SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના સુત્તન્તમાં ઉદાયી સાથેની ચર્ચામાં પ્રણીતતર વર્ણ અને જનપદકલ્યાણીના દૃષ્ટાંતો દ્વારા ઈશ્વરના અસ્તિત્વ વિશેની માન્યતા કેવી નિરર્થક છે તે સ્પષ્ટ કર્યું છે. ઈશ્વરના સર્વત્કૃત્વ અને સર્વજ્ઞાનનો સ્વીકાર કરીએ તો સુખદુઃખોત્પાદમાં સર્વથા અસમર્થ અજ્ઞ જીવને ઈશ્વરપ્રેરિત થઈને જ સદ્ કે અસદ્ વ્યવહારમાં પ્રવૃત્ત થાય છે તેમ માનવું પડે. ગૌતમ બુદ્ધ આ મતનો સ્વીકાર કરતા નથી. સુખદુઃખ વગેરે ઈશ્વરકર્તુત્વ કે ભાગ્યાધીન નથી. વિશ્વમાં ચાલતી પ્રવૃત્તિઓ ઈશ્વરનિર્મિત હોઈ શકે નહિ. અન્યથા હિંસા, ચોરી, અસત્ય ભાષણ આદિ અનેક દષ્કૃત્યો ઈશ્વરકૃત હોવાનું સિદ્ધ થાય પણ ઈશ્વર વિશેની જે સંકલ્પનાઓ છે, તે સાથે આ સુસંગત નથી. સર્વ પરિસ્થિતિ અને સંજોગોને ઈશ્વરકર્તૃત્વ માનવાથી મનુષ્યો અકર્મણ્ય બની જાય. સદ્ કર્મો પ્રત્યેની શ્રદ્ધા ક્ષીણ થઈ જાય અને મનુષ્ય અસદુ કર્મો દ્વારા પણ સુખપ્રાપ્તિ કરવા માટે તત્પર બને ! ઈશ્વર અને ભાગ્યને જીવનનાં પ્રેરક બળ તરીકે સ્વીકારવાથી કેવી વિષય સ્થિતિ સર્જાઈ શકે, તેનું વિસ્તૃત વર્ણન ગૌતમ બુદ્ધ કર્યું છે. તે કહે છે : આ સંસારમાં એવા પણ શ્રમણ બ્રાહ્મણો છે કે જે આ પ્રમાણેનો મત ધરાવે છે - પ્રાણીઓના ચિત્તના ઉત્પાદ માટે કોઈ હેતુ કે કોઈ નિમિત્ત નથી ! એવી રીતે પ્રાણીઓની ચિત્તવિશુદ્ધિ માટે પણ કોઈ હેતુ કે નિમિત્ત નથી, તે ચિત્તક્લેશ કે ચિત્તની વિશુદ્ધિ અહેતુક કે અનિમિત્તક હોય છે. પુરષો માટે બળ, પરાક્રમ, વીર્ય કે દૃઢતાની આવશ્યકતા નથી. સર્વ પ્રાણીઓ, સર્વ સત્વો, સર્વ ભૂતો, સર્વ જીવો અબળ અને અવશ થઈને ભાગ્યને અનુસરીને, ભાગ્યવશાત્ છ પ્રકારની અભિજાતિઓમાં ઉત્પન્ન થઈને સુખદુઃખનો અનુભવ કરે છે, 'પણ ગૌતમ બુદ્ધે આ મતનો સ્પષ્ટ વિરોધ કરતા જણાવ્યું હતું કે પ્રાણીઓના ચિત્તવિકાર અને ચિત્તશુદ્ધિ માટે નિશ્વિત કારણ અને નિમિત્ત હોય છે...પુરુષોના બળ, વીર્ય, દૃઢતા અને પરાક્રમની પણ આવશ્યકતા હોય છે. સર્વ પ્રાણીઓ કે સત્ત્વો વિવશ, નિર્બળ અને સામર્થ્યરહિત બનીને અવશપણે નહિ, પરંતુ પોતાના કર્માનુસાર સંચિત પ્રારબ્ધાનુસાર છ પ્રકારની અભિજાતિઓમાં જન્મ લઈને સુખદુ:ખનો અનુભવ કરે છે. આ વિચારસરણીને-આ દષ્ટિને જ તેમણે સમ્યગદષ્ટિ કહી છે. મનુષ્યનાં કર્મો જ તેના ” જીવનનું ઘડતર કરે છે. આ પ્રમાણે ઈશ્વરવાદ કે નિયતિવાદનો સ્વીકાર કરવાથી મિથ્યા દૃષ્ટિનો વિશ્વાસ રાખવાને કારણે અનેક પાપમય અકુશળ ધર્મ ઉત્પન્ન થાય છે. અને તેથી વિપરિત સમ્યમ્ દષ્ટિમાં વિશ્વાસ રાખવાથી અનેક પુમય કુશળ ધર્મો ઉત્પન્ન થાય છે, જેથી વ્યક્તિ અને સમષ્ટિનું જીવન સુસંવાદી બને છે. કર્મવાદ: સંસારમીમાંસામાં કર્મનું પ્રધાન્ય સર્વસંમત રીતે સ્વીકારાયું છે. વિશ્વમાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy