________________
બૌદ્ધદર્શનમાં પ્રતિપાદિત કર્મસિદ્ધાન્ત
૨૭
કારણે તેને એકબીજાથી ભિન્ન કે અભિન્ન કરી શકતા નથી. તેવી રીતે પુનર્જન્મ લેનાર વ્યક્તિ પૂર્વ જન્મથી જ ભિન્ન છે, ન અભિન્ન (ન ચ સો ન ચ આપ્યો). કર્મોના નિબંધ પ્રવાહથી એક ઉત્પન્ન થાય છે અને બીજો નિરોધ પામે છે. આ ઉત્પાદ અને નિરોધ યુગવત પ્રતીત થાય છે. તે નામ-રૂપ દ્વારા કુશળ-અકુશળ કર્મ કરે છે અને કર્મો દ્વારા એક અન્ય નામ રૂપ ઉત્પન્ન થાય છે. તે જ સસંરણ કરે છે, અને અન્ય કર્મોના નિઃશેષ થઈ જવાથી આ સંસરણ સમાપ્ત થાય છે.
કોઈ વસ્તુના અસ્તિત્વની પરંપરામાં એક એક અવસ્થા ઉત્પન્ન થાય છે અને તેનો લય થાય છે : આ પ્રમાણે પ્રવાહ નિરંતર વહેતો રહે છે. એ રીતે કર્મનો પ્રવાહ પણ સતત વહેતો રહે છે. પ્રતિક્ષણમાં કર્મો નાશ પામતાં જાય છે, પરંતુ તેની વાસના આગલી ક્ષણમાં અનુસ્મૃત રૂપથી પ્રવાહિત રહે છે, તેથી અનાત્મવાદ માનતા હોવા છતાં બુદ્ધ પુનર્જન્મનો સ્વીકાર કર્યો છે. પ્રત્યેક અનુવર્તી સ્કંધ પોતાના પૂર્વવર્તી સ્કંધ પર આશ્રિત છે. મનષ્ય અત્યારે જેવો છે તેની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની છે, કોઈ ઈશ્વર કે નિયતિની નહિ. ઈશ્વરવાદ, નિયતિવાદ અને આત્માવાદનું ખંડન :
ગૌતમ બુદ્ધની દૃષ્ટિએ બ્રાહ્મણો દ્વારા સ્થાપિત ઈશ્વરવાદ અંધણી પરંપરા જેવો છે. એક જ પંક્તિમાં હરોળમાં અન્યોન્યના આશ્રયથી સ્થિત અંધજનો સ્વયં કશું જોઈ શકતા નથી. તેવી જ રીતે ઈશ્વરવાદી પણ અદષ્ટ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યા વગર જ તેનો સ્વીકાર કરે છે અને તેનું સ્વરૂપવર્ણન પણ કરી શકતા નથી. આ પ્રમાણે ઈશ્વરનું અસ્તિત્વ પ્રમાણિત થઈ શકતું નથી. તે ઉપરાંત સર્વ પરિસ્થિતિ અને સંજોગોને ઈશ્વર અથવા ભાગ્યનિર્મિત માનવાથી મનુષ્ય અકર્મણ્ય બની જાય અને સકર્મો પ્રત્યેની તેની શ્રદ્ધા ક્ષીણ થઈ જાય અને તે સાથે અસદુ અને પાપ કૃત્યો દ્વારા પણ તે સુખ-સંપત્તિ પ્રાપ્ત કરવા પ્રેરાશે. તેથી હિંસા, ચોરી, મૃષાવાદિ આદિ અનેક દુષ્કૃત્યો પણ ઈશ્વરપ્રેરિત હોવાની સંભાવના દઢ બની જશે. પરંતુ ઈશ્વરના વિશે આપણી જે સંકલ્પના છે, તેની સાથે આ સુસંગત નથી. ગૌતમ બુદ્ધે જણાવ્યું કે સુખ દુઃખાદિ સર્વથા ઈશ્વરકૃત કે ભાગ્યાધીન નથી. સર્વ પ્રાણીઓ અથવા સત્ત્વ વિવશ, નિર્બળ કે સામર્થ્યરહિત અથવા અવશ બનીને નહિ પણ પોતાના કર્માનુસાર, જન્મજન્માંતરની શૃંખલામાં બંધાય છે અને સુખદુઃખ ભોગવે છે.
તેવી જ રીતે તેમણે આત્માના સંદર્ભમાં શાશ્વતવાદ અને ઉચ્છેદવાદ-એ બંને માન્યતાઓનો અસ્વીકાર કર્યો હતો. બૌદ્ધધર્મમાં આત્માના વિષયમાં જે પ્રચલિત માન્યતા છે, તેનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. સત્વની ઉપલબ્ધિ પાંચ વિજ્ઞાનકાય અને મનોવિજ્ઞાન દ્વારા સ્વીકૃત કરવામાં આવી છે. બૌદ્ધધર્મમાં તેને ચિત્ત, ચિત્તનો પ્રવાહ, વિજ્ઞાન કે સંતતિના નામથી પ્રસ્તુત કરવામાં આવે છે, અને તે પ્રતીત્યસમુત્પન્ન છે. ચિત્ત જ પરમ તત્ત્વ છે અને સ્કંધોના સુયોજિત સંયોજનથી તેની ઉત્પત્તિ થાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org