________________
બૌદ્ધધર્મ
નિર્વાણપ્રાપ્તિ માટે બુદ્ધે દર્શાવેલાં આ માર્ગનાં ચાર સોપાનો છે. અભિધર્મકોશ વ્યાખ્યામાં વ્યાધિસૂત્રમાં તથાગતની વૈદ સાથે તુલના કરવામાં આવી છે અને ચાર આર્ય સત્યોની વૈદકનાં ચાર અંગો સાથે.
ગૌતમ બુદ્ધુ દુઃખની અનિવાર્યતા જોઈ શક્યા હતા. તેમણે કહ્યું કે જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ, અપ્રિયનો યોગ અને પ્રિયનો વિયોગ-એ સર્વ દુઃખરૂપ છે. પાંચ ઉપાદાન સ્કંધો-રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન જે આ સૃષ્ટિની ઉત્પત્તિના કારણરૂપ છે, તેના પ્રત્યેની આસક્તિ દુઃખરૂપ છે. પાંચ ઉપાદાનસ્કંધ પ્રતીત્યસમુત્પન્ન છે. રાગ અને ભોગથી પ્રેરિત સમસ્ત લૌકિક જીવન અસ્થિર અને અનાશ્વાસ્ય હોવાથી દુઃખનો અનાદિ પ્રવાહ માત્ર છે. સુખ અસ્થિર છે અને અંતમાં તે પણ દુ:ખમાં પરિણમે છે તેથી તેની ગણના પણ દુ:ખમાં જ થાય છે. આ ભાવક દૃષ્ટિને કારણે સમસ્ત જગત દુઃખાત્મક છે. આ દુઃખોનો સમુદય અર્થાત્ કારણ હોય છે. દુઃખનું કારણ કામ, ભવ અને વિભવ એ ત્રણ પ્રકારની તૃષ્ણા છે. તેમાં પણ છ ઇન્દ્રિયોજનિત કામતૃષ્ણા-રૂપ, શબ્દ, ગંધ, રસ, સ્પષ્ટવ્ય અને ધર્મ-દુઃખ અને પ્રાણીઓની પુનઃ પુનઃ ઉત્પત્તિના નિમિત્તરૂપ છે. તે અવિદ્યા પર આધારિત છે. દુઃખનિરોધ અર્થાત્ દુઃખનો નાશ, દુઃખની ઉત્પત્તિના કારણરૂપ તૃષ્ણાનો અને પ્રતીત્યસમુત્પાદના દરેક ધર્મને જાણીને સંપૂર્ણતયા નિરોધ કરવાથી દુઃખનો નાશ થાય છે. દુઃખનિરોધગામિની પ્રતિપદ એટલે દુઃખના ક્ષય તરફ લઈ જનારો માર્ગ. ગૌતમ બુદ્ધ પ્રેરિત આ માર્ગ મધ્યમમાર્ગ અથવા આર્ય અષ્ટાંગિક માર્ગ તરીકે જાણીતો છે.
૧૭
દેહ અને આત્માનું દમન કરનારી અતિ કઠોર તપશ્ચર્યા કે અતિ ભોગ વિલાસ આ બંને અંતોનો ત્યાગ કરીને સંયમ અને સદાચારનો મધ્યમ માર્ગ તેમણે ઉપદેશ્યો છે.
બોધિપાક્ષિક ધર્મો :
ગૌતમ બુદ્ધે દુ:ખનિરોધગામિની પ્રતિપાદના સંદર્ભમાં સાડત્રીસ બોધિપાક્ષિક ધર્મોનો બોધ કર્યો છે. ચાર સ્મૃતિપ્રસ્થાન, ચાર સમ્યકપ્રધાન, ચાર ઋદ્ધિપાદ, પાંચ ઇન્દ્રિયો, પાંચ બળ, સાત બોધિ અંગ અને આર્ય અષ્ટાંગિક માર્ગ-એ સાડત્રીસ બોધિપાક્ષિક ધર્મો છે. તેમાંથી આર્ય અષ્ટાંગિક માર્ગ બૌદ્ધધર્મની આચાર-મીમાંસાનું મહત્ત્વનું નિદર્શન છે. તેનાં આઠ અંગો છે : સમ્યગ દૃષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યગ વચન, સમ્યક્ કર્માન્ત, સમ્યગ આજીવ, સમ્યગ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ અને સમ્યક્ સમાધિ. સર્વ અંગોમાં સમ્યક્ દષ્ટિ પૂર્વગામી બને છે. તેના ત્રણ અર્થ છે. ધર્મમાં શ્રદ્ધા, કુશળ અને અકુશળ કર્મોનો તેમ જ તેનાં પરિણામોનો વિવેક અને ચાર આર્ય સત્યોનો સાક્ષાત્કાર. આર્ય શ્રાવક કાયિક, વાચિક અને માનસિક કુશળ ધર્મો-એટલે કે અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય, પ્રિય અને સત્ય વાણી, નિર્લોભ અને અવ્યાપાદને તથા તેનાથી વિપરિત અકુશળ ધર્મો અને તેના મૂળરૂપ લોભ-દ્વેષ-મોહને સમજે છે ત્યારે તે સમ્યગ્ દૃષ્ટિવાળા બને છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org