SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધા જ છે. ધર્મમાં “પૂર્ણતા'નો ભાવ સંનિહિત છે. પૂ. વિનોબાજીની દૃષ્ટિએ ધર્મનાં મુખ્ય ચાર ચરણ છે : શ્રદ્ધા, પ્રેમ, સત્ય અને ત્યાગ. આમાં જે પ્રથમ ચરણ શ્રદ્ધાનું છે, તે તો આજે પણ જનતામાં એટલું જ પ્રબળ છે. બાકીનાં ત્રણ ચરણ કે તત્ત્વોનો ક્રમશઃ ક્ષય થતો ગયો છે. આજે ધર્મ તેના આ એક ચરણ કે પગને આધારે ટકી રહ્યો છે. તેનાથી ધર્મકાર્યમાં પ્રગતિ થતી નથી. કેવળ શ્રદ્ધાને આધારે મનુષ્ય ટકી રહેવાનો પ્રયત્ન તો કરે છે, પણ તેનાથી ગતિ-પ્રગતિ થઈ શકતી નથી. તેને માટે ધર્મનાં અન્ય ચરણોને પણ ગતિશીલ બનાવવાં પડે. તેમાં સૌ પ્રથમ મહત્ત્વ સત્યને આપવું જોઈએ. સમાજને સત્યના આધાર વગર ટકાવવાનું સંભવિત જ નથી. આજે લોકોએ અસત્યને જ સત્ય માની લીધું છે. સંપત્તિ અને ભૂમિની માલિકીને જ ધર્મ માની લીધો છે. પરંતુ જમીન અને સંપત્તિના માલિક વ્યક્તિ બની શકે છે, એ હકીક્ત જ અસત્ય છે. સત્ય એ છે કે સંપત્તિ અને જમીન ભગવાનનાં છે અને તો પ્રતિનિધિ સ્વરૂપે તે સમાજની માલિકીનાં છે. મંદિરોમાં આપણે નૈવેદ્ય ધરાવીએ છીએ પરંતુ ભૂખ્યા માનવની આપણે ચિન્તા ન કરીએ અને જે ભગવાનને ભૂખ નથી લાગતી તેને છપ્પન ભોગ ધરાવીએ છીએ. ધર્મનું બીજું ચરણ છે પ્રેમ. તને દયા પણ કહી શકાય. આપણે ક્યારેક દયાભાવથી પ્રેરાઈને સત્કાર્ય કરી લઈએ છીએ, પણ તેને આપણ નિત્યધર્મ બનાવ્યો નથી. બજારમાં ગયા કે પ્રેમભાવનો લોપ થઈ જાય છે, એકબીજાને ઠગવાનું શરૂ કરી દઈએ છીએ. દરેક ચીજની સાથે પૈસાને જોડી દેવામાં આવ્યાં છે. વિદ્વાન વ્યક્તિઓ પણ તેમનામાં જેટલી વધારે યોગ્યતા હોય છે, તેટલી વધારે અપેક્ષાઓ-પુરસ્કાર માટે રાખે છે. આદર્શ તો એ છે કે પ્રેમનો જે અનુભવ કુટુંબમાં આપણને થાય છે, તે સમગ્ર સમાજમાં થવો જોઈએ. દરિદ્રનારાયણને આપણા કુટુંબમાં આપણે સ્વીકારવા જોઈએ અને તેને ઘરનો જ એક સભ્ય માનીને હક આપવો જોઈએ. સૌની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવાનું આપણું કર્તવ્ય છે, ધર્મ છે. ધર્મનું અંતિમ ચરણ છે - ત્યાગ. ત્યાગ વગર સમાજનો વિકાસ થઈ શક્તો નથી. ત્યાગના અભ્યાસથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ખેડૂત જ્યારે પોતાની પાસેના સારામાં સારાં બીજ જમીનમાં વાવી દે છે ત્યારે જ એને અનેકગણી ફસલ મળે છે. બીજને એ સાચવી રાખે તો ધાનના ઢગલા એ મેળવી શકે નહિ. જો તે બીજને બચાવીને રાખી મૂકશે તો ખેતરમાં અનાજ નહિ પણ કેવળ ઘાસ જ ઊગશે. એક દાણાની સામે ભગવાન અનેકગણું કરીને આપે છે. કેરીની એક જ ગોટલી રોપવાથી એક જ નહિ, અનેક કેરીઓ મળે છે. ત્યાગથી જ લક્ષ્મી, ઐશ્વર્ય, શોભા અને વૈભવ પ્રાપ્ત થાય છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં બે જ શબ્દોમાં અભુત ઉપદેશ આપ્યો છે. “તેન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy