SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વધર્મ-સમન્વય : પૂ. વિનોબાજીના વિચારોના સંદર્ભમાં ૧૫ કારણ કે ધર્મ શાશ્વત છે. ધર્મના રૂપ અને પ્રકાર અનેક છે, તેની વ્યાખ્યાઓ વિવિધ છે. ઉપનિષદની ઉક્તિ છે : “ૐ સત્ વિપ્રા: વૈથિ વન ' એક જ સત્યને જ્ઞાનીઓ વિવિધરૂપે વર્ણવે છે. તત્ત્વચિંતકો કોરી તત્ત્વચર્ચા જ નથી કરતા, તેને અનુસરતી કોઈ જીવનચર્યા પણ પ્રબોધતા હોય છે. આમ ચર્ચા અને ચર્યા-એ બંને ભૂમિકાએ વિભિન્ન દષ્ટિકોણ ધરાવતી અનેક ધર્મપરંપરાઓ વિકસી છે. ભારતના અર્વાચીન ઋષિ સમાન શ્રી વિનોબાજીએ પારમાર્થિક અને આધ્યાત્મિક ભૂમિકામાં તથા વ્યવહારના ક્ષેત્રમાં આ ધર્મો વચ્ચે જે ભેદમૂલક વિભિન્નતાઓ જોવા મળે છે, તેને દૂર કરીને, સર્વ ધર્મના સારરૂપ સમન્વયવાદી સર્વોદયધર્મ પ્રબોધ્યો છે. પોતાના દેહગત અને આત્મગત એટલે કે અંદર-બહારના વિકારો ઉપર, ચિત્તની રાગદ્વેષાદિ મલિનતાઓ કે કષાયો ઉપર વિજય મેળવવો અને શ્રદ્ધાપૂર્વક વિવેકની આંખો વડે સૃષ્ટિનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને જીવનમાં ઉતારવું તે જ સાચા ધર્મનું લક્ષણ છે. સત્ય, અહિંસા, પ્રેમ, સંયમ, પરોપકાર, વિશાળ માનવભાવ...આદિ ધર્મના સનાતન એવા ગુણોની કેળવણી અને વ્યવહારમાં તેનું પાલન કરવાની તેમણે જે પ્રેરણા આપી છે, તે તેમની સર્વધર્મસમન્વયવાદી દષ્ટિનો જ પરિપાક છે. તેમણે પોતાની કઠોર સાધના, મૌલિક ચિંતન, નીતિ-નિષ્ઠા અને માનવજાતિતનું સતત હિત વિચારતા સર્વધર્મના સમન્વય દ્વારા વ્યક્તિ અને સમષ્ટિના ઉત્કર્ષ માટે નવો જ રાહ ચીંધ્યો છે અને યુવાપેઢીને ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy