________________
બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના
‘ન-ઉત્પન્ન થાય છે’,‘ન-ઉત્પન્ન નથી થતા’ તેવું પણ જાણી શકાતું નથી.
આત્માનો સ્વીકાર કરવાથી વ્યક્તિ આત્મા પ્રત્યે આસક્ત બને છે, તેથી નિર્વાણ પ્રાપ્ત કરી શકતો નથી. અત્તભાવ (આત્માભાવ) અહંભાવનો પણ પર્યાય બની રહે છે. તેથી તેનો પરિત્યાગ નિર્વાણોન્મુખ ભિક્ષુને માટે અપરિહાર્ય છે. આત્મવાદને કારણે પુનર્જન્મ અને અનેક પ્રકારની અપેક્ષાઓ તૃષ્ણાઓ પ્રાદુર્ભૂત થાય છે.
આ સર્વ શ્રમણ-બ્રાહ્મણ ઉર્ધ્વસર-આગલા જન્મની યાત્રાનું અનુસરણ કરનારા હોય છે. પુનર્જન્મનો લોભ અને આસક્તિને કારણે ‘મૃત્યુ બાદ આ પ્રકારે હોઇશ કે
તે પ્રકારે હોઇશ’...એવી રીતે વિચારે છે. જેવી રીતે વણિક વ્યાપાર માટે જાય છે ત્યારે ‘આનાથી આટલો લાભ થશે, આનાથી આ લઈશ...' એવી ગણત્રી કરે છે તેવી રીતે શ્રમણ-બ્રાહ્મણો પુનર્જન્મમાં યથેચ્છ પ્રાપ્તિ માટે ગણત્રીપૂર્વક કર્મ-ક્રિયાકાંડ-વિધિવિધાન આદિ કરે છે. જેવી રીતે થાંભલા સાથે બાંધેલો કૂતરો તે થાંભલાની આસપાસ જ ચક્કર માર્યા કરે છે, તેવી રીતે શ્રમણ-બ્રાહ્મણોનાં સર્વ કાર્યો આત્મવાદપ્રેરિત હોય છે.
39
આ જ પ્રયોજનથી ગૌતમ બુદ્ધે અતીતનું અનુગમન કે ભવિષ્યની ચિંતા નહિ કરીને, વર્તમાનમાં પ્રાપ્ત ધર્મોનું નિરાલસ બનીને પાલન કરવાનો ઉપદેશ ‘ભદ્રેકરત્ત સુત્ત'માં આપ્યો છે.
પોતાના વિષયને સ્પષ્ટ બનાવવા તેમણે અનેક આકર્ષક ઉપમાઓ પણ રજૂ કરી છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિ જનપદકલ્યાણીને ચાહે છે, પરંતુ તેના રૂપ, રંગ, વર્ણ, કદ, નિવાસ, નામ વગેરે જાણતા નથી, તેમનું આચરણ કે ચાહના ઉપાહાસાસ્પદ અને અર્થહીન છે તેવી રીતે આત્માના ગુણધર્મથી અપરિચિત યજ્ઞ-યાગાદિ કરનાર વ્યક્તિનું કથન પણ અશ્રદ્ધેય અને નિંદનીય છે.
પરિપૂર્ણ જાણકારી વગર કોઈ વસ્તુ-વિષય વિષે કહેવું ઉચિત નથી.
તે તથાગતના આત્માના અસ્તિત્વ, અનસ્તિત્ત્વ, જન્મ-મરણ વગેરેને પણ અનેકાંશિક ધર્મ કહે છે. તે એમ પણ કહે છે કે આ માન્યતા જ સાર્થક છે, ન ધર્મોપયોગી છે, ન નિર્વેદ અને વૈરાગ્ય કે પ્રજ્ઞાપ્રાપ્તિ માટે છે. અપરિચિત સ્થિતિનું જ આ પરિણામ છે.
પુનર્જન્મ ઃ
બૌદ્ધ ધર્મ નિત્ય આત્માને માનતો ન હોવા છતાં કર્મ અને પુનર્જન્મનો સ્વીકાર કરે છે. પોતાના કર્મને અનુરૂપ પ્રાણી સુખ-દુઃખ ભોગવે છે અને નવો જન્મ ધારણ કરે છે. શુભ કે અશુભ સંકલ્પ કે કર્મ કરવા માટે ચિત્ત સ્વતંત્ર છે. મનુષ્ય અત્યારે જેવો છે તેની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની છે અને ભવિષ્યમાં જેવો થવા ઇચ્છે તેવો થવાનો સંપૂર્ણ આધાર પણ તેના ઉપર છે. પ્રાણીઓના કર્મ અને સંકલ્પોનો પ્રભાવ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org