________________
૨૪
વિવિધા
મૈત્રીભાવના પણ એક ચેતના છે – તેમાં કોઈ પ્રતિગ્રાહક કે પુરાનુગ્રહ હોતો નથી, તો પણ તેનાથી પુણ્યાદિનો ઉત્પાદ થાય છે. મૈત્રી-ચિત્તમાં રુચિ હોવી તે પણ માનસકર્મ છે. સર્વ વિચારાત્મક પ્રક્રિયાઓ ચેતનાપ્ય કર્મ છે. પણ તે અક્રિય હોય તો અધિક પુણ્યદાયી બને છે. જો કે મૈત્રીભાવના સક્રિય હોય તો વધુ પુણ્યદાયી બને છે.
ચેતના કર્મ અને કર્મવિપાકમાં મુખ્ય હોવા છતાં ફળપ્રાપ્તિ માટે કાય અને વાણીનો આશ્રય લેવો પડે છે. શત્રુના પ્રાણાતિપાતની ચેતના અને પ્રાણાતિપાત એક જ નથી. પ્રાણાતિપાત એક ક્રિયાવિશેષ છે.
નિગ્રંથોની તપસ્યાના સંદર્ભમાં ગૌતમ બુદ્ધે પોતાના વિચારો રજૂ કર્યા છે : નિગ્રંથ સાધુઓ એમ માને છે કે સર્વ પ્રકારનાં સુખ-દુઃખ પૂર્વજન્મનાં કર્મોના ફળરૂપ છે. તપસ્યા દ્વારા પૂર્વજન્મનાં કર્મોનો ક્ષય કરવાથી, નવાં કર્મો ન કરવાથી ભવિષ્યમાં અનાસ્રવ થાય છે. વિપાકરહિત હોવાથી કર્મક્ષય, દુઃખક્ષય અને વેદનાનો ક્ષય થવાથી સર્વ દુઃખો ક્ષીણ થઈ જાય છે.
ગૌતમ બુદ્ધ આ વિચારસરણીનો સ્વીકાર કરતા નથી. તે જણાવે છે કે આ પ્રમાણે કષ્ટદાયક તપસ્યા કરવાથી આ જન્મમાં અકુશળ ધર્મોનો નાશ અને કુશળ ધર્મની પ્રાપ્તિ ન થાય તો તે તપશ્ચર્યા નિરર્થક છે. પૂર્વ જન્મનાં કર્મ અને તેના વિપાકથી અજ્ઞાત હોવાને કારણે પણ આવી તપશ્ચર્યા અર્થરહિત છે. સમગ્ર જીવન અતિ કષ્ટદાયક તપ સાધનામાં વ્યતીત કરવાથી શ્રેય સાધી શકાતું નથી.
પ્રજ્ઞા પ્રાપ્તિને માટે કઠિન લાગતા કેટલાક સદાચારના નિયમોના પાલનને તેમણે આવશ્યક માન્યા છે, પણ તે રાગદ્વેષ-મોહાદિ ચિત્તના ઉપક્લેશો, નીવરણો, આગ્નવો આદિના ક્ષય માટે છે.
કઠિન તપશ્ચર્યા દ્વારા અકુશળ ધર્મો ક્ષીણ થાય અને કુશળ ધર્મોની પ્રાપ્તિ દ્વારા સમ્યફ સુખની અનુભૂતિ મળે ત્યાર બાદ તેણે પુનઃ કઠિન તપશ્ચર્યા કરીને દુઃખ કે સંકલેશ અનુભવવાની આવશ્યકતા રહેતી નથી. જેવી રીતે લુહાર બાણને યોગ્ય આકાર આપવા માટે અગ્નિ પર તપાવે છે, સીધું કરે છે અને યોગ્ય આકાર અપાયા બાદ તેને અગ્નિ પર તપાવવાનું કાર્ય અટકાવી દે છે, તેમ કુશળ ધર્મોની પ્રાપ્તિ થતા, તપશ્ચર્યાનું પ્રયોજન સિદ્ધ થયા પછી કાયાને કઠિન તપસ્યા દ્વારા કષ્ટ આપવું, દુઃખ ભોગવવું નિરર્થક છે, અનાવશ્યક છે. કૃત અને ઉપચિત કર્મ :
કર્મના બીજી દષ્ટિએ બે વર્ગ પાડવામાં આવ્યા છે : કૃત કર્મ અને ઉપચિત કર્મ. જે કર્મ કરવામાં આવ્યું હોય તે કૃત કર્મ છે. કૃત કર્મ જે ફળ આપે છે તે ઉપસ્થિત કર્મ કહેવાય છે. બધાં જ કૃત કર્મો ફળ આપતાં નથી. કેટલાંક કૃત કર્મો પોતાનાં ફળ અવશ્ય આપે છે. આ કૃત કર્મો નિયતવિપાકી કહેવાય છે. અને કેટલાંક કૃત કર્મો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org