SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધા બાહ્ય રૂપોની જેમ તે પણ પ્રતિક્ષણ ઉત્પન્ન અને વિલીન થાય છે. ચિત્તનાં પ્રતિક્ષણ ઉત્પન્ન અને વિલીન થવાની સાથે ચિત્તનો પ્રવાહ શરીરની ચેતનાવસ્થામાં અને મૃત્યુ બાદ પણ પ્રવાહિત રહે છે. જ્યાં સુધી તૃષ્ણાનો સંપૂર્ણ નિરોધ થતો નથી ત્યાં સુધી ચિત્તનો પ્રવાહ અક્ષુણ્ણરૂપે વહેતો રહે છે. અર્થાત્ જન્મ પુનર્જન્મની પરંપરા ચાલુ રહે છે. પુનર્જન્મની ઘટનાને પ્રતિસંધિ પણ કહે છે. ૨૮ પ્રતીત્યસમુત્પાદ : તેથી આ ભવચક્રની પરંપરાને તેમણે પ્રતીત્યસમુત્પાદના બાર અંગો કે નિદાનથી સમજાવી. કાર્ય કારણની શૃંખલા જ જીવન અને તેની ઘટનાઓ માટે નિમિત્ત હોવાનું જણાવ્યું અને એ શૃંખલા માનવસર્જિત હોવાની પણ તેમણે સ્પષ્ટતા કરી. પ્રતીત્યસમુત્પાદ એટલે આ હોવાથી આ બને, કારણથી જ કાર્ય ઘટે છે. તેના બાર નિદાન : અવિદ્યા, સંસ્કાર, વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભવ, જાતિ, જરામણ શોક, પરિવેદના છે. આ હોવાથી આ બને છે, કારણથી કાર્ય સંભવે છે, અવિદ્યા અને તૃષ્ણા જ સર્વ કર્મપરંપરા અને જન્મ પરંપરાના મૂળમાં છે. અસ્મિન્ સતિ ઇદં ભવિત - એ સંદર્ભમાં તેમણે કર્મના સિદ્ધાંતને સમજાવ્યો. આમ સૃષ્ટિના સર્જન અને પરંપરાનું નિયામક બળ આ કાર્યકારણનો સિદ્ધાંત હોવાનું નિર્દેશીને ગૌતમ બુદ્ધે માનવજીવનમાં ઘટતી ઘટનાઓને સમજાવવા માટે કર્મસિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. બુદ્ધ માટે માનવી અને સૃષ્ટિનું સર્જન કોણે કર્યું એ પ્રશ્નનું નહિ પણ નિર્વાણના ધ્યેયને પુરુષાર્થથી, કર્મયોગથી પામવા માટે વિશુદ્ધ જીવનની પ્રાપ્તિ કેવી રીતે થાય એ પ્રશ્નનું મહત્ત્વ હતું. આ અનુસાર સર્વોચ્ચ ઈશ્વર સર્જક હોવાની પરંપરાગત માન્યતા તથા વિશ્વની વસ્તુઓનો વિકાસ તેની સ્વતંત્ર આંતરિક શક્તિને કારણે થાય છે, એવી ભૌતિકવાદીઓની સ્વભાવવાદી માન્યતાઓનું ખંડન કરીને બધું પ્રતીત્ય સમુત્પન્ન હોવાનું જણાવીને ‘કર્મ જ લોકવૈચિત્ર્યમ્” કર્મને કારણે સંસારમાં વિવિધતા છે ઃ ઈશ્વરને કારણે નહિ - તેમ સ્પષ્ટ કર્યું. અન્યથા પુનર્જન્મ હોય કે ન હોય તો પણ સામાજિક દૃષ્ટિએ પણ કર્મના સિદ્ધાન્તનું મહત્ત્વ છે. વ્યક્તિનું સદાચારી હોવુ તે, વ્યક્તિ અને સમષ્ટિ બંને માટેની સલામતી, સુવ્યવસ્થા અને સંવાદિતા માટે જરૂરી છે. શ્રીમદ્ ભગવત ગીતાનો નિષ્કામ કર્મયોગ અને બૌદ્ધધર્મમાં નિરાસ્રવ કુશળ કર્મ :મનુષ્યને કર્મ તો કરવું જ પડે છે, કર્મ વગર તે રહી શકતો નથી. યુજુર્વેદમાં કહેવાયું છે કે વંન્નવે મળિ ખિખિવેષત્ શતં સમાઃ । મનુષ્ય શતાયુ ભગવે, પણ તે કર્મ કરતાં કરતાં જ. શરીરની ક્રિયાહીનતા મનુષ્યને લાચાર કે વિવશ બનાવી દે છે. એટલે કર્મ તો અનિવાર્ય જ છે. તેથી જ બૌદ્ધધર્મમાં જેને નિરાસ્રવ કુશળ કર્મ કહે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy