SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વિવિધા બૌદ્ધદર્શનમાં પ્રતિપાદિત કર્મસિદ્ધાન્ત આજે ૨૬૦૦ વર્ષ પછી પણ બૌદ્ધ ધર્મમાં એવી તો શક્તિ છે, સંજીવની છે કે સાંપ્રત સમયના સંઘર્ષમય જીવનની અનેક સમસ્યાઓનો ઉકેલ એમાંથી મળી શકે છે. બુદ્ધના પોતાના સમયમાં પણ વ્યક્તિ અને સમષ્ટિના જીવનમાં એક પ્રકારની આરાજકતા અવ્યવસ્થા અને વિસંવાદિતા હતાં. ઈશ્વર, મોક્ષ અને સ્વર્ગપ્રાપ્તિની ભ્રમણામાં રાચતા, અજ્ઞાનથી પ્રેરિત મનુષ્યોને કર્મકાંડી બ્રાહ્મણો અનેક રીતે ખોટા માર્ગે દોરતા હતા. ઉચ્ચ-નીચના ભેદભાવ સમાજના દૂષણરૂપ હતા. આત્મવાદ, ઈશ્વરવાદ, પ્રારબ્ધવાદ એમ અનેક પ્રકારના વાદ અને તેના વિવાદમાં અટવાતા જનજીવનને બુદ્ધ વાસ્તવિકતાનો પરિચય કરાવ્યો અને દુઃખમુક્તિનો માર્ગ બતાવ્યો. પણ તેમનો માર્ગ તત્કાલીન પ્રચલિત ધાર્મિક માન્યતાઓ સાથે મેળ ખાય તેવો ન હતો. તે સમયના પ્રચલિત આત્મવાદ, ઈશ્વરવાદ કે પ્રારબ્ધવાદનું ખંડન કરીને તેમણે અનાત્મવાદ, અનિશ્વરવાદ અને ક્ષણભંગવાદનું પ્રતિપાદન કર્યું અને કર્મના સિદ્ધાંતનું મહત્ત્વ સમજાવ્યું. બુદ્ધના સમયમાં લોકો સૃષ્ટિના પરમ તત્ત્વ તરીકે ઈશ્વરનો સ્વીકાર કરતા હતા. એ લોકોના જીવનનું સાધ્ય કે સર્વ પ્રવૃત્તિઓનું કેન્દ્ર આ ઈશ્વરપ્રાપ્તિ-સ્વર્ગપ્રાપ્તિ કે મોક્ષ હતું. પણ બુદ્ધની બુદ્ધિવાદી પ્રતિભાને તે માન્ય ન હતું. તેમની દૃષ્ટિએ “નિબ્બાને પરમ સુખમ્” નિર્વાણ જ પરમ સુખ કે પરમ સાધ્ય એવું પરમ તત્ત્વ હતું. રાગદ્વેષાદિથી રહિત મનની સ્થિતિ કે જે નિર્વાણ છે આ જન્મમાં જ તેને પ્રાપ્ત કરી શકાય છે અને એ જ એમનું પરમ સાધ્યું હતું. નિર્વાણ રોગના અભાવની જેમ શાંત અવસ્થા છે. આ અવસ્થાની પ્રાપ્તિ માટે, અમૃતરૂપ નિર્વાણને પ્રાપ્ત કરવા માટે તેમની દષ્ટિએ તે સમયે પ્રચલિત ઈશ્વરવાદ, નિયતિવાદ કે આત્મવાદ ઉપયોગી ન હતા. તેના વિકલ્પમાં ચરાચર સૃષ્ટિની ઉત્પત્તિ વગેરે સમજાવવા તેમણે પાંચ ઉપાદાનસ્કંધ, પ્રતીત્ય સમુત્પાદ અને કર્મના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. કર્મવાદ સંસારમીમાસામાં કર્મનું પ્રાધાન્ય સર્વસંમત રીતે સ્વીકારાયું છે. વિશ્વમાં પ્રવર્તિત માનવજીવનમાં અનેક પ્રકારની વિષમતાઓ અને વિસંગતિ જોવા મળે છે. આ સર્વ વિષમતાઓ અને વિસંગતિનું કારણ “કર્મ' હોવાનું ગૌતમ બુદ્ધે વારંવાર જણાવ્યું છે. કર્મ જ સત્વોને હીન કે પ્રાણીત બનાવે છે. બાવળ વાવીને કોઈ આમ્રફળ પ્રાપ્ત કરી શકે નહીં તે “વાવે તેવું લણે' નો કર્મસિદ્ધાંત સૌને સમાન રીતે લાગુ પડે છે. “ખે વિમાનત યહિન્દુ દીનપાતતાય તિ ' સંસારરૂપી અગાધ સમુદ્રમાં પરિભ્રમણ કરાવનાર પ્રતીત્યસમુત્પાદ પણ કર્મચક્ર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy