________________
વિવિધા
ચિત્ત જ આત્મા છે. તે સ્વભાવથી પરિશુદ્ધ અને પ્રકાશમય છે. તેના પરના મિલન આવરણોનો લોપ કરીને તેને શુદ્ધ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત ક૨વા માટે ગૌતમ બુદ્ધે વારંવાર ઉપદેશ આપ્યો છે.
૩૪
સર્વ જગત પ્રતીત્યસમુત્પન્ન હોવાથી તેમાં આત્મભાવ રાખી શકાય નહિ, તેવી રીતે ઇન્દ્રિયોમાં પણ આત્મભાવ રાખવો યોગ્ય નથી.
જે શ્રમણો-બ્રાહ્મણો આ ઇન્દ્રિયોમાં ‘આ મારું છે,’‘આ હું છું,'‘આ મારો અત્મા છે' એવો આત્મભાવ રાખે છે એ આત્મવાદની ઉત્પત્તિના હેતુરૂપ-કારણરૂપ બને છે. તે સત્કાયસમુદય તરફ લઈ જનારી પ્રતિપદા છે. તેને પરિણામે સર્વ પ્રકારના અનુશયો અને દુઃખા ઉત્પન્ન થાય છે.
આત્માને નિત્ય માનવાથી, આત્માનો સ્વીકાર કરવાથી અમુક વસ્તુઓ આત્મીય હોવાનો ભાવ જાંગે છે. પરંતુ તેને ગૌતમ બુદ્ધે ‘બાલ-ધર્મ' કહ્યો છે. ‘વેવતો પરિપૂરો વાતધમ્મો !'
કારણ રૂપાદિ અનિત્ય અને વિપરિણમી હોવાથી દુઃખરૂપ છે. તેથી આર્ય શ્રાવકે ‘તે મારું છે,’‘તે હું છું’,‘તે મારો આત્મા છે’ – એવો ભાસ રાખવો જોઈએ નહિ. તે દરેકમાં નિર્વેદ રાખે છે અને રાગરહિત બને છે, રાગ નષ્ટ થવાથી તે વિમુક્ત બને છે.
શ્રમણ-બ્રાહ્મણોમાં લોકના શાશ્વત-અશાશ્વત હોવા અંગે અનેક પ્રકારના મતભેદો પ્રવર્તતા હતા. આત્મા વિશેની આ છ દૃષ્ટિઓ પ્રચલિત હતી :
(૧) આ મારો આત્મા છે. (૨) મારી અંદર આત્મા નથી. (૩) આત્માને જ આત્મા સમજુ છું. (૪) આત્માને જ અનાત્મા સમજું છું. (૫) અનાત્માને આત્મા સમજું છું. (૬) અથવા-આ મારો આત્મા અનુભવકર્તા છે. અનુભવવા યોગ્ય છે, પોતાના સારાં-ખોટાં કર્મોનું પરિણામ ભોગવે છે - તે મારો આત્મા નિત્ય, શાશ્વત, અપરિવર્તનશીલ છે.
લોકની શાશ્વતતા અને તથાગતના અસ્તિત્વ વિશેની વિચારસરણીનું પણ વિસ્તારથી આલેખન થયું છે.
(૧) લોકશાશ્વત છે. (૨) લોક અશાશ્વત છે. (૩) લોક અન્તવાન છે. (૪) લોક અન્તરહિત છે. (૫) તે જ જીવ છે, તે જ શરીર છે. (૬) જીવ અન્ય છે, શરીર અન્ય છે. (૭) તથાગત (બુદ્ધ) મૃત્યુ બાદ હોય (રહે) છે. (૮) તથાગત મૃત્યુ બાદ હોતા નથી. (૯) તથાગત મૃત્યુ બાદ હોય છે પણ ખરા અને નથી પણ હોતા. (૧૦) તથાગત મૃત્યુ બાદ હોતા નથી; નથી હોતા તેવું પણ નથી.
શ્રાવસ્તીના અનાથપિંડિકના આરામ જેતવનમાં પરિવ્રાજક વત્સગેાત્ર સાથે
આ વિવિધ ધારણાઓ વિશે પોતાનો અભિપ્રાય આપતા ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે ‘લોક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org