________________
બૌદ્ધ ધર્મમાં પરમ તત્ત્વની વિભાવના
૪૩
મનુષ્ય સત્કર્મ કરે તો તેને સદગતિ મળે છે અને અસત્ કર્મ કરે તો તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે; એમ ગૌતમ બુદ્ધ વારંવાર કહ્યું છે. સદ્ કર્મો અને અસત્ કર્મો કુશળ કર્મ અને અકુશળ કર્મથી ઉલ્લેખાય છે. આસ્રવ કુશળ કર્મનું ફળ સુખ, અભ્યદય અને સુગતિ છે. નિરાસ્ત્રવ કુશળ કર્મો વિપાકરહિત છે. તે દુઃખની આત્યંતિક નિવૃત્તિને ઉત્પન્ન કરે છે. આ દુઃખનિવૃત્તિને જ નિર્વાણ કહે છે. નિર્વાણ રોગના અભાવની જેમ શાંત અવસ્થા છે.
ગૌતમ બુદ્ધની દૃષ્ટિએ કર્મ એક પ્રકારનો ચિત્તસંકલ્પ છે, જેને “ચેતના” શબ્દ દ્વારા વ્યવસ્કૃત કર્યો છે. તેને તૈ વૈદિક સિદ્ધાંતની જેમ અદૃષ્ટ શક્તિ માનતા નથી. પરંતુ કર્મને અનાદિ અને અવિચ્છિન્ન પરંપરામાં ઘટિત એક ઘટના માત્ર માને છે. તે અનુસાર સ્વકૃત કર્મોના ફળને ભોગવનાર પ્રાણી સ્વયં હોય છે.
ચેતના માનસકર્મ છે. કાયિક-વાચિક કર્મ વગર પણ માનસકર્મ અભીષ્ટ પ્રાપ્ત કરી શકે છે. એમ પણ કહી શકાય કે કર્મ એ ચેતના, ચેતનાકૃત કાય-ચેષ્ટા અને વાગ-ધ્વનિ છે.
મૈત્રી-ભાવના પણ એક ચેતના છે – તેમાં કોઈ પ્રતિગ્રાહક હોતો નથી, તો પણ તેનાથી પુણ્યાદિનો ઉત્પાદ થાય છે. મૈત્રી-ચિત્તમાં રુચિ હોવી તે પણ માનસકર્મ છે. સર્વ વિચારાત્મક પ્રક્રિયાઓ ચેતનાખ્ય કર્મ છે. પણ તે અક્રિય હોય તો અધિક પુણ્યદાયી બને છે. જો કે મૈત્રીભાવના સક્રિય હોય તો વધુ પુણ્યદાયી બને છે.
ચેતના કર્મ અને કર્મવિપાકમાં મુખ્ય હોવા છતાં ફળપ્રાપ્તિ માટે કાય અને વાણીનો આધાર લેવો પડે છે. શત્રુના પ્રાણાતિપાતની ચેતના અને પ્રાણાતિપાત એક જ નથી. પ્રાણાતિપાત એક ક્રિયાવિશેષ છે.
નિગ્રંથોની તપસ્યાના સંદર્ભમાં ગૌતમ બુદ્ધે પોતાના વિચારો રજૂ કર્યા છે. નિગ્રંથ સાધુઓ એમ માને છે કે સર્વ પ્રકારનાં સુખ-દુઃખ પૂર્વજન્મનાં કર્મોના ફળરૂપ છે. તપસ્યા દ્વારા પૂર્વજન્મનાં કર્મોનો ક્ષય કરવાથી, નવાં કર્મો ન કરવાથી ભવિષ્યમાં અનાસ્ત્રવ થાય છે. વિપાકરહિત હોવાથી કર્મક્ષય, દુઃખક્ષય અને વેદનાનો ક્ષય થવાથી સર્વ દુઃખો ક્ષીણ થઈ જાય છે.
ગૌતમ બુદ્ધ આ વિચારસરણીનો સ્વીકાર કરતા નથી. તે જણાવે છે કે આ પ્રમાણે કષ્ટદાયક તપસ્યા કરવાથી આ જન્મમાં અકુશળ ધર્મોનો નાશ અને કુશળ ધર્મની પ્રાપ્તિ ન થાય તો તે તપશ્ચર્યા નિરર્થક છે. પૂર્વ જન્મનાં કર્મ અને તેના વિપાકથી અજ્ઞાત હોવાને કારણે પણ આવી તપશ્ચર્યા અર્થરહિત છે. સમગ્ર જીવન અતિ કષ્ટદાયક તપ સાધનામાં વ્યતીત કરવાથી શ્રેય સાધી શકાતું નથી.
પ્રજ્ઞાપ્રાપ્તિને માટે, કઠિન લાગતા કેટલાક સદાચારના નિયમોના પાલનને તેમણે આવશ્યક માન્યા છે. અને તે દ્વેષ-મોહાદિ ચિત્તના ઉપક્લેશો, નીવરણો, આસ્ત્રવો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org