________________
૪૦
વિવિધા
આગલી ક્ષણમાં અનુયત રૂપથી પ્રવાહિત રહે છે. તેથી અનિયતાને માનતા હોવા છતાં બુદ્ધ પુનર્જન્મનો સ્વીકાર કર્યો છે. પ્રત્યેક અનુવર્તી સ્કંધ પોતાના પૂર્વવર્તી સ્કંધ પર આશ્રિત છે. ન આત્મવાદ ન અનાત્મવાદ :
ગૌતમ બુદ્ધ તેમના સમયમાં પ્રચલિત આત્મવાદનું ખંડન કર્યું છે. તેમણે કેવળ અનાત્મભૂત તત્ત્વોમાં આત્મા ન જોવાનો ઉપદેશ આપ્યો છે, આત્માનો સર્વથા અસ્વીકાર કર્યો નથી. તેમને વાસ્તવિક રીતે તો એ અભિપ્રેત હતું કે ન આત્મવાદ તાત્વિક છે, ન અનાત્મવાદ. આત્માને અહંકારયુક્ત ચિત્તનો દ્યોતક માન્યો છે, આત્માનું સર્વથા નિરાકરણ કર્યું નથી.
બૌદ્ધ ધર્મમાં વ્યવહારિક રૂપથી આત્માનો નિષેધ કર્યો નથી, પણ પારમાર્થિક રૂપથી જ તેનો નિષેધ કર્યો છે, ખરેખર તો આ પ્રશ્નને તેમણે અ-વ્યાકૃત જણાવ્યો છે. આત્મા, રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર તથા વિજ્ઞાન એ પાંચ સ્કંધોનો સમુદાય માત્ર છે. પરંતુ તેનાથી અતિરિક્ત આત્મા કોઈ સ્વતંત્ર પરમાર્થભૂત પદાર્થ નથી. આત્માનું અસ્તિત્વ કોઈ પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ કે અનુમાનપ્રમાણથી સિદ્ધ કરી શકાતું નથી. કોઈ પણ સત્વ કોઈ આત્મા નથી, કેવળ હેતુ-પ્રત્યયજનિત ધર્મ છે, સ્કંધ, આયતન અને ધાતુ છે. જેવી રીતે અગ્નિ ઇંધણથી અન્ય નથી કે નથી અનન્ય, તેવી રીતે આત્મા અને શરીર અલગ નથી. આત્મા વિશેના પ્રચલિત ખ્યાલોનો તેમણે અસ્વીકાર કર્યો છે, પરંતુ જીવનપ્રવાહની અવિચ્છિન્નતાનો તેમણે નિષેધ કર્યો નથી. વાસ્તવિક રીતે જેને એ ચિત્તપ્રવાહ, વિજ્ઞાન કે જીવનપ્રવાહ કહે છે તેનો-સર્વ પ્રકારના આસવો અને અવિદ્યાના નાશ દ્વારા-નિરોધ કરવાનો બોધ તેમણે વારંવાર આપ્યો છે. અર્થાત્ જન્મમરણની પરંપરા કે ભવનિષેધ દ્વારા જ તેમણે સર્વ પ્રકારના દુઃખ અને અનુશયોમાંથી વિમુક્તનો નિર્દેશ કર્યો છે. ઈશ્વર અને નિયતિવાદનો અસ્વીકાર :
ગૌતમ બુદ્ધ ઈશ્વર અને નિયતિવાદનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો હતો. તે ઈશ્વરને સૃષ્ટિના કર્તા કે સંચાલક માનતા નથી. બ્રાહ્મણોએ કહેલો ઈશ્વરવાદ તેમની દૃષ્ટિએ અંધવેણી પરંપરા જેવો છે. એક જ પંક્તિમાં અન્યોન્યના આશ્રયે સ્થિત અંધજનોમાં આગળનો અંધજન કશું જોઈ શકતો નથી. તેવી જ રીતે વચ્ચે ઊભેલો કે પાછળનો અંધજન પણ કશું જોઈ શકતો નથી. તેવી રીતે ઈશ્વરવાદી પણ અદષ્ટ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યા વગર જ પરંપરાવશાત ઈશ્વરને સ્વીકારે છે. પરંતુ જે ઈશ્વરનો સ્વયં સાક્ષાત્કાર થયો ન હોય તેના અસ્તિત્વને કેવી રીતે પ્રમાણી શકાય ?
જે શ્રમણ-બ્રાહ્મણો ઈશ્વરનું અસ્તિત્વ હોવાનું જણાવે છે તે શ્રમણ-બ્રાહ્મણો પણ ઈશ્વરના સ્વરૂપ વિશે વર્ણન કરી શકતા નથી. ગૌતમ બુદ્ધ “ચૂલ-સકુલદાયી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org