SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના બુદ્ધના વ્યક્તિત્વમાં આપણું ધ્યાન ખેંચે એવી જે એક વસ્તુ છે તે છે તેમનું નખશિખ બુદ્ધિવાદીપણું. અમુક વાત પરંપરાથી ચાલી આવે છે માટે સાચી છે એમ કહેવું એમને ગમતું નહિ. તેઓ હંમેશાં પોતાની માન્યતાઓને બુદ્ધિના મજબૂત પાયા ઉપર જ માંડતા. કહેવાય છે કે તેમણે એકવાર કાલામોને જણાવ્યું હતું કે, “હે કાલામો ! મેં આ તમને કહ્યું, પરંતુ તમે તેનો સ્વીકાર તે કેવળ અનુશ્રુત છે માટે ન કરશો, કેવળ પરંપરાગત છે માટે ન કરશો, કેવળ ભૂતકાળમાં આવી જ વાત કહેવાઈ છે માટે ન કરશો, કેવળ તમારા ધર્મગ્રંથ પિટકને અનુકૂળ છે માટે ન ક૨શો, કેવળ તર્કને માટે ન કરશો, કેવળ નયને માટે ન કરશો, કેવળ વિતર્કને માટે ન કરશો, કેવળ મિથ્યાદૃષ્ટિ પ્રત્યે અણગમો દાખવવા ન કરશો, કેવળ તમને અનુકૂળ છે માટે ન કરશો, કેવળ તેનો કહેનારો શ્રમણ તમારો પૂજ્ય છે માટે ન કરશો, કિન્તુ જો તમે તેને કલ્યાણકર અને નિર્દોષ સમજતા હો અને તેને ગ્રહણ કરવાથી કલ્યાણ અને કુશલ થશે એમ તમને ખરેખર ખાતરી હોય તો જ તમે તેને સ્વીકારજો. ૩૧ બુદ્ધે પોતાના અનુયાયીઓને પણ દૃઢપણે કહ્યું હતું કે, “ડાહ્યા માણસો સોનાને કાપી, તપાવી, ઘસી તેની પરીક્ષા કરીને જ તેને ગ્રહણ કરે છે. તેવી જ રીતે હે ભિક્ષુઓ ! તમે મારાં વચનોને પરીક્ષા કર્યા પછી જ સ્વીકારજો; મારા તરફના આદરને કારણે જ મારાં વચનોને સ્વીકારશો નહિ.” બૌદ્ધધર્મમાં પરમતત્ત્વની જેમ જેને પ્રાપ્ત કરવાનું છે તે નિર્વાણમાં પ્રતીત્યસમુત્પાદ-નિર્દેશિત અવિદ્યાથી પ્રેરિત જન્મ મરણની પરંપરાનો અશેષ નિરોધ થાય છે. વિદ્યાથી-પ્રજ્ઞપ્તિથી ક્લેશ ક્ષીણ થાય છે, એ રીતે સંસાર-ચક્રનો નિરોધ થાય છે. નિર્વાણ એ આત્યન્તિક દુઃખવિમુક્તિની અવસ્થા છે. આર્ય અષ્ટાંગિક માર્ગને નિર્વાણને અમૃતની તરફ લઈ જનારો માર્ગ કહ્યો છે. ચાર સ્મૃતિપ્રસ્થાનોની ભાવનાથી તેની પ્રાપ્તિ થાય છે. નિર્વાણમાં નિઃશેષ સંસ્કારોનું ઉપશમન થાય છે તેથી તેને શાન્ત અથવા શાન્તિપદ પણ કહે છે. તેમાં કોઈ પણ વસ્તુની પૃથગ સત્તા રહેતી નથી. તેની કોઈ પરિભાષા નથી. ‘નાવિષ્ણુ પરિવંત મહેતુમ્ ।' તે ગંભીર, દુર્બોદ્ધ, શાંત, ઉત્તમ અને તર્કરહિત અવસ્થા છે. તેની ઉત્પત્તિ કે નાશ નથી. રાગ-દ્વેષ શોકથી તે પર છે. જ્ઞાનીઓ દ્વારા પોતાની ભીતરમાં અનુભવ કરવાની અવસ્થા છે, તે સ્વયંસેવક છે. આર્ય અષ્ટાંગિક માર્ગની સાધનાથી સર્વ પ્રકારના ક્લેશોમાંથી નિવૃત્તિ મેળવવી તે નિર્વાણ છે. સંસારના કોઈ નિમિત્તો તેને દુ:ખ આપી શકતા નથી, અને સંસારના આવાગમનના ક્રમમાં બદ્ધ કરતા નથી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy