SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના ૩૩ પાંચ ઉપાદાનસ્કંધો-રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાનને સત્કાય કહે प च खो इमे...उपादानस्कन्धा तक्कायो चुत्तो भगवना...सपुपादानस्कन्धो, वेदनुपादानस्कन्धो, स उपादानस्कन्धो, सडखारुपादानस्कन्धो, विणुपादानस्कन्धो...इमे खरे..प चुपादानस्कन्धो सक्कायो तुत्तो भगवता । ચરાચર જગતનું ઉપાદાનકારણ રૂપ...વગેરે વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન- એ પાંચ સ્કંધોમં વહેંચાયેલું છે. તેને નામરૂપ પણ કહે છે. તેમાં વેદના, સંજ્ઞા અને સંસ્કાર-વિજ્ઞાનની જ અવસ્થા વિશેષ હોવાથી તને રૂપ અને વિજ્ઞાન એમ બે સ્કંધોમાં વિભક્ત કરી શકાય છે. વિજ્ઞાનને જ નામ કહેવામાં આવે છે. આ પાંચ સ્કંધ વિશે જ્યારે વ્યક્તિને અનુલક્ષીને વિચારવામાં આવે છે ત્યારે તેને ઉપાદાનáધ કહે છે. સ્કંધથી પર જીવ કે ચેતન કોઈ પદાર્થ નથી. “પાંચ ઉપાદાન સ્કંધથી બનેલી આ કાયામાં સત્તા (સત્ કાય) આત્માન્ત હોય છે તે મિથ્યા જ્ઞાન છે. સત્કાય-સમુદયઃ સુખ સંબંધ ઇચ્છાથી સંયુક્ત પ્રત્યેક વિષયોના ઉપભોગનું અભિનંદન કરનાર, આવાગમનની જે તૃષ્ણા છે - કામ, ભવ અને વિભવતૃષ્ણા. તેને સત્કાયસમુદાય એટલે કે આત્મભાવનું કારણ કહે છે. સત્કાયનિરોધ : તૃષ્ણાનો સંપૂર્ણતયા વિનાશ, વિરાગ, ત્યાગ, મુક્તિ તે છે સત્કાયનિરોધ. સત્કાયનિરોધગામિની પ્રતિપદ - આર્ય અષ્ટાંગિક માર્ગ તે સત્કાયનિરોધગામિની પ્રતિપદ છે. તે આત્માના ખ્યાલનો નાશ કરે છે. વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન-આ ચાર અરૂપી સ્કંધ છે. અને રૂપ રૂપી સ્કંધ છે. જ્યારે આપણે “પુરુષ' છે એમ કહીએ છીએ ત્યારે આ સ્કંધોના સમૂહની જ વાત કરીએ છીએ. સૂક્ષ્મ ભેદો વ્યક્ત કરવા જીવ-જંતુ, પશુ-પક્ષી, મનુષ્ય આદિ સંજ્ઞાઓ આપવામાં આવી છે. બૌદ્ધ ધર્મમાં આત્માનો પ્રતિષેધ કરવામાં આવે છે. સત્વની ઉપલબ્ધિ પંચવિજ્ઞાન-કાય અને મનોવિજ્ઞાન દ્વારા સ્વીકારી છે. તેમની દૃષ્ટિમાં પુદ્ગલ એક વસ્તુ સત્ છે, એક દ્રવ્ય છે - પરંતુ સ્કંધો સાથેનો તેનો સંબંધ અનિવાર્ય છે. આ પ્રમાણે તે નિત્ય છે અને ન તો અનિત્ય છે. જેને સામાન્ય રીતે આત્મા તરીકે ઓળખવામાં આવે છે તેને બૌદ્ધ ધર્મમાં ચિત્ત, ચિત્તનો પ્રવાહ, ચિત્ત-કે વિજ્ઞાન કહેવામાં આવે છે, તે પ્રતીત્ય સમુત્પન્ન છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે આત્મા શાશ્વત, અપરિવર્તનીય અક્ષણ, પરિશુદ્ધ અને ચિત્તથી પર છે. ગૌતમ બુદ્ધ ચિત્તથી પર એવા કોઈ આત્મતત્ત્વને સ્વીકારતા નથી. તેમની દષ્ટિએ ચિત્ત જ પરમ તત્ત્વ છે. ચિત્તથી પર કોઈ તત્ત્વ નથી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy