________________
બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના
૩૯
થાય તેવી ભાવના કરવાનો બોધ આપે છે.
ગૌતમ બુદ્ધ આત્માને અનિત્ય સ્કંધોના સમૂહરૂપે વર્ણવ્યો છે. નિત્ય આત્માના અભાવમાં, કર્મફળનું કર્તૃત્વ, લોકતૃત્વ, જન્માન્તરગ્રાહિત્ય, જાતિસ્મરણ વગેર વિશેના પ્રશ્નો સ્વાભાવિક રીતે જ ઉદ્ભવે છે.
ગૌતમ બુદ્ધે પ્રતીત્યસમુત્પાદ અને મધ્યમમાર્ગ દ્વારા આ પ્રશ્નોનું સમાધાન કરાવ્યું છે.
આપણે જે કુશળ કે અકુશળ કાયિક-વાચિક-માનસિક કર્મો કરીએ છીએ. તે સર્વનું ઉદ્ગમ આપણું મન છે. વૈષયુક્ત કે રાગયુક્ત કર્મો કરતા આપણા મનોભાવો પણ રાગ-દ્વેષયુક્ત બને છે. મનોભાવોની આ પરંપરા શૈશવથી મૃત્યુ પર્યત ચાલે છે. ગૌતમ બુદ્ધ જણાવે છે કે આ પરંપરા જન્મ પહેલા પણ હતી અને મૃત્યુ બાદ પણ રહે છે. મૃત્યુથી એનો ઉપચ્છેદ થતો નથી. મૃત્યુ કેવળ એ ક્ષણને સૂચિત કરે છે, જયારે નવીન પરિસ્થિતિમાં નવીન કર્મસમૂહનો વિપાક થાય છે. જયાં સુધી તૃષ્ણાના ક્ષયથી આ ચિત્તપ્રવાહ કે ચિત્ત-સંતતિ વિશૃંખલિત થઈને નિર્વાણને પ્રાપ્ત કરતી નથી, ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહે છે.
ગૌતમ બુદ્ધ આત્માની સ્વતંત્ર સત્તાનો નિષેધ કર્યો છે. પરંતુ તે મન અને માનસિક વૃત્તિઓની સત્તા સ્વીકારે છે. આત્માનો અનુભવ પણ માનસિક વ્યાપારોથી જ થાય છે.
સાતિદેવપુત્ર ભિક્ષુના સંદેહનું સમાધાન કરતા તથાગતે સમજાવ્યું હતું કે વિજ્ઞાન પ્રતીત્યસમુત્પન્ન છે. વર્તમાન ભવનું અંતિમ વિજ્ઞાન વિલીન થાય છે અને દ્વિતીય જન્મનું-આગળના જન્મનું પ્રથમ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી ન તો તે જ સત્વનું અસ્તિત્વ રહે છે ન તો અન્ય જીવ ઉત્પન્ન થાય છે.
મિલિન્દપ્રશ્નમાં નાગસેન કહે છે કે વ્યક્તિ શૈશવમાંથી વૃદ્ધિ પામીને વૃદ્ધત્વ મેળવે છે. આ બંને અવસ્થાઓમાં વ્યક્તિ એક જ હોવા છતાં એક નથી; અવસ્થાભેદને કારણે તેને એકબીજાથી ભિન્ન કે અભિન્ન કરી શકતા નથી. તેવી રીતે પુનર્જન્મ લેનાર વ્યક્તિ પૂર્વ જન્મથી ન ભિન્ન છે, ન અભિન્ન છે. ( ર ો ન ર મ ) ધર્મોના નિબંધ પ્રવાહથી એક ઉત્પન્ન થાય છે અને બીજો નિરોધ પામે છે. આ ઉત્પાદ અને નિરોધ યુગવત પ્રતીત થાય છે. તે નામ-રૂપ દ્વારા કુશળ-અકુશળ કર્મ કરે છે અને કર્મો દ્વારા એક અન્ય નામ-રૂપ ઉત્પન્ન થાય છે. તે જ સસરણ કરે છે.અને અન્ય કર્મોના નિઃશેષ થઈ જવાથી આ સંસરણ સમાપ્ત થાય છે.
કોઈ વસ્તુના અસ્તિત્વની પરંપરામાં એક એક અવસ્થા ઉત્પન્ન થાય છે અને તેનો લય થાય છે : આ પ્રમાણે પ્રવાહ નિરંતર વહેતો રહે છે. એ રીતે કર્મનો પ્રવાહ પણ સતત વહેતો રહે છે. પ્રતિક્ષણમાં કર્મો નાશ પામતાં જાય છે, પરંતુ તેની વાસના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org