SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કેર વિવિધા પ્રવર્તિત માનવજીવનમાં અનેક પ્રકારની વિષમતાઓ અને વિસંગતિ જોવા મળે છે. આ સર્વ વિષમતાઓ અને વિસંગતિનું કારણ કર્મ' હોવાનું ગૌતમ બુદ્ધે વારંવાર જણાવ્યું છે. કર્મ જ સત્ત્વોને હીન કે પ્રણીત બનાવે છે. બાવળ વાવીને કોઈ આમ્રફળ પ્રાપ્ત કરી શકે નહિ. તે “વાવે તેવું લણે'નો કર્મસિદ્ધાંત સૌને સમાન રીતે લાગુ પડે છે. कम्मं सत्ते विभाजति यदिदं हीनपणीततायां ति । સંસારરૂપી અગાધ સમુદ્રમાં પરિભ્રમણ કરાવનાર પ્રતીત્યસમુત્પાદ પણ કર્મચક્ર જ છે. કર્મથી વિપાક ઉત્પન્ન થાય છે અને તેને કારણે પુનઃકર્મ ઉદ્દભવે છે. કર્મ અને તેના ફળના પારસ્પરિક સંબંધને લીધે ભવચક્ર ફર્યા કરે છે. પ્રત્યેક પ્રાપ્ત પરિસ્થિતિ અને પુનર્જન્મનું કારણ કર્મ જ છે. બોધિપ્રાપ્તિ પછી બુદ્ધને પૂર્વજન્મનું સ્મરણ થયું હતું. કર્મથી પ્રેરાયેલા સત્વોને તે ભિન્ન ભિન્ન યોનિમાંથી પસાર થતાં જોઈ શકતા હતા. કાર્યકારણના નિયમ અનુસાર કોને ક્યાં જન્મ મળશે તેનું જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું હતું. તેમના અનેક શિષ્યો અને શિષ્યાઓએ પૂર્વજન્મ અને પુનર્જન્મ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વિશ્વમાં પ્રવર્તિત વિપરિત પરિસ્થિતિ ઈશ્વરકૃત નહિ પણ કર્મકૃત છે. કર્મ મુલતઃ બે પ્રકારનાં છે : ચિત્ત કર્મ અને ચૈતસિક કર્મ. તેને ચેતના અને ચેતયિતા પણ કહે છે. ચેતના માનસકર્મ છે. ચેતનાથી જે ઉત્પન્ન થાય છે તે ચેતયિતા કર્મ છે. તેના બે પ્રકાર છે : કાયિક અને વાચિક. આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તે કર્મ કહેવાય છે. અને તેને પરિણામે જે સંસ્કાર કે વાસના ચિત્તમાં પડે છે, તે પણ કર્મ કહેવાય છે. આ વાસનારૂપ કર્મ પુનર્જન્મના કારણરૂપ બને છે. સામાન્ય રીતે તેમણે કર્મોના ત્રણ પ્રકાર બતાવ્યા છે : કાયિક, વાચિક અને માનસિક. આ ત્રણમાં માનસિક કર્મ વધુ મહત્ત્વનાં છે. કાયિક કે વાચિક કર્મ કુશળ છે કે અકુશળ તે માનસકર્મ દ્વારા નક્કી થાય છે. ગૌતમ બુદ્ધે કર્મને વસ્તુતઃ ચેતનામય કહ્યા છે. - ભિક્ષુઓ, મેં ચેતનાને કર્મ કહ્યું છે. ચેતનાપૂર્વક કર્મ કરાય છે શરીરથી, વાણીથી, મનથી...ચેતનાપૂર્વક કરેલાં અને સંચિત કર્મોનાં ફળોનાં પ્રતિસંવેદન કર્યા વગર દુ:ખનો કે તેમનો (કર્મનો) અંત બતાવતા નથી. પ્રત્યેકને માટે દુઃખનો અંત જાગૃતપણે કરેલાં કર્મો ક્ષીણ થવા પર જ સંભવિત છે. “ન આ શરીર તમારું છે. ન બીજાઓનું, કેવળ પુરાણું કર્મ છે.” પ્રાણીઓની વિવિધ યોનિમાં થતી ઉત્પત્તિ વિશેના શુભ માણવકના પ્રશ્નના સંદર્ભમાં ગૌતમ બુદ્ધે કહ્યું હતું, “કર્મો જ જીવોનાં પોતાનાં છે, કર્મ જ તેમની વિરાસત છે, કર્મ જ તેનો પ્રભાવ છે, કર્મ તેનો બળ્યું અને કર્મ જ તેનો સહારો છે.” "कमस्सका माणव सत्तां कम्मदायादा મ્પલાની ખેવન્યુ Hપરિસરી ...." Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy