SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધદર્શનમાં પ્રતિપાદિત કર્મસિદ્ધાન્ત ૨૯ છે અથવા તો શ્રીમદ્ ભગવદ્ગીતામાં જે નિષ્કામ કર્મયોગની વાત છે તે ભીતરની શાન્તિ માટે વિચારણીય છે. વૈદિક વિચારધારાનો જીવનપ્રતિ ત્યાગપૂર્વક ભોગનો દૃષ્ટિકોણ છે. તેને ત્ય%ને મુંનથીસુખ-સમૃદ્ધિનો ઉપભોગ અને ઉપયોગ કરવામાં આવે પણ નિર્લિપ્ત થઈને, નિષ્કામભાવથી. શ્રીમદ્ ભગવદગીતામાં આ નિષ્કામ કર્મયોગનો, ફળની આકાંક્ષા રાખ્યા વગર કર્મ કરવાનો ધર્મબોધ આપવામાં આવ્યો છે. તેમાં અનેક રીતે મહત્ત્વ છે. કર્મફળનો ત્યાગ કરીને કર્મ કરવાથી કર્મબંધન થતું નથી. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन..। २/१४७ योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनंजयः ॥ २/१४८ ... અને વિહાર માનું સર્વ કામનાઓને ત્યાગીને, નિર્મમ (મમત્વરહિત), અને નિરહંકાર:- જે કાર્ય કરે છે તે સાત્તિ મધછતિ શાંતિ પ્રાપ્ત કરે છે. બૌદ્ધધર્મમાં આ શાંતિને અર્થાત્ મનની શાંત-નિસ્પદ સ્થિતિ જેને નિર્વાણ કહે છે તેનું જ મહત્ત્વ છે, તે જ જીવનનું લક્ષ્ય છે. આ લક્ષ્ય સિદ્ધ કરવા ગૌતમ બુદ્ધ પણ કર્મફળની આસક્તિ વગર નિર્લેપભાવે કર્મ કરવાનો ઉપદેશ વારંવાર આપ્યો છે. ગૌતમ બુદ્ધ જણાવે છે કે આર્ય ભિક્ષુ ઇન્દ્રિય દ્વારા વિશેય વિષયની અનિત્યતા અને વિકારત્વને સારી રીતે પ્રજ્ઞાથી જાણીને ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે. તે ઇન્દ્રિય દ્વારા પ્રિય વિષયને પ્રાપ્ત કરીને સુખને આવકારતો નથી અને અપ્રિય વિષયને પ્રાપ્ત કરીને દ્વેષયુક્ત થઈને તેનાથી કલાન્ત બનતો નથી. તે આંખથી રૂપને નિહાળીને, શ્રોત્રથી શબ્દ સાંભળીને, ઘાણથી ગંધ પારખીને જિવાથી રસનો આસ્વાદ લઈને, કાયાથી સ્પર્શનું અને મનથી ધર્મનું ગ્રહણ કરીને તેના નિમિત્ત અનુવ્યંજનનું ઉપાદાન કરતો નથી, તેથી રાગ-દ્વેષાદિ અકુશળ ધર્મો ઉત્પન્ન થતા નથી. ભિક્ષુ સર્વ ઇન્દ્રિયોને સુરક્ષિત અને સ્મૃતિને જાગૃત રાખે છે. આ પ્રમાણે ઇન્દ્રિય-સંવરથી યુક્ત થઈને નિર્મળ સુખનો અનુભવ કરે છે. તેવી જ રીતે ભિક્ષુ અતીતકાળનું સ્મરણ કરીને તેમાં આસક્ત થતો નથી, તેનું અનુગમન કરતો નથી અને અનાગતના રૂપાદિમાં અને વર્તમાનમાં પ્રત્યુત્પન્ન ધર્મોમાં પણ આસક્ત થઈને ઉપાદાન કરતો નથી. પૂર્વાન્ત અને પરાન્ત દષ્ટિનું ખંડન કરીને અતીત અને અનાગત જીવન પ્રત્યે અનાસક્ત રહીને વર્તમાનમાં કુશળ ધર્મની પ્રાપ્તિ માટે સતત ઉદ્યોગ કરવાનો કલ્યાણકારી બોધ તેમણે આપ્યો છે. આત્મવાદને કારણે પુનર્જન્મ પ્રત્યે પણ રાગ ઉત્પન્ન થાય છે અને અનેક પ્રકારની તૃષ્ણાઓ અને અપેક્ષાઓથી પ્રેરાઈને કર્મ-ક્રિયાકાંડ-વિધિ-વિધાન વગેરે કરે છે. તેથી સારિપુત્રએ અનાથિપિંડિકના મૃત્યુ સમયે “પરલોક માટે પણ તેનું ચિત્ત આસક્ત ન થાય તે માટે સાવધાન રહેવા જણાવ્યું હતું. ભિક્ષુએ પરલોકનું પણ ઉપાદાન કરવું જોઈએ નહિ. જે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy