________________
૩૮
વિવિધા
સૃષ્ટિનાં ચર-અચર તત્ત્વો પર રહેલો છે.
તથાગતે અનેક પ્રકારના પ્રચલિત આત્મવાદનું ખંડન કર્યું છે કે જે આત્મવાદ, વસ્તુતઃ વિષયો પ્રત્યેના અહંકાર મમકારરૂપે અથવા મૂળ અવિદ્યા અને અધ્યાસના પરિણામરૂપે ઉદભવ્યો હતો. આ પ્રયોજનથી જ તેમણે વારંવાર દેહ અને મનના સમગ્ર પ્રપંચોને અનાત્મભૂત અને હેય કહ્યા છે, પરંતુ તે સાથે જ તેમણે ઉચ્છેદવાદનું ખંડન કર્યું છે.
કેટલાક ચિંતકો એમ માને છે કે “આ' લોક કે પરલોક નથી.. પુરુષ ચાતુર્મહાભૂતિક છે. અને મૃત્યુ બાદ તે મહાભૂતમાં ભળી જાય છે, તેથી પાપ-પુણ્યનો સ્વીકાર નહિ કરીને સર્વ પ્રકારના ભોગ ભોગવવા જોઈએ. ઉપર
પરંતુ ગૌતમ બુદ્ધ આ માન્યતાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. તેમણે પાપ-પુણ્યના વિપાકનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. સત્વોના ચિત્તના સંકલેશનો અને વિશુદ્ધિનો પ્રત્યય હોય છે. પ્રત્યયને કારણે જ તે સંકલેશ કે વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. પુરુષ નિયતિના વશમાં હોવાને કારણે નહિ, પરંતુ પોતાના બળ, પરાક્રમ, વીર્ય અને દૃઢતાને કારણે જ છે કે અભિજાતિઓમાં ઉત્પન્ન થઈને સુખ-દુઃખનો અનુભવ કરે છે. આ પ્રમાણે જન્મ અને સુખ-દુઃખ માટે “હેતુ છે’,-એ જે દૃષ્ટિ છે, તે તેમની સમ્યમ્ દષ્ટિ છે, તેને કારણે તેઓ કુશળ ધર્મોનું ગ્રહણ કરીને અકુશળ સ્થાનથી વંચિત બને છે.
અહીં ગૌતમ બુદ્ધ પ્રાણીઓની કર્માનુસાર ઉત્પત્તિનો ઉલ્લેખ કર્યો છે. બૌધિપ્રાપ્તિ પછી અમાનુષ દિવ્ય ચક્ષુથી તેઓ મૃત્યુ પામતા અને ઉત્પન્ન થતા, સુગતિપ્રાપ્ત કે દુર્ગતિ પ્રાપ્ત જીવોને જોઈ શકતા હતા, તેવું વર્ણન તેમણે આપ્યું છે, ત્યાં પણ તેમણે પુનર્જન્મનો સ્પષ્ટ સ્વીકાર કર્યો છે. કુકકુરવત્તિક-સુતીમાં પણ સત્ત્વના “આગળના જન્મ'નો નિર્દેશ છે
ગૌતમ બુદ્ધ ઈશ્વર અને નિયિતનો સ્વીકાર કરતા નથી પણ કર્મફળને મહત્ત્વ આપે છે. મૂર્ખ અને પંડિત સર્વને આવાગમનમાં પડીને દુઃખનો અંત કરવો પડે છે. કુશળ ને અકુશળ કર્મોના પરિપાક રૂપે ઉદ્ભવતી જન્મ પરંપરા કે ભવના નિરોધને તેમણે સંભવિત હોવાનું જણાવ્યું છે. મનુષ્ય પ્રજ્ઞાપ્રાપ્તિ દ્વારા ભવનો નાશ કરી શકે છે. ભવનિરોધને શક્ય માનવાથી જ સત્ત્વ અકુશળ ધર્મનો ત્યાગ કરીને કુશળ ધર્મ કરવા પ્રેરાય છે.
“ભવ-નિરોધ સર્વથા નથી હોતો'- આ દષ્ટિ રાગ, સંયોગ, અભિનંદન અને ઉપાદાન માટે પ્રેરનારી છે. જયારે “ભવનિરોધ” સર્વથા હોય છે એ દષ્ટિ અ-રાગ, અસંયોગ, અન-અભિનંદન, અન-અધ્યવસાન અને અન-ઉપાદાન તરફ પ્રેરે છે. તેથી તે જન્મ-મરણથી વિરક્ત બનીને તેનો નિરોધ કરે છે.
આ જ સંદર્ભમાં સારિપુત્ર અનાથપિંડિકને વિજ્ઞાન પરલોકમાં નિશ્ચિત ન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org