________________
૧૪
વિવિધા
મનાયું છે. સમતા અને શાંતિ સ્થાપવાનો એ જ એક માર્ગ ધર્મોએ બતાવ્યો છે, ત્યાં વિરોધને માટે કે અન્યોન્ય કરવા માટેનો કોઈ અવકાશ રહેતો જ નથી. આ સર્વ નિતિક મૂલ્યો નિરપેક્ષ અને શાશ્વત છે. મનુષ્યમાં સમજદારીનો જે અભાવ છે, તે આ મૂલ્યોને અને ધર્મને પણ વિકૃતરૂપે રજૂ કરે છે.
વિનોબાજીએ સર્વોદયની વાત મુખ્યત્વે કરી છે. તે કહે છે કે ધર્મ-વિચારનો કોઈ સંકુચિત અર્થ આપણે ન કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે સર્વથી શ્રેષ્ઠ અને સર્વેથી નિર્દોષ કોઈ ધર્મ હોય તો તે સર્વોદય ધર્મ છે. જેમાં સર્વના ઉદયની વાત છે, પ્રત્યેકને સંપૂર્ણ પોષણ અને વિકાસની તક મળે, સર્વનું હિત જેમાં સમાન રીતે સાધી શકાય છે તે સર્વોદય ધર્મ છે. અને આ જ મુખ્ય ધર્મ છે. વિનોબાજી જણાવે છે કે “આ સર્વોદયની વિરુદ્ધ જે કાંઈ પણ હોય તે કેવળ અધર્મ છે...આ જે અલગ અલગ ધર્મનાં નામ છે તે તો નદીઓ છે, પણ સર્વોદય ધર્મ કોઈ નદી નથી, એ તો સમુદ્ર છે.” ટૂંકમાં પ્રત્યેક પ્રાણીનું હિત સાધવા જે સમર્થ છે, તે જ વિનોબાજીની દૃષ્ટિએ સાચો ધર્મ છે, અને તે ધર્મ તે સર્વોદય ધર્મ છે.
વિનોબાજી ગાંધીજી તરફ આકર્ષાયા, તેની પાછળ બાપુમાં જે તત્ત્વ રહ્યાં હશે તેની પ્રેરણા તો ખરી જ પણ વિનોબામાં પોતાનામાં પણ એક સમન્વયાત્મક દૃષ્ટિ, રચનાત્મક વૃત્તિ, સત્ય શોધક અને જેને ભગવાન મહાવીરે સત્યાગ્રહિત કહી છે તેવી મનોવૃત્તિ મૂળમાં જ હતી. આ વૃત્તિના સહજ પરિણામ સ્વરૂપે વિશ્વના તમામ મહાન ધર્મોના અધ્યયન તરફ એ વળ્યા. તત્ત્વતઃ વિશ્વના સર્વ ધર્મ સમાન છે એવી એમની સમજમાંથી આપણને કુરાનસાર, ખ્રિસ્તધર્મસાર, ગીતાપ્રવચનો, જપુજી, ધમ્મપદ, ભાગવત ધર્મસાર, તાઓ ઉપનિષદ – વગેરે અનેક ગ્રંથો મળ્યાં છે. જૈનધર્મના અનેક ફાંટાઓ હોવાને કારણે તેનો સર્વસામાન્ય સાર આપવો મુશ્કેલ હતો, પણ પૂ. વિનોબાજીએ તે અતિ મુશ્કેલ કાર્ય પણ “સમણસુત્ત' ના સંપાદનની પ્રેરણા અને સમજ દ્વારા પાર પાડ્યું.
જગત પરિવર્તનશીલ છે. સમયના પ્રવાહની સાથે સાથે લોકોનાં જીવન, રૂઢિ, ભાષા વગેરે બદલાય છે. ભૂગોળ બદલાય છે અને ખગોળ પણ બદલાય છે. આ બધાની વચ્ચે ન બદલાય તેવી એક વસ્તુ છે અને તે છે ધર્મ. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. દરેક પદાર્થનો સહજ ગુણ, અર્થાત્ કુદરતના કાનૂન. એ તો સનાતન જ હોય.
ધર્મની બીજી પણ વ્યાખ્યા છે, ધર્મ એટલે કર્તવ્ય, આચારસંહિતા. જીવનના માર્ગદર્શક સિદ્ધાંતો. હજારો વર્ષ પહેલાં અહિંસા, સત્ય, પ્રેમ, સંયમ, નમ્રતા જેવાં જીવન મૂલ્યોની જેટલી મહત્તા હતી તેટલી જ આજે છે અને હજારો વર્ષ પછી પણ એની મહત્તા એટલી જ રહેશે. સત્ય હંમેશા સત્ય જ છે. પ્રેમ કે કરુણા ભૂતકાળમાં જેટલા હતાં, તેટલાં જ આજે છે. સંયમની જરૂર પણ રહેવાની જ. ધર્મ આજે પણ પ્રસ્તુત છે,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org