________________
બૌદ્ધદર્શનમાં પ્રતિપાદિત કર્મસિદ્ધાન્ત
પોતાનાં ફળ આપશે જ એવું નક્કી નથી, અર્થાત તે અનિયતવિપાકી છે.
બૌદ્ધ કર્મવિચારણામાં જનક, ઉપસ્તંભક, ઉપપીલક અને ઉપઘાતક એવા ચાર પ્રકારનાં કર્મોનો પણ સ્વીકાર થયો છે, જનકકર્મ બીજો જન્મ ગ્રહણ કરવાના નિમિત્તરૂપ બને છે. પ્રાણીઓની પ્રત્યેક અવસ્થા કે પરિસ્થિતિના નિર્માણમાં તે કારણરૂપ છે. ઉપસ્થંભક કર્મ અન્ય કર્મોના ફળવિપાકમાં સહાયરૂપ બને છે, તે ઉત્કર્ષણની પ્રક્રિયાના સહાયક હોવાનું કહી શકાય. ઉપપીલક કર્મ અન્ય કર્મોની શક્તિને ક્ષીણ કરે છે, અપવર્તનની ક્રિયા સાથે તેને સરખાવી શકાય. ઉપઘાતક કર્મ અન્ય કર્મોના વિપાક અટકાવીને પોતાનું ફળ આપે છે. આ કર્મ-ઉપશમનની ક્રિયા સમાન છે. બૌદ્ધદર્શનમાં કર્મફળના સંક્રમણની ધારણાનો સ્વીકાર થયો છે. બૌદ્ધ દર્શન એમ માને છે કે યુધિપિ કર્મફળનો વિપ્રણાશ (ફળ ભોગવ્યા સિવાય કર્મનો નાશ થવો) હોતો નથી, તો પણ કર્મફળનો સાતિક્રમ-અતિક્રમણ થઈ શકે છે. વિપથ્યમાન કર્મોનું સંક્રમણ થઈ શકે છે, વિપથ્યમાન કર્મો તે છે કે જેને બદલી શકાય છે, અર્થાત્ જેનું સંક્રમણ થઈ શકે છે, જો કે તેનું ફળ અનિવાર્ય રીતે ભોગવવું પડે છે. તેને અનિયત વેદનીય પરંતુ નિયતવિપાકકર્મ પણ કહી શકાય.બૌદ્ધદર્શનના નિયતવેદનીય નિયતવિપાક કર્મ જૈન દર્શનની ‘નિકાચના' સાથે સરખાવી શકાય.
કર્મોની સીમા ઉદય, ઉદીરણા અને ઉપશમન આ ચાર અવસ્થાઓનું વિવેચન હિન્દુ આચારદર્શનમાં પણ મળે છે. ત્યાં કર્મોની સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ એવી ત્રણ અવસ્થાઓ માનવામાં આવી છે. વર્તમાન ક્ષણની પહેલાં કરેલાં સમગ્ર કર્મો સંચિત કર્મ કહેવાય છે. તેને અદષ્ટ અને અપૂર્વ પણ કહેવાય છે. સંચિત કર્મના જે ભાગનો ફળભોગ શરૂ થાય છે તને જ પ્રારબ્ધકર્મ કહે છે. આ પ્રમાણે પૂર્વબદ્ધ કર્મના બે ભાગ હોય છે : જે ભાગ પોતાનું ફળ આપવાનું શરૂ કરી દે છે તે પ્રારબ્ધ (આરબ્ધ) કર્મ કહેવાય છે. શેષ ભાગ જેનો ફળભોગનો પ્રારંભ થયો નથી તે અનારબ્ધ (સંચિત) કહેવાય છે. કર્મવિપાકઃ
કર્મવિપાક દુર્વિજોય છે. જયારે કાળ પાકે અને કારણસામગ્રી ઉપસ્થિત હોય છે ત્યારે કર્મનો વિપાક થાય છે. કર્મ બીજતુલ્ય છે. તે પોતાની જાતિ પ્રમાણે વહેલા કે મોડા, અલ્પ યા મહાન ફળ આપે છે. તૃષ્ણા જ કર્મને વિપાકપ્રદાનનું સામર્થ્ય આપે છે. જે તૃષ્ણારહિત બની કર્મ કરે છે, તે કર્મથી લિપ્ત થતો નથી, તેને કર્મોનાં ફળ ભોગવવાં પડતાં નથી.
મનુષ્ય સત્કર્મ કરે તો તેને સદગતિ મળે છે અને અસત્ કર્મ કરે તો તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે, એમ ગૌતમ બુદ્ધ વારંવાર કહ્યું છે, સદ્ કર્મો અને અસદ્ કર્મો કુશળ કર્મો અને અકુશળ કર્મથી ઓળખાય છે. આસ્રવ કુશળ કર્મનું ફળ સુખ, અભ્યદય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org