________________
વિવિધા
બનાવે છે, અને અનેક પ્રકારના સંઘર્ષો થાય છે. કોઈ વ્યક્તિ એમ વિચારે કે આ જ દૃષ્ટિ મને પસંદ છે, અને એ દૃષ્ટિનું પ્રબળતાથી ગ્રહણ (સ્વીકાર) કરીને એમ વિચારે કે આ જ સત્ય છે, અન્ય સર્વ અસત્ય છે, - તો અન્ય દૃષ્ટિવાળા લોકો સાથે વિગ્રહ થશે, વિવાદ થશે, તેનાથી વિધાત (પીડા) અને વિહિંસા પણ થશે. આ પ્રકારે દૃષ્ટિને કારણે વિગ્રહ, વિવાદ, વિધાત અને વિહિંસાને જોતાં આ દૃષ્ટિઓનો પ્રતિનિસ્સર્ગ (ત્યાગ) કરવો જોઈએ.
૩૬
મૃત્યુ બાદની પરિસ્થિતિ વિશે પણ કોઇ પ્રકારના દૃષ્ટિવાદનો આશ્ચય નહિ લેવાનો સ્પષ્ટ આદેશ તેમણે આપ્યો છે. તે માટે વત્સગોત્ર સાથેનો તેમનો સંવાદ નોંધપાત્ર છે.
પરિવ્રાજક ગૌતમ બુદ્ધને ‘વિમુક્ત ભિક્ષુ ક્યાં ઉત્પન્ન થાય છે ?’ એમ પૂછે છે ત્યારે ગૌતમ બુદ્ધ ‘તેવો ભિક્ષુ ઉત્પન્ન થાય છે’ અથવા ‘ઉત્પન્ન થતો નથી.' અથવા ‘ઉત્પન્ન થાય છે તેવું નથી’ અથવા ‘ઉત્પન્ન થતો નથી, તેવું પણ નથી.’- એવો અર્થ ગંભીર, દુર્રોય, દુર્બોધ લાગે તેવો ઉત્તર આપે છે - તેનો અર્થ સ્પષ્ટતાથી સમજાવવા ગૌતમ બુદ્ધ વત્સગોત્રને પરિપ્રશ્ન પૂછે છે : ‘વત્સ, તારી સમક્ષ આગ લાગે, તો તું જાણી શકે કે આ આગ લાગી છે ?'
‘હા, ગૌતમ !હું જાણી શકું કે આગ લાગી છે.’
‘તે આગ કયા ઉપાદાનને આધારે લાગી છે ?’
‘તે આગ તૃણ -કાષ્ટ રૂપી ઉપાદાનને આધારે લાગેલી છે.'
‘વત્સ, એ અગ્નિ તારી સમક્ષ જ શાંત થઈ જાય, હોલવાઈ જાય તો, તું જાણીશ કે આ આગ હોલવાઈ ગઈ છે.’
‘હે ગૌતમ, મારી સમક્ષ આગ હોલવાઈ જાય તો હું જાણીશ કે આગ હોલવાઈ ગઈ છે.'
‘હે વત્સ, તને એમ પૂછવામાં આવે કે, આ આગ કઇ દિશામાં ગઈ-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણમાં ? એવું પૂછવાથી હે વત્સ, તું શો ઉત્તર આપીશ ?’
હે ગૌતમ, તે જાણી શકાતું નથી. જે આગ પૃષ્ણ-કાષ્ટના ઉપાદાનને કારણે પ્રજ્જવલિત થઈ, તે તૃણ-કાષ્ટના અનુપહાર (ન મળવાથી) વગર હોલવાઈ ગઈ (નિવૃત્ત નિર્વાણપ્રાપ્ત થઈ ગઈ) એમ જ કહેવાય છે.
તેવી જ રીતે હે વત્સ, તથાગતનો નિર્દેશ કરતી વખતે જે રૂપથી (સાથે વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાનનું પણ આ રીતે ઉમેરવું) તેમનો નિર્દેશ થતો હતો, તે રૂપ જ તથાગતનું પ્રહીણ થઈ ગયું, ઉચ્છિન્ન-મૂળ, થઈ ગયું છે. વત્સ, તથાગત રૂપસંજ્ઞાથી મુક્ત, મહાસમુદ્રની જેમ ગંભીર, અ-પ્રમેય, દુરગવાહ્ય છે. તેથી ત્યાં તે ‘ઉત્પન્ન થયા છે’- એમ જાણી શકાતું નથી. ‘ઉત્પન્ન નથી થયા’ તેવું જાણી શકાતું નથી,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org