SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધધર્મ ઉચ્છેદવાદ વચ્ચેનો માર્ગ સ્વીકાર્યો છે. કોઈ પણ વસ્તુ શાશ્વત કે અપરિવર્તનીય હોવાનું તેમણે સ્વીકાર્યું નથી. તેવી રીતે તેના આત્યંતિક ઉચ્છેદ કે વિનાશને સંભવિત માન્યો નથી. દરેક વસ્તુમાં ક્ષણે ક્ષણે પરિવર્તન થતું રહે છે. જેને આપણે સ્થિર કે નિત્ય માનીએ છીએ તે લગભગ સમાન જણાતી ક્ષણિક વસ્તુઓની શૃંખલા છે. પ્રતીત્યસમુત્પાદના નિયમથી એકબીજા સાથે કાર્યકારણભાવે જોડાયેલી હોય છે. આ પ્રકારના સાતત્યભાવને સંતતિ કહે છે. શીલ-સમાધિ-પ્રજ્ઞા : બૌદ્ધદર્શનના મૂળભૂત તત્ત્વો છે સર્વ પ્રકારના દષ્કૃત્યોમાંથી વિરતી, તે શીલ છે. સદવિચારમાં ચિત્તને એકાગ્ર કરવું તે સમાધિ છે. સર્વ દ્વંદ્વાત્મક સ્થિતિમાં ઈષ્ટઅનિષ્ટ વચ્ચે સમભાવ સ્થપાય છે, ત્યારે સાધક પ્રજ્ઞાવાન બને છે. આ શિક્ષાત્રયમાં સર્વ બૌદ્ધસાધનાનો સમાવેશ થાય છે. ચાર બ્રહ્મવિહાર-એટલે મૈત્રી, કરુણા, મુદ્દિતા અને ઉપેક્ષાની ભાવનાઝંખના માનવસમાજને બૌદ્ધધર્મે કરેલું મહત્ત્વનું પ્રદાન છે. બૌદ્ધ સંપ્રદાયો : ૧૯ : બૌદ્ધ ધર્મ આરંભમાં મુખ્ય બે સંપ્રદાયો- હીનયાન અને મહાયાનમાં વિભક્ત થયો હતો. ત્યાર પછી તેના અનેક ફાંટાઓ પડ્યા. બૌદ્ધદાર્શનિક ચિંતનના છ સંપ્રદાયો મુખ્ય છે ઃ થેરવાદ, વૈભાષિક, સૌત્રાન્તિક, માધ્યમિક (શૂન્યવાદ), વિજ્ઞાનવાદ અને બૌદ્ધન્યાય. ગૌતમ બુદ્ધે પોતે મંત્ર, જપ કે પ્રતિમાનો સ્વીકાર કર્યો ન હતો, પરંતુ લગભગ સાતમી સદીથી તાંત્રિક બૌદ્ધ સાધનાનો પ્રચાર-પ્રસાર વધ્યો હતો. તેના ત્રણ પ્રકાર છે. વજ્રયાન, કાલચક્રયાન અને સહજયાન. રાજ્યાશ્રય પામીને બૌદ્ધધર્મનો ભારતમાં અનેક રીતે વિકાસ થયો હતો. પરંતુ તેની અવનતિ માટે અન્ય નિમિત્તોની સાથે આ તાંત્રિક બૌદ્ધસાધના મુખ્યત્વે કારણરૂપ બની. લગભગ ઈ.સ. ૧૨૦૦૧૨૫૦ માં ભારતમાંથી બૌદ્ધધર્મનો લોપ થયો. પોતાની જન્મભૂમિમાંથી લુપ્તપ્રાયઃ થઈ ગયેલા બૌદ્ધધર્મે ભારતની સીમા ઓળંગીને શ્રીલંકા, બર્મા, થાઈલેન્ડ, કમ્બોડિયા, નેપાલ, તિબેટ, ચીન, જાપાન વગેરે દેશોમાં અદ્યાપિ પર્યંત પોતાનો પ્રભાવ પ્રસરાવ્યો છે. તે સાથે ભારતીય શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર અને વાસ્તુકલાનો પરિચય કરાવીને અનેક ઉત્તમ કલાકૃતિઓ જગતને ભેટ ધરી છે. અનેક ચૈત્યો-સ્તૂપ-વિહાર બૌદ્ધ કલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ આજે પણ નોંધપાત્ર બનેલા છે. ગૌતમ બુદ્ધની દાર્શનિક વિચારધારા અને ધર્મશાસનનું સંકલન પાલિભાષાના ત્રિપિટકના ત્રણ ગ્રંથોમાં થયું છે. વિનયપિટકમાં ભિક્ષુઓ માટેના આચારવિચારના નિયમોનું, સુત્તપિટકમાં શિષ્યો સાથેના સંવાદરૂપે આપેલા ધર્મોપદેશનું અને અભિધમ્મપિટકમાં દાર્શનિક સિદ્ધાંતોનું નિરૂપણ થયું છે. બૌદ્ધ ધાર્મિક ગ્રંથોના અનુવાદો વિશ્વની અનેક ભાષાઓમાં થયા છે. સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં આ ધર્મનું પ્રદાન નોંધપાત્ર છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy