________________
૪૪
વિવિધા
આદિના ક્ષય માટે છે.
- કઠિન તપશ્ચર્યા દ્વારા અકુશળ ધર્મો ક્ષીણ થાય અને કુશળ ધર્મોની પ્રાપ્તિ દ્વારા સાત્ત્વિક સુખની અનુભૂતિ મળે ત્યાર બાદ તેણે પુન:કઠિન તપશ્ચર્યા કરીને દુઃખ કે સંકલેશ અનુભવવાની આવશ્યક્તા રહેતી નથી. જેવી રીતે લુહાર બાણને યોગ્ય આકાર આપવા માટે અગ્નિ પર તપાવે છે, સીધું કરે છે અને યોગ્ય આકાર અપાયા બાદ તેને અગ્નિ પર તપાવવાનું કાર્ય અટકાવી દે છે, તેમ કુશળ ધર્મોની પ્રાપ્તિ થતાં, તપશ્ચર્યાનું પ્રયોજન સિદ્ધ થયા પછી કાયાને કઠિન તપસ્યાથી કષ્ટ આપવું દુઃખ ભોગવવું નિરર્થક છે, અનાવશ્યક છે. ૧૬૪
ગૌતમ બુદ્ધ આ કર્મક્ષય-દુઃખક્ષય માટેનાં પાંચ સોપાન દર્શાવ્યા છે : (૧) ભિક્ષુ દુઃખથી અન-અભિભૂત શરીરને દુઃખથી અભિભૂત કરતો નથી. (૨) ધાર્મિક સુખનો પરિત્યાગ કરતો નથી. (૩) ધાર્મિક સુખમાં અવ્યાધિક મૂર્ણિત બનતો નથી.
(૪) તે જાણે છે કે દુ:ખના કારણના સંસ્કારનો અભ્યાસ કરવાથી વિરક્ત બને છે.
(૫) આ દુઃખનિદાનની ઉપેક્ષાની ભાવના કરવાથી વિરક્ત બને છે.
ભિક્ષુ દુઃખના કારણના સંસ્કારનો અભ્યાસ કરે છે અને જો દુઃખનિદાનની ઉપેક્ષા કરવાથી-ઉપેક્ષાની ભાવના કરવાથી વિરાગ પ્રાપ્ત થાય છે, તેનો અભ્યાસ કરે છે. આ પ્રમાણે વિરક્ત બનવાથી તેનું દુ:ખ ક્ષીણ થાય છે.
. કર્મવિપાક દુર્વિજ્ઞેય છે. જ્યારે કાળ પાકે છે અને કારણસામગ્રી ઉપસ્થિત હોય છે ત્યારે કર્મનો વિપાક થાય છે. કર્મ બીજતુલ્ય છે. તે પોતાની જાતિ પ્રમાણે વહેલા કે મોડા, અલ્પ યા મહાન ફળ આપે છે. તૃષ્ણા જ કર્મને વિપાક પ્રદાનનું સામર્થ્ય આપે છે. જે તૃષ્ણારહિત બની કર્મ કરે છે, તે કર્મથી લિપ્ત થતો નથી, તેને કર્મના ફળ ભોગવવાં પડતાં નથી.”
કર્મ વિપાકની દુર્વિજ્ઞેયતા દર્શાવીને વ્યવહારિક જગતમાં દેખાતી કેટલીક વિસંગતતાઓનું સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. તે જણાવે છે કે કેટલાક દુરાચારી અને હિંસક મનુષ્યો અનેક પ્રકારનાં સુખોપભોગમાં રાચતા જોઈ શકાય છે. તે રીતે પુણ્યાચારી મનુષ્યો અતિ કષ્ટ ભોગવતા હોય છે. કર્મના સિદ્ધાંતની દૃષ્ટિએ આ વિસંગતિ જણાય છે. પરંતુ હકીકતોમાં કર્મનો વિપાક સમજવો મુશ્કેલ છે. હિંસક દુરાચારી માણસોનાં પૂર્વકૃત સત્કર્મોનો ઉદય થયો હોવાથી તે સુખસંપત્તિ પ્રાપ્ત કરે છે અને સુગતિ પામે છે. તેવી રીતે પુણ્યાચારી મનુષ્યનાં પૂર્વકૃત દુષ્કર્મોના વિપાકને કારણે તે વર્તમાનમાં દુઃખ ભોગવે છે. પુરાણાં કર્મોના વિપાકને પરિણામે જ આ સ્થિતિ સર્જાય છે, તે વિસંગતિ નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org