SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધા અને સુગતિ છે. નિરાસ્રવ કુશળ કર્મો વિપાકરહિત છે. તે દુઃખની આત્યંતિક નિવૃત્તિને ઉત્પન્ન કરે છે. આ દુઃખ નિવૃત્તિને જ નિર્વાણ કહે છે. પુણ્ય કર્મો પણ ફળની આકાંક્ષા વગર નિરપેક્ષભાવે કરવાં જોઈએ. ગીતામાં તેને નિષ્કામ કર્મયોગ કહે છે. ૨૬ ગૌતમ બુદ્ધે કર્મવિપાકની દુર્વિજ્ઞેયતા દર્શાવીને વ્યવહારિક જગતમાં દેખાતી કેટલીક વિસંગતતાઓનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો છે. તે જણાવે છે કે કેટલાક દુરાચારી અને હિંસક મનુષ્યો અનેક પ્રકારના સુખોપભોગમાં રાચતા જોઈ શકાય છે, તેવી રીતે પુણ્યાચારી મનુષ્યો અતિ કષ્ટ ભોગવતા હોય છે. કર્મના સિદ્ધાંતની દૃષ્ટિએ વિસંગતિ જણાય છે. પરંતુ હકીકતમાં કર્મનો વિપાક સમજવો મુશ્કેલ છે. હિંસક દુરાચારી માણસોના પૂર્વકૃત સત્કર્મોનો ઉદય થયો હોવાથી તે સુખ સંપત્તિ પ્રાપ્ત કરે છે. અને સુગતિ પામે છે. તેવી રીતે પુણ્યાચારી મનુષ્યનાં પૂર્વકૃત દુષ્કર્મોના વિપાકને કારણે તે વર્તમાનમાં દુઃખ ભોગવતો હોય છે. પુરાણા કર્મોના વિપાકને પરિણામે જ આ સ્થિતિ સર્જાય છે, તે વિસંગતિ નથી. કર્મસિદ્ધાંત અને પુનર્જન્મ : બુદ્ધ ધર્મ નિત્ય આત્માને માનતો ન હોવા છતાં કર્મ અને પુનર્જન્મનો સ્વીકાર કરે છે. પોતાના કર્મને અનુરૂપ પ્રાણી સુખદુ:ખ ભોગવે છે અને નવો જન્મ ધારણ કરે છે. શુભ કે અશુભ સંકલ્પ કરવા માટે ચિત્ત સ્વતંત્ર છે. આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તે કર્મ કહેવાય છે. અને તેને પરિણામે જે સંસ્કાર કે વાસના ચિત્તમાં પડે છે તે પણ કર્મ કહેવાય છે. આ વાસનારૂપ કર્મ પુનર્જન્મના કારણરૂપ બને છે. આપણે જે કુશળ કે અકુશળ કાયિક-વાચિક-માનસિક કર્મો કરીએ છીએ તે સર્વનું ઉદ્ગમ આપણું મન છે. દ્વેષયુક્ત કે રાગયુક્ત કર્મો કરતાં આપણા મનોભાવો પણ રાગ-દ્વેષયુક્ત બને છે. મનોભાવોની આ પરંપરા શૈશવથી મૃત્યુ પર્યંત ચાલે છે. ગૌતમ બુદ્ધ જણાવે છે કે આ પરંપરા જન્મ પહેલા પણ હતી અને મૃત્યુ બાદ પણ રહે છે. મૃત્યુથી એનો ઉપચ્છેદ થતો નથી. મૃત્યુ કેવળ એ ક્ષણને સૂચિત કરે છે, જ્યારે નવીન પરિસ્થિતિમાં નવીન કર્મસમૂહનો વિપાક થાય છે. જ્યાં સુધી તૃષ્ણાના ક્ષયથી આ ચિત્તપ્રવાહ કે ચિત્ત-સંતતિ વિશૃંખલિત થઈને નિર્વાણને પ્રાપ્ત કરતી નથી, ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહે છે. પુનર્જન્મ કોનો થાય છે તે અંગેના સાતિકેવğત્ર ભિક્ષુના સંદેહનું સમાધાન કરતા તથાગતે સમજાવ્યું હતું કે વિજ્ઞાન પ્રતીત્યસમુત્પન્ન છે. વર્તમાન ભવનું અંતિમ વિજ્ઞાન વિલીન થાય છે અને દ્વિતીય જન્મનું આગળના જન્મનું પ્રથમ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી ન તો તે જ સત્ત્વનું અસ્તિત્વ રહે છે ન તો અન્ય જીવ ઉત્પન્ન થાય છે. મિલિન્દપ્રશ્નમાં નાગસેન કહે છે કે વ્યક્તિ શૈશવમાંથી વૃદ્ધિ પામીને વૃદ્ધત્વ મેળવે છે. આ બંને અવસ્થાઓમાં વ્યક્તિ એક જ હોવા છતાં એક નથી; અવસ્થાભેદને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy