SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ વિવિધા એમ કહીને ક્ષણિકવાદ અને કર્મના નિયમને પ્રયોજયા છે. તેમના મતાનુસાર કર્મને કારણે સંસારમાં વિવિધતા છે; ઈશ્વરને કારણે નહીં. ઈશ્વરની આવશ્યકતા : - બુદ્ધ વિશ્વના પ્રથમ કારણ કે સર્જક કે કર્મના નિયામક તરીકે ઈશ્વરને ઈન્કારે છે. લૌકિક માન્યતાને અનુલક્ષીને તેઓ માનવી અને દેવતાઓ વચ્ચેના વ્યવહાર વિષે કહે છે ત્યારે પણ દેવોને માનવી જેવા જ ગણે છે. આ ભાવનાની સમતલ રહીને તેઓ પોતાના સહિત કોઈ વ્યક્તિવિશેષ કે દેવની આરાધના ન કરવા અનુરોધ કરે છે. પરંતુ માનવીની ધાર્મિક વૃત્તિને કોઈ આલંબનની-ઈશ્વરની આવશ્યકતા રહેતી હોવાથી તેમના વ્યવહારિક ધર્મમાં બુદ્ધને જ પછીથી દેવ તરીકે પૂજવાનું શરૂ થયું હતું. આમ જેમણે પૂર્ણતાનો માર્ગ શોધ્યો અને પોતાના પગલે બીજાઓને ચાલવા માટે શક્ય બનાવ્યો તેમને લોકસમૂહ માટે એકમત આશરો અને એકમાત્ર દેવ તરીકે સ્થાપવામાં આવ્યા હતા. વળી, બ્રાહ્મણ પરંપરામાં દૈવી દરવાજો હાંસલ કરવા કે શુદ્ધિ રાખવા માટે દેવતાઓ પવિત્ર કાર્યો, યજ્ઞો અને તપ કરતા દર્શાવવામાં આવ્યા છે. તેવી રીતે બૌદ્ધ ધર્મનો મોભો વધારવા તેઓ બ્રહ્મા તથા ઇન્દ્ર પણ બૌદ્ધ ધર્મ અંગિકાર કરે છે તેમ દર્શાવવામાં આવ્યું છે. વળી, જૂના દેવોને, નિર્વાણના ધ્યેયને વરેલા બૌદ્ધ ભિક્ષુથી નીચેની કક્ષા આપીને, સ્વીકારવામાં આવ્યાં છે. આમ, બૌદ્ધદર્શનના વિકાસની પરંપરા ઈશ્વરની આવશ્યકતાને અનુમોદન આપે છે. બૌદ્ધ ધર્મના પાછળથી ઇતિહાસકાળમાં બે મહા પંથ પડ્યા અને તેમાંનો જે મહત્ત્વનો પંથ જે “મહાયાન” નામે ઓળખાય છે, તે તો મહદઅંશે સેશ્વરવાદી છે એમ લગભગ બધા જ સ્વીકારે છે. મહાયાન પંથમાં ગૌતમ બુદ્ધને સાક્ષાત ઈશ્વર કે પરમેશ્વર માની તેમની ભક્તિ ઉપાસનાની વિધિ વિધાનોવાળો ભક્તિમાર્ગને મળતો ઉપાસના કાંડ પૂર્ણ વિસ્તાર પામ્યો છે. હીનયાનમાં ઘણે ભાગે એકલું તત્ત્વજ્ઞાન (ચાર આર્ય સત્યો) અને એ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાના (નિર્વાણની અનુભૂતિ માટેના) સાદા માર્ગો જેવા કે પંચશીલ, અષ્ટશીલ, દશશીલ અને આર્યઅષ્ટાંગ માર્ગો જ ઉપદેશ્યા છે. મહાયાનમાં વિશાળ અર્થમાં આપણે જેને ધર્મ કહીએ છીએ તેનાં સઘળાં તત્ત્વો આવે છે : જેમકે, ભક્તિ, યાગ, સ્વર્ગ નરકાદિની માન્યતા વગેરે. ગૌતમ બુદ્ધ ઈશ્વરનો ઉપદેશ કર્યો ન હતો, બલ્ક અનીશ્વર ધર્મ જ ઉપદેશ્યો હતો એમ કહીએ તો પણ ખોટું નથી. (ઈશ્વરના પ્રશ્ન ઉપર તેમણે મૌન સેવી-કેવળ નીતિ કે સદાચાર પ્રધાન-નિવૃત્તિ માર્ગનો ઉપદેશ આપ્યો હતો.). મહાયાન પંથમાં, બુદ્ધદેવને ઈશ્વર તરીકે માની એમના અનેક અવતારોની તથા એમના દિવ્ય અને નિત્ય સ્વરૂપની ભક્તિ દાખલ થઈ; આ રીતે સ્પષ્ટ થાય છે કે મહાયાન સંપ્રદાય-ભાગવત કે વૈષ્ણવ સંપ્રદાયને ઘણી બાબતમાં મળતો આવે છે . Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy