________________
સર્વધર્મ-સમન્વય : પૂ. વિનોબાજીના વિચારોના સંદર્ભમાં
૧૩
યોન ભુંજીથાઃ | ત્યાગીને ભોગવો.
વિનોબાજીએ ધર્મનું વિશિષ્ટ સ્વરૂપ અહીં દર્શાવ્યું છે. સાંપ્રત સમયની આવશ્યકતાઓને પારખીને તેમણે નવો માર્ગ ચીંધ્યો છે-અલબત્ત આ બધાં શ્રદ્ધા, પ્રેમ, સત્ય, ત્યાગ એ ધર્મનાં જ અંગો છે. એને સમયના સંદર્ભમાં તેમણે યોગ્ય રીતે જ સમજાવ્યાં છે.
- વિનોબાજીએ વિજ્ઞાન અને ધર્મનો સમન્વય અને બંનેની આવશ્યકતા પણ સચોટ રીતે નિર્દેશી છે. સામે ઘેરો અંધકાર હોય તો ત્યાં પ્રકાશ કરવો તે વિજ્ઞાનનિષ્ઠા છે. અને સામે દ્વેષ કે વૈમનસ્યનું આધિક્ય હોય તો તેની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો તે ધર્મનિષ્ઠા છે. પરંતુ જ્યાં સુધી માનવસમાજમાં તેનો આવિર્ભાવ નહી થઈ શકે, ત્યાં સુધી સત્ય, અહિંસા, શ્રદ્ધા વગેરે શ્રદ્ધારૂપે જ રહેશે, ધર્મરૂપે તે પ્રગટ નહિ થાય.
છે. સાર્વભૌમ અને સનાતન એવા હિન્દુધર્મનું સ્વરૂપ પૂ. વિનોબાજીએ આ રીતે સમજાવ્યું છે :
या वर्णाश्रमनिष्ठावान् गोभक्तः श्रुतिमातृकः मूर्ति च नावजानाति सर्वधर्मसमादरः । उत्प्रेक्षते पुनर्जन्म तस्मान्मोक्षणमीहते भूताकूल्यं भजते स वै हिन्दुरिति स्मृतः ॥
વિનોબા જે વર્ણાશ્રમ વ્યવસ્થામાં આસ્થા રાખે છે, ગોભક્ત છે, વેદોને માતા સમાન માને છે, મૂર્તિપૂજાની અવજ્ઞા કરતો નથી, સર્વ ધર્મો પ્રત્યે સમાન આદર રાખે છે, પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવે છે અને તેનાથી મુક્ત થવાની આકાંક્ષા રાખે છે, તથા પ્રાણીમાત્ર પ્રતિ અનુકૂળ વૃત્તિ (તમના હિત માટેની વૃત્તિ) રાખે છે, તેને જ હિન્દુ માનવો જોઈએ.
અન્યત્ર કહે છે : हिंसया दूयते चित्तं स वै हिन्दुरिवैतीरितः ॥
| વિનોબા હિન્દુ તે જ કહેવાય છે કે જેનું ચિત્ત હિંસાથી દુઃખી થાય છે.
અહીં પૂ. વિનોબાજીએ હિન્દુ શબ્દનો જે તાત્પર્યાર્થ દર્શાવ્યો છે, તેમાં વિશ્વમાનવતાનો સંકેત જોવા મળે છે. સમગ્ર વિશ્વના માનવોનો ધર્મ પણ આ જ હોઈ શકે. તે ઉપરાંત સર્વ ધર્મમાં નીતિમૂલક જે સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે, તેમાં પણ વિસ્મયકારી સમાનતા જોવા મળે છે. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, પ્રેમ, મૈત્રી વગેરે ભાવનાઓનું પાલન એક કે બીજી રીતે શ્રીમદ્ ભાગવદ્ ગીતા, કુરાન, બાઈબલ, ધમ્મપદ, આગમો કે શીખધર્મ અને અન્ય ધર્મોમાં પણ અનિવાર્ય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org