________________
બૌદ્ધદર્શનમાં પ્રતિપાદિત કર્મસિદ્ધાન્ત
૨૩
કૃષ્ણ અને શુક્લ કર્મોના સ્વરૂપને સમજાવીને ગૌતમ બુદ્ધે જણાવ્યું છે કે શુભ કે અશુભ અથવા વિદનરૂપ કે પીડારૂપ બને તેવા કર્મો કરવાં જોઈએ નહીં...'. જે કાય-વચન-કે મન કર્મ પોતાને માટે કે અન્યને માટે પીડાદાયાક ન હોય તે કુશળ કર્મ કે સારું કર્મ છે, સુખ અને સુખવિપાકના હેતુરૂપ છે, તે કર્મ કરવું જોઈએ.”
મનુષ્ય પરાર્થે પણ “દુષ્કર્મ” કે “સત્કર્મ કરે તો પણ તેનું ફળ તેને ભોગવવું પડે છે. માતા-પિતા, પત્ની, પુત્ર કે અન્ય સ્વજનોના હિતાર્થે દુષ્કૃત્યો કરે, તો પણ કર્મવિપાકથી તે મુક્ત રહી શકતો નથી. તે સંદર્ભમાં જ સારિપુત્ર ધનંજાનિ બ્રાહ્મણને કહે છે કે...બીજા પણ સહેતુક ધાર્મિક કાર્ય છે, જેનાથી માતા-પિતાનું પોષણ થાય છે. તેથી પાપકર્મો નહીં કરીને પુણ્યકર્મનું ગ્રહણ કરવું જોઈએ.
'अस्थि खो, धानंजानि हेतुका धम्मिका कम्मन्ता, येहि सक्का मातापितरो चेव पोसेतुं, न च पापकर्म कातुं, पुजं पटिपदं पटिपविजतुं ।"
' કાયિક, વાચિક અને માનસિક-એ ત્રણ કર્મોમાં ગૌતમ બુદ્ધ મનઃકર્મને વધારે મહત્ત્વ આપ્યું છે. કર્મવિપાકને નિશ્ચિત કરવામાં મનોક” મુખ્ય છે. ઉપાલિ સાથેની ધર્મચર્ચામાં તેમણે મનોકમની અનેક રીતે મહત્તા સમજાવી છે.
કુકકરવત્તિક-સુત'માં માનસકર્મની પરિણતિનું વિશદ આલેખન કર્યું છે. કુકરદ્રત કે ગૌવ્રત કરનારનું મન સતત કૂતરાનું કે ગાયનું ચિંતવન કરે છે અને તેમનું કર્મ પણ તેને જ અનુસરે છે. આવું કઠિન વ્રત કરવાથી સુગતિ પ્રાપ્ત થવાની માન્યતાને તેઓ અનુસરે છે, પણ ગૌતમ બુદ્ધના અભિપ્રાય અનુસાર તે મિથ્યા દષ્ટિ છે, અને આ સાધકોની ઉત્પત્તિ તિર્યગ્યોનિમાં જ થાય છે. તે કહે છે : “તેમની બે ગતિમાંની એક જ ગતિ હું કહું છું : તે નરકમાં જાય છે અથવા તિર્યગ્લોનિમાં-કુકકુરદ્રતની નિરંતર સાધના કૂતરાના જેવું જીવન જીવવા માટે તેને બાધ્ય કરે છે :
"..इमिनाहं सीलेन वा वतेन वा तपने वा ब्रह्मचरियेन वा देवा वा भविस्सामि देवजतरो वा ति, सास्स होति मिच्छादिछि । मिच्छादिट्ठिस्स खो अहं, पुण्णं, द्विन्नं गतीनं अङ्घजतरं गति वदामि निरयं वा तिरच्छानयोनि वा । इति खो, पुण्ण, सम्पङ्घजमानं, कुककुरवतं कुककुरानं सहब्यतं उपनेति, विपङ्घजमानं निरयं" ति ॥
ગૌતમ બુદ્ધની દષ્ટિએ કર્મ એક પ્રકારનો ચિત્તસંકલ્પ છે, જેને “ચેતના' શબ્દ દ્વારા વ્યવહત કર્યો છે. તેને તે વૈદિક સિદ્ધાન્તની જેમ અદૃષ્ટ શક્તિ માનતા નથી. પરંતુ કર્મને અનાદિ અને અવિચ્છિન્ન પરંપરામાં ઘટિત એક ઘટના માત્ર માને છે. તે અનુસાર સ્વકૃત કર્મોના ફળને ભોગવનાર પ્રાણી સ્વયં હોય છે.
ચેતના માનસકર્મ છે. કાયિક-વાચિક કર્મ વગર પણ માનસકર્મ અભીષ્ટ પ્રાપ્ત કરી શકે છે. એમ પણ કહી શકાય કે કર્મ એ ચેતના, ચેતનાકૃત કાય-ચેષ્ટા અને વાધ્વનિ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org