________________
બૌદ્ધદર્શનમાં પ્રતિપાદિત કર્મસિદ્ધાન્ત
જ છે. કર્મથી વિપાક ઉત્પન્ન થાય છે અને તેને કા૨ણે પુનઃ કર્મ ઉદ્ભવે છે. કર્મ અને તેના ફળના પારસ્પરિક સંબંધને લીધે ભવચક્ર ફર્યા કરે છે.
પ્રત્યેક પ્રાપ્ત પરિસ્થિતિ અને પુનર્જન્મનું કારણ કર્મ જ છે. બોધિપ્રાપ્તિ પછી બુદ્ધને પૂર્વજન્મનું સ્મરણ થયું હતું. કર્મથી પ્રેરાયેલાં સત્વોને તે ભિન્ન ભિન્ન યોનિમાંથી પસાર થતાં જોઈ શકતા. કાર્યકારણના નિયમ અનુસાર કોને ક્યાં જન્મ મળશે તેનું જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું હતું. તેમના અનેક શિષ્યોએ પૂર્વજન્મ અને પુનર્જન્મ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
પ્રાણીઓની વિવિધ યોનિમાંથી થતી ઉત્પત્તિ વિશેના શુભ માણવના પ્રશ્નના સંદર્ભમાં ગૌતમ બુદ્ધે કહ્યું હતું : “કર્મો જ જીવોનાં પોતાનાં છે, કર્મ જ તેમની વિરાસત છે, કર્મ જ તેનો પ્રભવ છે, કર્મ તેનો બન્ધુ અને કર્મ જ તેનો સહારો છે.’’
“મસા, માળવ, સત્તા માયાના
''
कम्मयोनी कम्मबन्धु कम्मपटिसरणा ।...'
વિશ્વમાં પ્રવર્તિત વિપરિત પરિસ્થિતિ ઈશ્વકૃત નહીં પણ કર્મકૃત છે.
૨૧
કર્મના પ્રકાર :
બૌદ્ધ દર્શનમાં વિવિધ દૃષ્ટિકોણથી કર્મના પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. બૌદ્ધ વિચારકોએ પણ કર્મ શબ્દનો પ્રયોગ ક્રિયાના અર્થમાં જ કર્યો છે. અહીં પણ શારીરિક, વાચિક અને માનસિક ક્રિયાઓને કર્મ કહેવામાં આવે છે, જે પોતાની નૈતિક શુભાશુભ પ્રકૃતિ અનુસાર કુશળ કર્મ અથવા અકુશળ કાર્ય કહેવાય છે. બૌદ્ધદર્શનમાં શારીરિક, વાચિક અને માનસિક એ ત્રણે પ્રકારની ક્રિયાઓને કર્મ કહેવામાં આવે છે, પરંતુ તેમાં ચેતનાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને ચેતનાને જ કર્મ કહેવામાં આવ્યું છે. તેનું પ્રયોજન એટલું જ છે કે ચેતનાને કારણે જ આ સમગ્ર ક્રિયાઓ સંભવિત બને છે.
કર્મ મુલતઃ બે પ્રકારનાં છે : ચિત્તકર્મ અને ચેતસિક કર્મ. તેને ચેતના અને ચેતયિત્વા પણ કહે છે. ચેતના માનસકર્મ છે. ચેતનાથી જે ઉત્પન્ન થાય છે તે ચેતયિત્વા કર્મ છે. તેના બે પ્રકાર છે : કાયિક અને વાચિક.
સામાન્ય રીતે ગૌતમ બુદ્ધે કર્મોના ત્રણ પ્રકાર બતાવ્યા છે : કાયિક, વાચિક અને માનસિક, આ ત્રણમાં માનસિક કર્મ વધુ મહત્ત્વનાં છે. સમુત્થાનની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો મનકર્મ જ મુખ્ય છે. કાયિક કે વાચિક કર્મ કુશળ છે કે અકુશળ તે માનસકર્મ દ્વારા નક્કી થાય છે. ગૌતમ બુદ્ધે કર્મને વસ્તુતઃ ચેતનામય કહ્યાં છે. “ભિક્ષુઓ,મે ચેતનાને કર્મ કહ્યું છે. ચેતનાપૂર્વક કર્મ કરાય છે શરીરથી, વાણીથી, મનથી...ચેતનાપૂર્વક કરેલાં અને સંચિત કર્મોનાં ફળોનાં પ્રતિસંવેદન કર્યા વગર દુ:ખનો કે તેમનો (કર્મનો) અંત બતાવતો નથી. પ્રત્યેકને માટે દુઃખનો અંત જાગૃતપણે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org