોમાં છે તેનો અર્થ ખાલી શૂન્યત્વ અગર નકારાત્મક મોક્ષની કલ્પના નથી. પણ નિર્વાણનો વિધયાત્મક (Positive) અર્થ નીચે પ્રમાણે સ્વીકારાયો છે. “તૃષ્ણા અને તૃષ્ણામાંથી ઉપજતાં “ઉપાદાન” (વિષય-ગ્રહણ) નો નાશ થાય, એટલે પુનર્જન્મન અને પુનર્જન્મ સાથે જોડાયેલાં જરા-મરણ વગેરેનાં દુઃખો શમી જાય. આ દુ:ખ રહિત સ્થિતિ તે નિર્વાણ. નિર્વાણ એટલે બૂઝાઈ જવું. મનુષ્યના હૃદયમાં હું પણું (મિથ્યાભિમાન) અને રાગ દ્વેષ વગેરે જે જે વૃત્તિઓ સળગે છે તેનું બૂઝાઈ જવું.” આ રીતે રાગદ્વેષ રહિત જે ચિત્તની શાન્ત અને તૃષ્ણા કે જગતના પંચ વિષયોની વાસનાથી મુક્ત થઈ પોતાના પરમ ઉચ્ચ સચ્ચિદાનંદ સ્વરૂપની પરમ શાન્તિ અને નીરવ આંતરિક આનંદ અનુભવવો તે આ નિર્વાણ સ્થિતિ અને ભગવદ્ગીતાની સ્થિતપ્રજ્ઞાવસ્થા” એ લગભગ સરખી આધ્યાત્મિક અનુભવની ઉચ્ચ સ્થિતિ છે. આ રીતે ભગવાન બુદ્ધનું ‘નિર્વાણપદ' તથા ગીતાની સ્થિતપ્રજ્ઞની “બ્રાહી સ્થિતિઃ' એ ભારતીય સેશ્વરવાદનું ઉચ્ચતમ આધ્યાત્મિક શિખર છે. હિંદુ ધર્મની ત્રિમૂર્તિની માફક (બ્રહ્મા-વિષ્ણુ-અને શિવ) બૌદ્ધધર્મના આ પંથમાં (૧) મંજુશ્રી (૨) અવલોકિતેશ્વર, અને (૩) વજપાણિ-એ નામના બુદ્ધદેવનાં ત્રણ સ્વરૂપો પૂજાય છે. મંજુશ્રી આ જ્ઞાનની મૂર્તિ છે. અને વિદ્યા એમનામાંથી પ્રગટ થઈ છે. હિંદુ ધર્મમાં વેદ બ્રહ્માના મુખમાંથી નીકળ્યા કહેવાય છે તે રીતે. અવલોકિતેશ્વર એ આ જગતને અવલોકનાર-જોનાર સર્વશક્તિમાન બોધિસત્વ છે. એમણે આ આપણું જગત ઉત્પન્ન કર્યું છે અને એમની જ શક્તિરૂપ વજધારણ કરનાર એક સ્વરૂપ તે વજધર કે વજપાણિ નામે ઓળખાય છે. - હિંદુધર્મમાં અનેક નામ ધરાવતા પણ એક પરમેશ્વર છે. એ પ્રકારનો ઊંડો ગુપ્ત એકેશ્વરવાદ છે તેમ મહાયાન બૌદ્ધધર્મમાં પણ છે. તેમાં ધ્યાનનો, પરોપકારનો અને ઉપદેશનો બહુ મહિમા છે અને તેથી આ ત્રણ કાર્યને માટે પાંચ ધ્યાની બોધિસત્વ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy