________________
૧૮
વિવિધા
સમ્યફ સંકલ્પ એટલે ચાર આર્ય સત્યોની શ્રદ્ધાને અનુરૂપ તૃષ્ણારહિતતા, અદ્રોહ અને અહિંસાના પાલન માટેનો દઢ નિશ્ચય. સમ્યફ વાણી એટલે અસત્ય, ચાડી-ચુગલી વગેરેનો ત્યાગ કરીને સર્વને હિતકર પણ મધુર વચન બોલવાં. અન્યને દુઃખ થાય તેવાં કાયિક, વાચિક અને માનસિક અકુશળ કર્મોનો ત્યાગ અને કુશળ કર્મોનું પાલન તે સમ્યફ આજીવિકા છે. જીવિકા માટે શસ્ત્ર, પ્રાણી, મધ, માંસ, વિષ આદિનો વ્યાપાર તથા ખોટાં તોલમાપ, લાંચરૂશ્વત, વંચના, છેદન, વધ, વંધન, ચોરી વગેરે ત્યાજયા છે. સમ્યફ વ્યાયામ એટલે અકુશળ મનોવૃત્તિઓને ક્ષીણ કરીને કુશળ ધર્મોને પ્રાપ્ત કરવા અને ટકાવવા કરવામાં આવતો પ્રયત્ન. સાધનામાર્ગમાં સાવધાની, અપ્રમાદ અને જાગૃતિ હોવી તે સમ્યફ સ્મૃતિ છે. કુશળ મનોવૃત્તિઓમાં ચિત્તનું પ્રતિષ્ઠિત થવું તે સમ્યફ સમાધિ છે.
સમ્યફ સમાધિમાં ચાર રૂપાવચાર ધ્યાનનો સમાવેશ થાય છે. તે રૂપાવચર અથવા રૂપસંજ્ઞા પર આધારિત ધ્યાન કહેવાય છે. પ્રથમ ધ્યાનમાં ભિક્ષુ કામાદિથી વિરત થઈને વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને ચિત્તની એકાગ્રતાથી યુક્ત થઈને વિહાર કરે છે. દ્વિતિય અને તૃતીય ધ્યાનમાં તે ક્રમશઃ વિતર્ક, વિચાર અને પ્રીતિનું ઉપશમન કરે છે. ચતુર્થ ધ્યાનમાં ચેતો વિમુક્તિના ચાર પ્રત્યય છે : સુખદુઃખનો પરિત્યાગ, સૌમનસ્ય-દૌર્મનસ્યનો અસ્ત, સુખદુ:ખરહિત ઉપેક્ષા અને સ્મૃતિની પરિશુદ્ધિ. ચાર ધ્યાનની પ્રાપ્તિથી રાગ, અવિદ્યા અને અનુશયોનો ક્ષય કરીને સાધક આશ્વવરહિત બને છે. ત્યાર બાદ સાધક ચાર બ્રહ્મવિહાર-મૈત્રી, કરૂણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરીને અરૂપાવચર ધ્યાન માટે ચિત્તને તત્પર કરે છે. રૂપરહિત ધ્યાન માટેના અરૂપ આલંબનોને અરૂપાવચર આયતન કહે છે. તે ચાર છે : આકાશાનન્ય, વિજ્ઞાનાનજ્ય, આકિંચન્ય અને નૈવસંજ્ઞાનાસંજ્ઞા આયતન. આ આઠ ધ્યાનો સિદ્ધ થતાં સાધક નિર્વાણનો અનુભવ કરે છે. નિર્વાણ એ આત્યંતિક દુઃખવિમુક્તિની અવસ્થા છે. તેમાં સર્વ સંસ્કારોનું ઉપશમન થાય છે. અનાત્મવાદ :
ગૌતમબુદ્ધ આત્માને નિત્ય કૂટસ્થ માનવાનો અને શરીરની સાથે જ તેનો વિનાશ થવાની માન્યતાનો અસ્વીકાર કર્યો હતો. આત્મા, પુલ, ચેતના, જીવ વગેરે શબ્દો દ્વારા નિર્દિષ્ટ તત્વ કોઈ સ્વતંત્ર, શાશ્વત સત્તા નથી. યોગ્ય ભૂમિકામાં સ્કંધોના સંયોગથી ઉત્પન્ન થતી શક્તિ છે, જેને તેઓ વિજ્ઞાન, સંસ્કાર, ચિત્તપ્રવાહ કે સંતતિ કહે છે. પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન અને વિલીન થવા છતાં ચિત્તનો આ પ્રવાહ શરીરની આ ચેતનાવસ્થામાં અને મૃત્યુ બાદ પણ અક્ષુણ્ણ રહે છે. આ અનાત્મવાદની સાથે તેમણે શાશ્વતવાદ ક્ષણભંગવાદનું પણ પ્રતિપાદન કર્યું. ક્ષણભંગવાવદ :
આ વાદ અનુસાર જગતની બધી વસ્તુઓ ક્ષણિક છે. બુદ્ધ શાથતવાદ અને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org