SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ વિવિધા નિર્વાણ ક્લેશાભાવરૂપ છે. તૃષ્ણાના ક્ષયને પણ નિર્વાણ કહેવામાં આવે છે. ક્લેશના આવરણનો સર્વથા નાશ થાય છે ત્યારે નિર્વાણનો અનુભવ થાય છે. ગૌતમ બુદ્ધ નિર્વાણને ‘પરમ સુખ કહે છે. “નિબ્બા પર સુરમ્ | ધાતુ વિભંગસુત્તમાં બુદ્ધે કહ્યું છે : ““ભિક્ષુ, એ જ પરમ આર્ય સત્ય છે, જે આ અવિનાશી નિર્વાણ-જે આ રાગ દ્વેષ મોહનું ઉપશાન્ત થવું.” "एसो हि भिक्खु, परमो अरियो उपसमो यदिदं-रागदोसमोहानं उपसमो" આત્મવાદ અને અનાત્મવાદ : ગૌતમ બુદ્ધના સમયમાં આત્મવાદ વિશે વિવિધ મંતવ્યો પ્રવર્તતા હતા. કેટલાક શ્રમણ-બ્રાહ્મણોની-એવી માન્યતા હતી કે શરીરની અંદર અને શરીરની બહાર એક નિત્ય ચેતનશક્તિ છે, જેના પ્રવેશથી શરીરમાં ઉષ્ણતા આવે કેઅને વર્તન કે ક્રિયા બુદ્ધિપ્રેરિત કે જ્ઞાનપ્રેરિત હોવાનું જણાય છે. જ્યારે તે દેહત્યાગ કરીને કર્માનુસાર શરીરાત્તરમાંથી ચાલી જાય છે ત્યારે શરીર શીતળ અને નિષ્ક્રિય બને છે. આ નિત્ય ચેતનશક્તિને તેઓ આત્મા કહેતા હતા. અન્ય કેટલાક આચાર્યો શરીરથી પૃથફ આત્માના અસ્તિત્વને સ્વીકારતા ન હતા. શરીરમાં ભિન્ન ભિન્ન પરિમાણોમાં મિશ્રિત રસોને કારણે ઉષ્ણતા અને ગતિ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે આત્મા શરીરથી ભિન્ન નથી. આત્મા વિશેના બૌદ્ધિક વાદવિવાદોથી વિપથગામી લોકોને ઉપદેશ આપતા ગૌતમ બુદ્ધ આ સમગ્ર જગત અનિત્ય, ભયાવહ અને દુ:ખકારક હોવાનું જણાવીને તેમાં અનાત્મદષ્ટિ રાખવાનો બોધ આપ્યો હતો. તેમણે આત્માને નિત્ય કૂટસ્થ માનવાનો તેમજ શરીરની સાથે જ તેનો વિનાશ થવાની માન્યતાનો પણ અસ્વીકાર કર્યો. તેમના મતે આત્મા કોઈ નિત્ય કૂટસ્થ વસ્તુ નથી પરંતુ યોગ્ય ભૂમિકામાં કંધોના સંયોગથી ઉત્પન્ન થતી એક શક્તિ છે, જે અન્ય બાહ્ય રૂપોથી માફક ક્ષણ ક્ષણ ઉત્પન્ન અને વિલીન થાય છે. ચિત્તના ક્ષણે ક્ષણમાં ઉત્પન્ન અને વિલીન થવા છતાં પણ ચિત્તનો પ્રવાહ શરીરની ચેતનાવસ્થામાં અને મૃત્યુબાદ પણ ચાલુ રહે છે. સત્કાયદષ્ટિ : બુદ્ધમતમાં આત્મા, પુદગલ, ચેતના, વિજ્ઞાન, જીવ, સત્તા વગેરે શબ્દો દ્વારા નિર્દિષ્ટ તત્ત્વ કોઈ સ્વતંત્ર સત્તા નથી, પરસ્પર સંબંદ્ધ અને ધર્મોનું એક સામાન્ય નામકરણ છે, ગૌતમ બુદ્ધ તેને સત્કાય તરીકે પણ ઓળખાવે છે. ' “મઝિમનિકાય'માં સત્કાય, સત્કાયદૃષ્ટિ, સત્કાયનિરોધ અને સત્કાયનિરોધગામિન્તમાર્ગ વિશે ઉપાસક વિશાખ અને ધમ્મદિન્ત ભિક્ષુણી વચ્ચેના ધર્મસંવાદ દ્વારા સંક્ષેપમાં પણ સ્પષ્ટ પરિચય મળે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy