________________
બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના
આથી દેવતાઓનો ભય નિર્મૂળ કરવા માટે દૈવી તત્ત્વોને જ નાબૂદ કરવાની આવશ્યકતા હતી દેવતાઓનો આવો ભય નાબૂદ કરવાનો, ઈશ્વર અને દેવતાઓ ઉ૫૨ બધી જવાબદારી ઓઢાડી દેવાને કારણે સ્વપ્રયત્નો કે પુરુષાર્થને બદલે દેવાધીન વલણ પ્રબળ બનશે. બુદ્ધનો હેતુ વિશ્વની વાસ્તવિકતાના સંદર્ભમાં વિશુદ્ધ નીતિમત્તાના નિર્માણનો હોવાથી અનીશ્વરવાદી અભિગમ તેને પોષક બને છે. બુદ્ધનો હેતુ પુરુષાર્થને પ્રેરીને વિશુદ્ધ નીતિમત્તાનું નિર્માણ કરવાનો હતો.
ઈશ્વરની અનાવશ્યકતા :
બુદ્ધનો ઉપદેશ આ વિશ્વની વાસ્તવિકતાના સંદર્ભમાં થયેલો છે કારણ કે, વસ્તુઓના પ્રાકૃતિક અર્થઘટન સાથે વૈયક્તિક એવા ઈશ્વર અંગેની માન્યતા અહીં સુસંગત રહી શકે તેમ ન હતી. વળી જે ઈશ્વર કાંઈ કરી શકે નહી તેવા ઈશ્વરની ખ્યાલ પણ તદ્દન અનાવશ્યક બની રહે છે. અહીં પ્રેમાળ એવા ઈશ્વર અંગેની માન્યતાનો પણ મેળ બેસતો નથી. વિશ્વની વિષમતાઓ અને દુ:ખ તો કર્મના સિદ્ધાંતથી જ બુદ્ધિગમ્ય બની શકે છે. વિશ્વના પ્રવાહ માટે કોઈ સચેત નિયામકની અત્રે આવશ્યકતા નથી. અશ્વઘોષના ‘બુદ્ધચરિત'માં અનાથપિંડક સાથેના સંવાદમાં બુદ્ધ સ્પષ્ટ કહે છે
કે જો ઈશ્વરે વિશ્વનું નિર્માણ કર્યું હોય તો કોઈ દુ:ખપ્રદ પરિવર્તન, કોઈ વિનાશ કે શોક, દુ:ખ વગેરે બાબતોનું અસ્તિત્વ હોવું જોઈએ નહીં, કારણ કે જો સંસારમાં દૃષ્ટિગોચર થતી આવી બાબતો ઈશ્વરનું કાર્ય હોય તો તે પોતે પણ આ બધી પ્રક્રિયાને પાત્ર બને છે. આથી તેને પૂર્ણ સાચી શકાય નહીં. આ ઉપરાંત ઈશ્વરની ઇચ્છા અનુસાર જ બધું થતું હોય તો સદ્ગુણી આચરણનો અર્થ રહેતો નથી. આમ, ઈશ્વરની માન્યતા સદગુણોના વ્યવહાર માટે બિલકુલ ઉપયોગી નથી.
૪૫
જો દુઃખ, શોક વગેરેનું કારણ ઈશ્વર ન હોય તો તે કારણ ઈશ્વર સિવાયનું બીજું કોઈ હશે અને તેથી ઈશ્વરનો ખ્યાલ અપૂર્ણ બનશે. આથી આવા ઈશ્વર અંગેનો ખ્યાલ પણ સ્વીકાર્ય બની શકે તેમ નથી.
સ્વતઃ સિદ્ધ મધ્યમ માર્ગ :
બુદ્ધ માટે માનવી અને સૃષ્ટિનું સર્જન કોણે કર્યું એ પ્રશ્નનું નહીં પણ નિર્વાણના ધ્યેયને પુરુષાર્થથી પામવા માટે વિશુદ્ધ જીવનની પ્રાપ્તિ કેવી રીતે થાય એ પ્રશ્નનું મહત્ત્વ હતું. ઈશ્વરવાદનું નિરૂપણ કરવાથી દુ:ખક્ષયની સંભાવના રહેતી ન હતી જ્યારે મધ્યમ માર્ગ સ્વતઃ સિદ્ધ અને સ્વતઃ પૂર્ણ હતો. બુદ્ધનો આ અભિગમ અનીશ્વરવાદી છે અને તેમના લાક્ષણિક વલણને અનુરૂપ તે સમયના પ્રચલિત અભિગમો વચ્ચેનો માર્ગ છે. આ અનુસાર સર્વોચ્ચ ઈશ્વર સર્જક હોવાથી પરંપરામાં માન્યતા તથા વિશ્વની વસ્તુઓનો વિકાસ તેની સ્વતંત્ર આંતરિક શક્તિને કારણે થાય છે એવી ભૌતિકવાદીઓની સ્વભાવવાદી માન્યતાનું તેમણે ખંડન કરીને બધું પ્રતીત્યસમુત્પન્ન છે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org