________________
વિવિધા
કરેલાં કર્મો ક્ષીણ થવા પર જ સંભવિત છે. “ન આ શરીર તમારું છે, ન બીજાઓનું, કેવળ પુરાણું કર્મ છે.” આ દષ્ટિએ અહીં કર્મ શબ્દનો અર્થ ક્રિયાથી વધુ વિસ્તૃત છે. અહીં કર્મ શબ્દમાં ક્રિયાનો ઉદ્દેશ અને તેના ફલવિપાકનો અર્થ પણ અભિપ્રેત છે. કુશળ અને અકુશળ કર્મ :
મનુષ્ય સત્કર્મ કરે તો તેને સદ્ગતિ મળે છે અને અસત્ કર્મ કરે તો તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે; એમ ગૌતમ બુદ્ધે વારંવાર કહ્યું છે. સદ્ કર્મો અને અસત્ કર્મો કુશળ કર્મ અને અકુશળ કર્મથી ઉલ્લેખાય છે. આસ્રવ કુશળ કર્મનું ફળ સુખ, અભ્યદય અને સુગતિ છે. નિરાસ્ત્રવ કુશળ કર્મો વિપાકરહિત છે. તે દુઃખની આત્યંતિક નિવૃત્તિને ઉત્પન્ન કરે છે. આ દુઃખનિવૃત્તિને જ નિર્વાણ કહે છે. નિર્વાણ રોગના અભાવની જેમ શાંત અવસ્થા છે.
પાપકર્મ અકુશળ છે, કારણ તેમનું ફળ અનિષ્ટ અને દુઃખરૂપ છે. મજિઝમનિકાય' ના “સમ્માદિઢિ સુત્ત' માં કુશળ અકુશળ કર્મોનું વિસ્તારથી નિરૂપણ થયેલું છે.
ભાવોની શુદ્ધિ-અશુદ્ધિ પર કર્મ-પ્રકૃતિ નિર્ભર હોય છે. કુશળ અને અકુશળ કર્મોનો સંબંધ ચિત્તના ધર્મો સાથે છે. લોભ, દ્વેષ અને મોહ એ ત્રણ અકુશળ મૂળ છે અને અલોભ, અષ અને અમોહ તે કુશળ મૂળ છે. તેને આધારે કર્મોના નીચે પ્રમાણે પ્રકાર બતાવ્યા છે.
૧. કૃષ્ણ કર્મ જેનો વિપાક કૃષ્ણ છે. ૨. શુક્લ કર્મ તેનો વિપાક શુક્લ છે. ૩. કૃષ્ણ-શુક્લ કર્મ તેનો વિપાક કૃષ્ણ-શુક્લ છે. ૪. અ-કૃષ્ણ-અ-શુક્લ. તેનો વિપાક અ-કૃષ્ણ-અ-શુક્લ છે.
૧. કુષ્ણકર્મ : કોઈ પુરુષ વ્યાપાદયુક્ત મનથી કાય-વચન-મન કર્મ કરે છે. તેથી તેને વ્યાપાદયુક્ત કર્મનો સ્પર્શ થાય છે, તે વ્યાપાદયુક્ત લોકમાં ઉત્પન્ન થાય છે, અને કેવળ દુઃખમય વેદના અનુભવે છે.
૨. શુક્લકર્મ : કોઈ પુરુષ વ્યાપાદરહિત ચિત્તથી કાય-વચન-મન કર્મ કરે છે. તેથી તેને વ્યાપાદરહિત કર્મનો સ્પર્શ થાય છે. તેથી તેની ઉત્પત્તિ પણ વ્યાપાદરહિત લોકમાં થાય છે. તે કેવળ સુખમય વેદનાનો અનુભવ કરે છે.
૩. કૃષ્ણ-શુક્લ કર્મ : પુરુષનું ચિત્ત વ્યાપાદયુક્ત અને અ-વ્યાપાદયુક્ત હોય છે. તે પરિસ્થિતિમાં તે જે કાય વચન મન કર્મો કરે છે તેને વ્યાપાદ અને અવ્યાપાદ એમ બંને પ્રકારનાં કર્મોનો સ્પર્શ લાગે છે. તેથી તે સુખદુઃખમિશ્રિત વેદનાનો અનુભવ કરે છે.
૪- અ-કૃષ્ણ-અ-શુક્લ કર્મો : આ કર્મોનો વિપાક કર્મોનો ક્ષય કરે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org