SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના ૩૫ શાશ્વત છે” અથવા “લોક અશાશ્વત છે” – “આ તેમાંથી એક પણ દૃષ્ટિને ગ્રહણ કરતો નથી.'...વત્સ, લોક શાશ્વત છે...(વગેરે માન્યતાઓ) દૃષ્ટિગત, દષ્ટિગહન, દૃષ્ટિકાન્તાર, દષ્ટિવિશૂક, દષ્ટિવિસ્પંદિત, દષ્ટિસંયોજન છે. તે દુઃખમય, વિઘાતમય, ઉપાયાસમય, પરિદાહમય છે. તે ન નિર્વેદ માટે છે, ન વૈરાગ્ય માટે, ન નિરોધ માટે, ન ઉપશમન માટે, ન અભિજ્ઞા માટે, ન સંબોધ માટે, ન નિર્વાણ માટે છે. આ દોષ (આદિનવ) ને જોવાથી હું આ સર્વ દષ્ટિઓને ગ્રહણ કરતો નથી. “લોક શાશ્વત છે કે નહિ”, “આત્મા અને ઈશ્વર છે કે નહિ'- તે સર્વ પ્રશ્નોને ગૌતમ બુદ્ધ અ-વ્યાકૃત બતાવ્યા હતા. તે માટે તેમણે બાણથી વીંધાયેલા પુરુષનું દષ્ટાંત રજૂ કર્યું હતું. કોઈ પુરુષ તીવ્ર વિષથી યુક્ત બાણથી વીંધાય, તેનાં સંબંધી સ્વજનો તેને માટે શલ્ય ચિકિત્સકને બોલાવે ત્યારે તે ઘાયલ થયેલો પુરુષ એમ કહે કે જ્યાં સુધી મને વિંધનારો પુરુષ ક્ષત્રિય છે, બ્રાહ્મણ છેવૈશ્ય છે કે શૂદ્ર છે એ વાતની ખબર ન પડે ત્યાં સુધી હું શલ્ય કાઢવા દઈશ નહિ. તે પુરુષનું નામ-ગોત્ર તેનું સ્વરૂપ, તે ગૌર વર્ણન છે કે શ્યામ, તેણે મારેલું શલ્ય, ધનુષ્ય, બાણની પણછ-એ દરેક વિશેની સ્પષ્ટ વિગત મને નહિ મળે ત્યાં સુધી હું બાણને કાઢવા નહિ દઉં : ગૌતમ બુદ્ધ જણાવે છે તેમ આ બધી હકીકતોને જાણવાનો આગ્રહ રાખીને તે વિદ્ધ પુરુષ ચિકિત્સા શરૂ નહિ કરે તો, સ્વાભાવિક છે કે મૃત્યુ જ પામે તે માટે ચિકિત્સા મહત્ત્વની છે, બાણ મારનારની જાતિ, સ્વરૂપ કે ધનુષ્ય, બાણ કે પણછ અંગેની માહિતી નહિ. તેવી રીતે આ વિવિધ વાદવિવાદની સ્પષ્ટતા થાય તો જ બ્રહ્મચર્યવાસ થઈ શકે અન્યથા નહિ, તેવું નથી. ગૌતમ બુદ્ધ કહે છે : માલુક્યપુત્ત ! ભલે “લોક શાશ્વત છે– એ માન્યતા રહે અથવા “લોક અશાશ્વત છે' એવી માન્યતા રહે, તો પણ જન્મ તો છે જ, જરા છે જ, મરણ છે જ, શોક-કંદન-વિલાપ-દુ:ખદૌર્મનસ્ય-પરેશાની છે જ, જેના આ જન્મમાં જ, વિઘાતને હું બતાવું છું...તેથી માલુક્યપુર મારા અ-વ્યાકૃત (વચનના અ-વિષયને) ને અ-વ્યાકૃતની રીતે ધારણ કર અને મારા વ્યાકૃતને વ્યાકૃતની રીતે ધારણ કર....લોક શાશ્વત છે. એ મારું અવ્યાકૃત છે. (કારણ કે)...(તનું વ્યાકરણ, કથન) તે સાર્થક નથી, આદિ-બ્રહ્મચર્ય ઉપયોગી નથી. તો તે નિર્વેદ, ઉપશમ, અભિજ્ઞા, સંબોધ, નિર્વાણ માટે આવશ્યક છે. તેથી મેં તેને અવ્યક્ત કર્યું... આ દુઃખ છે,...દુઃખ સમુદય છે. દુઃખ નિરોધ છે... દુઃખ નિરોધ ગામિની પ્રતિપદ છે...તેને વ્યાકૃત ક્યે...(કારણ તેનું કથન)...સાર્થક છે. આદિ-બ્રહ્મચર્ય-ઉપયોગી છે, તે નિર્વાણ માટે આવશ્યક છે, તેથી તેને વ્યાકૃત કર્યું છે. આ દૃષ્ટિવાદ કે આત્મા વિશેના મતમતાન્તરો વ્યક્તિના અહંભાવને પ્રબળ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy