SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. વિવિધા બૌદ્ધધર્મ બૌદ્ધધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ લગભગ ઈ.સ. પૂ. પ૬૩ માં નેપાળમાં આવેલા લુમ્બિનીવનમાં થયો હતો. કપિલવસ્તુના શાક્ય રાજા શુદ્ધોધન અને રાણી માયાવતીના આ કુમાર સિદ્ધાર્થનો વૈભવશાળી વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં, રોગી પુરુષ વૃદ્ધ, મૃત શરીર અને સંન્યાસીને જોયા પછી આ જગતમાં સર્વ અનિત્ય અને ક્ષણભંગુર હોવાની પ્રતીતિ થતા તેમના મનમાં સંસાર પ્રત્યે વિરક્તિનો ભાવ ઉત્પન્ન થયો. જગતનું સાર-રહસ્ય સમજવા માટે વૈભવવિલાસ ત્યાગીને મહાભિનિષ્ક્રમણ કર્યું. આલાર કાલમ અને ઉદૂક રામપુર પાસે ધ્યાનની કેટલીક અવસ્થાઓનો પરિચય મેળવ્યા બાદ, વિશેષ, જ્ઞાનપ્રાપ્તિ માટે દેહદમન દ્વારા કઠોર તપશ્ચર્યા કરી. શરીરને અનેક રીતે કષ્ટ આપ્યા છતાં જ્ઞાન મેળવવાનું ધ્યેય સિદ્ધ ન થયું, પરંતુ એક સત્ય એ સમજાયું કે ધર્મપ્રાપ્તિ માટે શરીર જ સાધન છે અને એ આહાર ઉપર નિર્ભર છે. ત્યારબાદ સંયમિત આહાર-વિહાર અને ગહન ચિંતન-મનન દ્વારા મગધમાં ઉવેલામાં નેરેજરા નદીને કિનારે ૩૬ વર્ષની વયે પીપળાના વૃક્ષ નીચે માર એટલે કે તૃષ્ણા અને ચિત્તની અકુશળ વૃત્તિઓનો ક્ષય કરીને જ્ઞાનનો સાક્ષાત્કાર કર્યો. બોધિપ્રાપ્તિ પછી સારનાથમાં તથા કોશલ, મગધ અને તેની આસપાસના પ્રદેશોમાં આયુષ્યના અંત સુધી સદ્ધર્મનો પ્રચાર કર્યો અને વિશાળ ભિક્ષુસંઘની સ્થાપના કરી. ૮૦ વર્ષની વયે કુસિનારામાં વૈશાખી પૂનમે-જે તિથિએ તેમનો જન્મ થયો હતો અને જ્ઞાનનો સાક્ષાત્કાર થયો હતો તે જ તિથિએ તે મહાનિર્વાણ પામ્યા. ગૌતમ બુદ્ધ ભૌતિ સુખો અને સ્વર્ગકામના માટે થતા યજ્ઞ-યાગાદિ ક્રિયાકાંડ, નિગ્રંથોનો તથાકથિત ક્રિયાવાદ અન્ય શ્રમણપંથોની પરસ્પર વિરોધી ધારણાઓનું ગહન વિશ્લેષણ કરીને ચાર આર્ય સત્ય, આર્ય અખંગિક માર્ગ, પ્રતીત્ય સમુત્પાદ, ઉપાદાનસ્કંધ, અનાત્મવાદ, શૂન્યવાદ, કર્મફળનો પરિપાક અને નિર્વાણ વગેરે સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. તેમનું જ્ઞાનદર્શન કેવળ મોક્ષપ્રાપ્તિનું ધ્યેય સિદ્ધ કરનારું ન હતું, પરંતુ તે સમયની પ્રચલિત ધાર્મિક વિચારધારાઓમાં ક્રાન્તિકારી પરિવર્તન, સામાજિક સંરચનાનું પુનઃનિર્માણ અને નવા જીવનમૂલ્યોની પ્રતિષ્ઠા માટે પ્રેરક જીવનદષ્ટિ આપનારું હતું. તત્કાલીન પ્રચલિત સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક પરિસ્થિતિથી પ્રેરિત પ્રતિક્રિયારૂપે બૌદ્ધધર્મનો આવિર્ભાવ થયો હતો. ચાર આર્ય સત્ય : - ગૌતમ બુદ્ધ ધર્મરહસ્યના સારરૂપ ૧. દુઃખ, ૨. દુઃખ સમુદાય, ૩. દુઃખનિરોધ અને ૪. દુઃખનિરોધગામિની પ્રતિપદ એ ચાર આર્ય સત્યો નિર્દેશ્યાં છે. તેમની દૃષ્ટિએ દુ:ખની પ્રવૃત્તિ સમજીને તેની નિવૃત્તિ માટે પ્રયત્ન કરાવે તે જ ધર્મ-ચર્યા છે. જેવી રીતે ચિકિત્સાશાસ્ત્ર ચતુર્વ્યૂહ છે : રોગ, રોગહેતુ, આરોગ્ય અને ભૈષજય, તેવી રીતે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy